મરણ નોંધ

હિન્દુ મરણ

નવગામ વિશા દિશાવાળ વણિક
બાલીસણા નિવાસી (હાલ બોરીવલી) સ્વ. શ્રી હરિશ્ર્ચંદ્ર નટવરલાલ શાહ તથા સ્વ. શ્રી ચંદ્રાવલી હરિશ્ર્ચંદ્ર શાહના સુપુત્ર શ્રી જિમિત હરિશ્ર્ચંદ્ર શાહ (૫૯) તા. ૧૦-૧-૨૪ (બુધવાર)ના રોજ શ્રીજીચરણ પામેલા છે. તે સંગીતાબેનના પતિ. ફોરમ દેવાંશ શાહના પિતાશ્રી તથા પારૂલ જયંતભાઈ ગાંધી, વિનીતા હસમુખભાઈ શાહ, ઉમંગ વ્રજલાલ શાહ તથા પ્રશાંત જગદીશભાઈ શાહના ભાઈ. પ્રમોદાબેનના ભત્રીજા. ખંભાત નિવાસી જયંતિલાલ શંકરલાલ ચૌહાણના જમાઈ. બને પક્ષનું બેસણું શનિવાર, તા.૧૩-૦૧-૨૦૨૪ના ૫થી ૭ દરમ્યાન શ્રી મુંબઈ ઉપનગર પરજીયા સહકારી સોસાયટી (સોનીવાડી), શિંપોલી ક્રોસ લેન, બોરીવલી (પશ્ર્ચિમ).
દશા મોઢ માંડલિયા વણિક
બીલખાના હાલ મુલુંડ સ્વ. નિર્મળાબેન અનંતરાય રાઘવજી રાઠોડના પુત્ર દિપક (ઉં. વ. ૫૩) બુધવાર, ૧૦-૧-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે દર્શનાના પતિ. હેતના પિતા અને વર્ષા અરૂણ વીરાના ભાઈ. સરસીયાના સ્વ. મધુબેન બિહારીલાલ મુછાળાના જમાઈ. રશ્મિબેન રમણીકભાઈ દોશીના ભાણેજ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર રાખેલ નથી.
કચ્છી સારસ્વત બ્રાહ્મણ
સ્વ. મુલશંકર જેષ્ટારામ ધરાદેવ ગઢશીશાવાળા હાલે મુલુંડના ધર્મપત્ની ગં. સ્વ. ભાગ્યવંતીબેન (ઉં. વ. ૮૨) ૧૨-૧-૨૪, શુક્રવારના રામશરણ પામ્યા છે. તે કલ્પના દિનેશ રત્નેશ્ર્વર રાજેન્દ્ર, મીના અમરીશ ખીચડીયા, પ્રિતી, અમિતના માતુશ્રી. મયંક, નિસર્ગ, વૈભવી, ઈશાનના દાદી. તે સ્વ. લક્ષ્મીબેન જટાશંકર ધતુરિયા દેશલપુર ગુંતલીવાળાના પુત્રી. તે સ્વ. શ્રીપતીભાઈ, સ્વ. કસ્તુરબેન બિહારીલાલ હરિયામાણેક, કલાપી, નરેન્દ્ર, સ્વ. જયાબેન હરિશભાઈ હરિયામાણેક, ચંદાબેન હેમંતભાઈ સાહેલના બેન. અ. સૌ. સુષ્મા અને અ. સૌ. ભક્તિના સાસુ. બંને પક્ષની પ્રાર્થનાસભા ૧૩-૧-૨૪ના ૫ થી ૭. દેહદાન કરેલ છે. ઠે. શ્રી કચ્છ દેશીય સારસ્વતી વાડી, ઝવેર રોડ,
મુલુંડ (વે.).
કચ્છી લોહાણા
સ્વ. કસ્તુરીબેન તથા સ્વ. કરમશીભાઈ હંસરાજ પલણ (મોટી વમોટી) હાલ મુલુન્ડના પુત્ર અતુલભાઈ (ઉં. વ. ૫૪) ૧૧-૧-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. તે રક્ષાબેનના પતિ તથા કુંજલ તથા વિરાજના પિતા તથા લલિતભાઈ, નયનાબેન, જીતેન્દ્રભાઈના ભાઈ તથા સ્વ. મેનાબેન વિનોદકુમાર શાહ (પાલીતાણાવાળા)ના જમાઈની પ્રાર્થનસભા શનિવાર, ૧૩-૧-૨૪ના ૫ થી ૭. ઠે. ૫૦૧, પદ્માવતી બેન્કવેટ હોલ, શિવસેના ઓફિસની ઉપર, એમ. જી. રોડ, મુલુંડ (વે). લૌકિક વ્યવહાર બંધ છે.
