
ભોજપુરી ફિલ્મોના લોકપ્રિય વિલન, બિહારના ગૌરવ અને મુઝફ્ફરપુરના રહેવાસી વિજય ખરે વિશે એક માઠા સમાચાર જાણવા મળ્યા છે. તેઓ હવે આ દુનિયામાં નથી રહ્યા. ભોજપુરીમાં 300 અને હિન્દી સિનેમામાં 50 થી વધુ ફિલ્મો આપનાર ભોજપુરી ફિલ્મ ઉદ્યોગના પીઢ અભિનેતા વિજય ખરેનું નિધન થયું છે. તેઓ 72 વર્ષના હતા. ફિલ્મોમાં ખલનાયક તરીકે પોતાની ઓળખ બનાવનાર વિજય ખરેએ રવિવારે બેંગલુરુની કાવેરી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.
આ પણ વાંચો : Train ના દરવાજા પર લટકીને Reel બનાવી રહી હતી યુવતી અને પછી થયું કંઈક એવું કે…
તેમણે ‘રઈસઝાદા’ (1976), ‘ગંગા કિનારે મોરા ગાંવ’ (1983) અને ‘હમરા સે બિયાહ કરબા’ (2003) જેવી ફિલ્મોમાં પોતાના અભિનયથી દર્શકોના દિલ જીતી લીધા હતા. ભોજપુરી સિનેમામાં તેમના યોગદાન માટે 2019 માં તેમને લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. પોતાના દમદાર અભિનયથી તેણે માત્ર ભોજપુરી સિનેમામાં જ નહીં પરંતુ અન્ય ભાષાઓની ફિલ્મોમાં પણ ઉત્તમ કામ કર્યું છે.
વિજય ખરે છેલ્લા કેટલાક મહિનાઓથી કિડનીની સમસ્યાથી પીડાતા હતા. તેઓ તેમના જીવનની અંતિમ ક્ષણો તેમના વતન મુઝફ્ફરપુરમાં પસાર કરવા માંગતા હતા. ભારે ઠંડીને કારણે તેમના પુત્ર અભિનેતા આશુતોષ ખરેએ તેમને ફેબ્રુઆરી મહિનામાં મુઝફ્ફરપુર લાવવાનું વચન આપ્યું હતું, પરંતુ તે પહેલા જ તેઓ આ દુનિયામાંથી વિદાય લઈ ગયા હતા. ઘરમાં અચાનક તેમની તબિયત બગડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
તેમના પરિવારના સભ્યો તેમની સાથે હતા પરંતુ હોસ્પિટલમાં જ તેમનું મૃત્યુ થયું હતું. વિજય ખરે ઉર્ફે ગબ્બર સિંહના અંતિમ સંસ્કાર બેંગલુરુમાં સોમવાર, 16 ડિસેમ્બરે બપોરે 2 વાગ્યે કરવામાં આવશે. વિજય ખરેના મોટા પુત્ર સંતોષ ખરે અને બીજા પુત્ર આશુતોષ ખરે પણ બેંગલુરુ પહોંચી ગયા છે. વિજય ખરેના નિધનના સમાચાર સાંભળીને મુઝફ્ફરપુરમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. તેમના ચાહકો અને સંબંધીઓ તેમના પૈતૃક ઘરે પહોંચી ગયા છે.
આ પણ વાંચો : ઐશ્વર્યાની હમશકલ અને સલમાનની હીરોઈન હવે અમૃતા બિશ્નોઈનાં રોલમાં દેખાશે…
વિજય ખરેએ લાંબા સમય પહેલા ભોજપુરી સિનેમામાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને તે ‘ગબ્બર સિંહ’ તરીકે પ્રખ્યાત થયા હતા. તેઓ હંમેશા નવા કલાકારોને પ્રોત્સાહિત કરતા. તેઓ હંમેશા ઉત્તર બિહારના કલાકારોને માર્ગદર્શન આપવા તેમની સાથે ઉભા રહેતા જોવા મળતા હતા. વિજય ખરેનું નિધન માત્ર તેમના પરિવાર માટે જ નહીં પરંતુ ભોજપુરી સિનેમા માટે પણ એક અપૂર્વીય ખોટ છે.