મનોરંજન

“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” આજે પણ ટોચના શોમાંથી એક

મુખ્ય પાત્ર નહીં, પણ રસપ્રદ કહાનીને આધારે ટકેલા આસિત કુમાર મોદીનું ટીએમકેઓસી 17 વર્ષ પછી પણ છે ભારતનો મનપસંદ શો

મુંબઈ: આસિત કુમાર મોદી દ્વારા નિર્મિત અને માર્ગદર્શન પામેલું “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” (TMKOC) છેલ્લા 17 વર્ષોથી દરરોજ ભારતીય પરિવારોએ જોવા મળતું હાસ્યથી ભરેલો શો છે. 4400થી વધુ એપિસોડ્સ સાથે, આ શોએ દરેક પેઢીના દર્શકોને જોડીને રાખ્યા છે.

TMKOCના લેખકદળે હંમેશા સમયસૂચક અને સામાજિક રીતે મહત્વપૂર્ણ મુદ્દાઓને સરળ હાસ્ય સાથે રજૂ કર્યા છે. તાજેતરના સાઇબર ક્રાઈમ આધારિત વાર્તાએ દર્શકોને ઑનલાઈન ફ્રોડ અંગે જાગૃત કર્યા હતા, જ્યારે “ભૂતની 2.0” નામનો હાલનો પ્લોટ રોમાંચ અને હાસ્યનું શ્રેષ્ઠ મિશ્રણ છે — અને તે પણ મુખ્ય પાત્રના અભાવે.

આ પણ વાંચો: તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના આ સ્ટાર પાસે નહોતા પીજીનું રેન્ટ આપવાના પૈસા, પણ…

અન્ય શો જ્યાં મુખ્ય પાત્રને આધાર માનતા હોય, ત્યાં TMKOC રસપ્રદ કહાણી અને લેખનના આધાર પર ટોચના પાયે જામ્યું છે.

આસિત કુમાર મોદી કહે છે: “આ માત્ર એક શો નથી, પરંતુ એક સંયુક્ત સપનું છે. આપણાં સંસ્કારોથી ભીનું કન્ટેન્ટ આજે પણ લોકોના હૃદયમાં ઊતરે છે.”

આ શો સાબિત કરે છે કે સાચી કહાની, સંસ્કાર અને સમર્પિત ટીમ દ્વારા બનેલ ટેલિવિઝન શો સમયને પડકાર આપી શકે છે અને સફળતાના શિખર સુધી પહોંચી શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે.ssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssss More »
Back to top button