લોહાણા
ઘાટકોપર નિવાસી નયનાબેન ઠક્કર (ઉં. વ. ૮૦) ૧૧-૧-૨૪, ગુરુવારે શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. ચંદ્રકાંત પ્રાગજીભાઈ ઠક્કરના ધર્મપત્ની. તે વિનોદભાઈ, કોકીલાબેનના ભાભી. તે સ્વ. મુકતાબેન ગિરધરલાલ ઠક્કરના પુત્રી. તે સ્વ. કિશોરભાઈ, શરદભાઈ, સ્વ. શૈલેષભાઈ, જીતેન્દ્રભાઈ, અ. સૌ. દક્ષાબેન નલિનકાંતભાઈ ઠકરાળ, સ્વ. છાયાબેન રોહીતભાઈ કોટડીયા, અ. સૌ. પ્રતીક્ષાબેન બીપીનભાઈ કક્કડના બહેન. ઓમના નાની. નિર્મળાબેન નંદલાલ જીવરાજાણી, ચંદાબેન બળવંતરાય માવણીના ભાણેજ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.
મોઢ પોરેચા વણિક
ગં. સ્વ. કુંજલમા કોઠારી (ઉં. વ. ૯૮) તે સ્વ. નગીનદાસ પ્રાણજીવનદાસ કોઠારીના પત્ની. તે જ્યોતિ, સ્વ. કનક, નીલા, સ્મિતા, મધુકર, અજીત, સુનિલના માતુશ્રી. તે શૈલા, પ્રતિભા, જાગૃતિ, સ્વ. સુરેન્દ્ર, સ્વ. અવિનાશ મધુકાંત, સ્વ. મુકેશના સાસુ ૯-૧-૨૪, મંગળવારે શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.
બાલાસિનોર દશાનિમા વણિક
સ્વ. રસીકલાલ મોજીલાલ ગાંધી અને ગં. સ્વ. પુષ્પાબેન (પાકા)ના પુત્ર અને જયોતિબેન અને દિનકરભાઇ જોગીના જમાઇ. સેતુ રસીકલાલ ગાંધી (ઉં. વ. ૫૫) તે મેધાબેનના પતિ. અમિતભાઇ અને સંદીપભાઇના ભાઇ. રાજુલાબેનના દિયર. તથા કૌશિકભાઇ અને રાજીવભાઇના બનેવી તા. ૧૧-૧-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા વનિતા વિશ્રામ હોલ, ૩૯૨, એસ. વી. પી. રોડ, પ્રાર્થનાસમાજ મુંબઇ-૪. તા. ૧૩-૧-૨૪ના શનિવાર ૫થી ૭. લૌકિક પ્રથા બંધ છે.
કપોળ
દેલવાડાવાળા હાલ અંધેરી સ્વ.નવીનચંદ્ર દુર્લભદાસ ગાંધીની પત્ની ગં. સ્વ. મંજરીબેન (ઉં.વ. ૮૭) ગુરુવાર તા. ૧૧-૧-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે મહુવાવાળા દેવકોરબેન રણછોડદાસ વોરાના દીકરી. સોનાલી જતીન ગાંધી, જસ્મિના અરુણ ભુતા તથા બિના ગિરીશ શાહના માતુશ્રી. સ્વ.દમયંતિ, માલતી મહિન્દ્રા મહેતા, દિલીપ, કિરીટ અને જીતેન્દ્રના ભાભી. ચાંદની કૌશલ ગાંધી, કિંજલ મિત ગાંધી, તન્વી પિનાંક વોરા, હેતલ, સૌમિલ ડિંપલ શાહ, નિરાલી ગૌરવ પવાર, દર્ષ, આશી, મિસ્કા, શૌર્ય અને નાઇશાના દાદી. પ્રાર્થનાસભા રવિવાર, તા.૧૪-૧-૨૪ના ૪થી ૬. ઠે. ચટવાની બેન્કવેટ હોલ, તેલી ગલી, અંધેરી-પૂર્વ.
ઘોઘારી મોઢ
મોરબીના વાસી કિરીટભાઇ પરસોતમદાસ મણીયાર હાલ મુંબઇ તે બિંદુબેનના પતિ. અને ઋષભ તથા પંક્તિના પિતાશ્રી. તથા ભાવિકા અને હિનાના સસરા. તથા સ્પર્શ અને મિયાંન્સના દાદા. તથા પિયર પક્ષે સ્વ.ચીનુભાઇ હેમચંદના જમાઇ. તા. ૧૨-૧-૨૪ના મુંબઇ મુકામે શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા રવિવાર, તા. ૧૪-૧-૨૪નાં ૧૦થી ૧૨. ઠે. ફ્રેન્ચ બેન્કવેટ, જયવંત સાવંત રોડ, રૂસ્તમજી બિઝનેસ સ્કૂલ પાસે, એચ.પી. દેસાઇ કમ્પાઉન્ડ, દહીસર (વેસ્ટ).
કચ્છી બ્રહ્મક્ષત્રિય
સ્વ. પ્રફુલભાઇ નિર્મળ (ઉં. વ. ૭૪) શામજી વેલજી નિર્મળના સુપુત્ર. ગામ મુંદ્રા (હાલ અંધેરી) તે સ્વ. દમયંતીબેનના પતિ. નીરજના પિતાશ્રી અને સારીકાબેનના સસરા. તે આર્યમન, આહાનાના દાદા. તથા રંજનબેન સૂર્યકાંત ગોરાતેલા (ખત્રી)ના ભાઇ. તા. ૧૦-૧-૨૪ના બુધવારે રામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા રાખવામાં આવેલ નથી, લૌકિક વ્યવહાર
બંધ છે.
