મનોરંજન

…’ઈદ’ના દિવસે હવે કોની ફિલ્મો ચાલશે?

મુંબઈ: તહેવારો નિમિત્તે ફિલ્મો રિલીઝ કરીને દર્શકોને ભરપૂર મનોરંજન પૂરું પાડનાર બૉલીવુડના ભાઇજાન સલમાન ખાનની આ ઈદમાં કોઈ ફિલ્મ રિલીઝ કરવાના નથી. જોકે આ ઈદ નિમિત્તે અક્ષય કુમાર-ટાઈગર શ્રોફ સાથે અજય દેવગનની ફિલ્મની બોક્સ ઓફિસ પર જોરદાર ટક્કર જામવાની છે, પણ આ બંને ફિલ્મોની એડ્વાન્સ બૂકિંગને ખૂબ જ ઓછો રિસ્પોન્સ મળી રહ્યો છે.

આવતીકાલે 10 એપ્રિલે અક્ષય કુમાર-ટાઈગર શ્રોફની ‘બડે મિયાં છોટે મિયાં’ અને અજય દેવગનની ‘મેદાન’ આ ફિલ્મો રિલીઝ થવાની હતી, જોકે ઈદ ગુરુવારે (11 એપ્રિલે) ઉજવવામાં આવી તો આ ફિલ્મોની રિલીઝ ડેટમાં બદલાવ કરવામાં આવી છે, પણ આ ફિલ્મોના અમુક શોઝ 10 તારીખે રાખ્યા છે. આ કારણને લીધે લોકોના મનમાં બે ફિલ્મોને લઈને મૂઝવણ નિર્માણ થઈ છે. હવે આ બે ફિલ્મોમાંથી કઈ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ થશે કે નહીં એ જોવાનું રહેશે.

અક્ષય અને ટાઈગરની ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ને સેન્સર બોર્ડ તરફથી લીલીઝંડી મળી ગઈ છે. આ ફિલ્મનો રન-ટાઈમ 2.43 કલાક હતો, પણ હવે તેને ઘટાડીને 2.35 કલાક કરવામાં આવ્યો અને અજય દેવગનની ‘મેદાન’ પણ 3.1 કલાકની છે. આ ફિલ્મો ખૂબ જ લાંબી હોવાથી ફિલ્મની એડ્વાન્સ બુકિંગને લોકોને નબળો રિસ્પોન્સ મળી રહ્યો છે, જેથી ફિલ્મના મેકર્સે ફિલ્મના રન ટાઈમ ઓછો કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

ગયા શનિવારથી જ ‘બડે મિયાં છોટે મિયાં’ અને ‘મેદાન’નું એડ્વાન્સ બુકિંગ શરૂ થઈ ગયું હતું. 10 એપ્રિલે રિલીઝ થનારી આ બંને ફિલ્મોની એડ્વાન્સ બુકિંગમાં 15 હજાર ટિકિટ પણ વેચાઈ નથી. માહિતી મુજબ ‘બડે મિયાં છોટે મિયાં’ની 9,000 અને ‘મેદાન’ની માત્ર 6,000 ટિકિટ વેચાઈ છે. હવે આ બધી ફિલ્મો બોક્સ ઓફિસ પર પીટાઈ જાય તો નવાઈ રહેશે નહીં. આ બંને ફિલ્મની રિલીઝ પહેલા સ્ક્રિનિંગ રાખવામાં આવ્યું હતું, જે લોકોને પસંદ પડી હતી. જોકે સલમાન ખાનની ફિલ્મ આ વર્ષે નથી આવવાની જેથી ‘બડે મિયાં છોટે મિયાં’ અને ‘મેદાન’નું શું થશે એ બાબતે રિલીઝ બાદ જ જાણવા મળશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Kuno National Park Celebrates Mothers Among Magnificent Mammals રાહુનો મીન રાશિમાં પ્રવેશ કઈ રાશિને ફળશે Bollywood Beauties Captivate as Enchanting Tawaifs Unlock the Power of Tulsi on Akshay Tritiya: Simple Remedies for Abundance & Wellbeing