મનોરંજન

ભૂલભૂલૈયા-3માં ‘ઓરિજીનલ મંજુલિકા’ જોવા મળશે? વિદ્યાની એન્ટ્રી અંગે મળી આ બ્રેકિંગ ન્યુઝ..

વર્ષ 2022માં મોટા પડદે તથા OTT પર પણ ધમાલ મચાવનારી ‘ભૂલભૂલૈયા-2’ની સફળતા બાદ હવે તેના ત્રીજા ભાગના શૂટિંગની તૈયારી શરૂ થઇ ચુકી છે. આ વર્ષના માર્ચથી શૂટિંગ શરૂ કરીને તેને દિવાળીટાણે રિલીઝ કરવાની નિર્માતાઓની યોજના છે.

અનીસ બઝમીના દિગ્દર્શન હેઠળ બની રહેલી આ ફિલ્મમાં પહેલા બંને ભાગ કરતા વધારે સસ્પેન્સ-ડ્રામા તથા ટ્વિસ્ટ જોવા મળશે. ત્રીજા ભાગમાં પણ હીરો તરીકે કાર્તિક આર્યન જ જોવા મળશે. મીડિયા અહેવાલોનું સાચુ માનીએ તો આ ફિલ્મમાં વિદ્યા બાલન પણ જોવા મળશે, અને આ દ્વારા ફિલ્મમાં ઓરિજીનલ મંજુલિકાનો તરખાટ જોવા મળશે. ફિલ્મ સાથે સંકળાયેલા સૂત્રોનું કહેવું છે કે ફિલ્મમેકર્સ એ સુનિશ્ચિત કરી રહ્યા છે કે પહેલા બંને ભાગોની જેમ ત્રીજો ભાગ પણ સુપરડુપર હિટ થાય. વિદ્યા બાલન પણ ફરીએકવાર મંજુલિકા બનીને દર્શકોનું મનોરંજન કરવા માટે ઉત્સાહિત છે. ટૂંક સમયમાં આ અંગે સત્તાવાર જાહેરાત થાય તેવી શક્યતા છે.

જો કે હિરોઇન તરીકે મુખ્ય ભૂમિકા કોણ ભજવશે એ બાબતે હજુ અટકળો લગાવાઇ રહી છે. અમુક રિપોર્ટ્ઝ મુજબ સારા અલી ખાન કાર્તિકની સામે હિરોઇન તરીકે દેખાઇ શકે છે. ‘ભૂલભૂલૈયા-2’માં કાર્તિક આર્યન સામે કિયારા અડવાણીએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેમાં તબ્બુએ મંજુલિકા અને અંજુલિકાનો રોલ ભજવ્યો હતો, ડબલ રોલમાં તે દર્શકોને ઇમ્પ્રેસ કરવામાં સફળ રહી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button