કપોળ
શિહોર નિવાસી હાલ કાંદિવલી સ્વ. સરસ્વતીબેન પ્રાણલાલ કાનકિયાના પુત્ર કિશોરભાઈ (ઉં.વ. ૭૫) તે ૧૦/૧/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે નલિનીબેનના પતિ. કલ્પેશ, પ્રજ્ઞેશ (પિન્ટુ), વૈશાલી નીરવ દેસાઈના પિતા. સ્વ. કનકચંદ્ર, સ્વ. રમેશભાઈ, સ્વ. ધીરુભાઈના ભાઈ. શિહોર નિવાસી સ્વ. માલતીબેન અંબાલાલ મહેતાના જમાઈ. વિશાખા, મનીષાના સસરા. આસ્થા, મિશ્રી, દેવંશીના દાદા. પ્રાર્થનાસભા ૧૪/૧/૨૪ના ૪ થી ૬. એ -૨૫૦૪, વીડિયોકોન સોસાયટી કોમ્પ્લેક્સ, ઠાકુર કોમ્પ્લેક્સ, કાંદિવલી ઈસ્ટ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
હાલાઇ લોહાણા
મૂળ ગામ સલાયા હાલ વિલેપાર્લા ગં. સ્વ. ભારતીબેન (ઉં.વ. ૭૮) તે સ્વ. નટવરલાલ કેશવજી બથિયાના ધર્મપત્ની. જીમિશ, કુંજલ તથા ભૂમિકાના માતુશ્રી. દિલીપભાઈ, વનિતાબેન, વસુબેન, રેણુકાબેનના ભાભી. શ્રુતિ, રાજેશ કુલકર્ણી તથા ધવલ ઠક્કરના સાસુ. જગદીશભાઈ, સતિષભાઈ, મુકેશભાઈ કાનજી મામતોરા. ભાનુબેન, હંસાબેન તથા કોકિલાબેનના બહેન ૧૧/૧/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કપોળ
નાના ભમોદાવાળા હાલ આદોની ગં.સ્વ. હંસાબેન ગાંધી (ઉં.વ. ૯૩) તે ૧૦/૧/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. હિંમતલાલ ભગવાનદાસ ગાંધીના ધર્મપત્ની. બિપીન, દક્ષા રમેશકુમાર ગોરડિયાના માતુશ્રી. સ્મિતાના સાસુ. સમીર, એકતા, રાજનના દાદી. જલ્પાના વડસાસુ. પિયરપક્ષે શિહોરવાળા સ્વ. શામજીભાઈ જમનાદાસ મહેતાના દીકરી. સર્વ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કપોળ
બરવાળા બાવીસી નિવાસી હાલ બોરીવલી સ્વ. વિમળાબેન ભગવાનદાસ રાઘવજી પારેખના પુત્ર અશોક પારેખના ધર્મપત્ની અ. સૌ. મીનાબેન (ઉં.વ. ૬૭) તે નયનેશ પૂજા તથા રવિ ખ્યાતિના માતુશ્રી. સ્વ. નરેન્દ્રભાઈ, ગં. સ્વ. વનીતાબેન પારેખ, સ્વ. રંજનબેન હરકિશનભાઈ કાણકિયા, સ્વ. નીલાબેન મહેન્દ્રભાઈ ચિતલિયા, ગં. સ્વ. ભાનુબેન રમેશચંદ્ર સંઘવી, દિનતાબેન અજીતભાઈ મહેતાના ભાભી. પિયરપક્ષે મહુવા નિવાસી સ્વ. મંછાબેન રતિલાલ ચકુભાઇ ચિતલિયાના દીકરી. તે તા. ૧૧/૧/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તેમની સર્વ પક્ષની પ્રાર્થનાસભા ૧૪/૧/૨૪ના ૫ થી ૭. આંગન ક્લાસિક હોલ, ફેક્ટરી લેન, એમ. કે. સ્કૂલની બાજુમાં, ટી. પી. એસ રોડ, બોરીવલી વેસ્ટ.
કચ્છી લોહાણા
કચ્છ વાગડ મનફરા અ.નિ. લક્ષ્મીબેન તથા અ.નિ. કરસનદાસ જેઠાલાલ રામાણીના સુપુત્ર સુરેશભાઈ (ઉં.વ. ૭૩), તે મીનાબેનના પતિ. લીલાવતી ભીમજી સોમેશ્ર્વર, ગામ અંજારના જમાઈ. તે યોગેશના પિતા. દિશાના સસરા. સ્વ. ડૉ. સુભાષ, સ્વ. નિતીન અને નરેશના મોટાભાઈ, ગુરુવાર, તા. ૧૧-૧-૨૪ના અક્ષરધામ નિવાસી થયા છે. પ્રાર્થનાસભા શનિવાર, તા. ૧૩-૧-૨૪, ૫ થી ૭, ગોપુરમ હોલ નં-૩, ડૉ. આર.પી. રોડ, મુલુન્ડ (વેસ્ટ).

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress