મનોરંજન

હેપ્પી બર્થ ડેઃ જો આ સેલિબ્રિટી ન હોત તો કદાચ માધુરી-શ્રીદેવી આટલા લોકપ્રિય ન હોત

દસેક વર્ષ પહેલા બોલીવૂડની હીરોઈનો માટે સારા ડાન્સર હોવું લગભગ અનિવાર્ય જેવું હતું. ફિલ્મોના હીટ જવાનો ઘમો મદ્દાર તેના સંગીત અને હીરોઈના લટકા ઝટકા પર પણ રહેતો. માધુરી દિક્ષિત, શ્રીદેવી, જૂહી ચાવલા કે ઉર્મિલા મતોંડકર, રવિના ટંડન જેવી ઘણી અભિનેત્રીઓની સફળતા પછળ તેમણે પડદા પર કરેલા નૃત્યો છે અને નૃત્યો પાછળનું નામ એટલે આજના બર્થ ડે સેલિબ્રિટી સરોજ ખાન. આ જાણીતો ચહેરો હવે આપણી વચ્ચે નથી ત્યારે આજે તેમને યાદ કરીએ. સરોજ ખાન એક કોરિયોગ્રાફર તરીકે તો પ્રેરણાદાયી છે પણ એક મહિલાએ જીવન જીવવા જે સંઘર્ષ કર્યો છે તે પણ એટલો જ સલામ માગી લે તેવો છે.

વર્ષ 1948માં 22 નવેમ્બરે જન્મેલા સરોજ ખાનનું મૂળ નામ નિર્મલા નાગપાલ હતું. તેણે માત્ર ત્રણ વર્ષની ઉંમરે બાળ કલાકાર તરીકે કામ કરવાનું શરૂ કર્યું. ડાન્સ આર્ટિસ્ટ તરીકે કામ કરતી નિર્મલાને 13 વર્ષની ઉંમરે પોતાનાથી 30 વર્ષ મોટા ડાન્સ માસ્ટર સોહનલાલ સાથે પ્રેમ થયો અને બન્નેએ લગ્ન કરી લીધા. જોકે તે સમયે કુમળી વયની નિર્મલાને ખબર ન હતી કે સોહનલાલ પરિણિત છે અને ચાર સંતાનોનો પિતા છે.

તે બાદ નિર્મલા પોતે પણ મા બની અને રાજૂને જન્મ આપ્યો. તેના બીજા સંતાનનું મૃત્યુ થયું. આ દરમિયાન સોહનલાલે તેને ખૂબ હેરાન કરી અને તેમનાં સંતાનોને નામ આપવાનો ઈનકાર કર્યો. આથી નિર્મલાએ સરદાર રોશન ખાન સાથે બીજા લગ્ન કર્યા અને ઈસ્લામ અંગિકાર કરી નામ બદલી તે બની ગઈ સરોજ ખાન. જોકે કહેવાય છે કે છુટ્ટા પડ્યા બાદ સોહનલાલ જ્યારે બીમાર પડ્યા ત્યારે સરોજે તેનુ ઘણું ધ્યાન રાખ્યું હતું.

તે બાદ પણ ઘણો સંઘર્ષ કર્યો અને કોરિયોગ્રાફીની દુનિયામાં પગ મૂક્યો. ઝિન્નત અમાનથી માંડી શાહરૂખ અને માધુરી દિક્ષિતને તેમણે નાચાવ્યા છે. શ્રીદેવીની નગિના ફિલ્મના ડાન્સથી તેમને નામના મળવાનું શરૂ કર્યું અને તેમણે 2000 જેટલા ડાન્સ કોરિયોગ્રાફ કર્યા.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સરોજ ખાને એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે જ્યારે તેની દીકરી માત્ર આઠ મહિનાની હતી ને મૃત્યુ પામી ત્યારે તે જ દિવસે દીકરીને દફનાવ્યા બાદ તે ટ્રેન લઈને શૂટિંગ માટે નીકળી ગઈ હતી. ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવી ચૂકેલી સરોજે ત્રણ નેશનલ એવોર્ડ, આઠ ફિલ્મફેર અને અમેરિકન કોરિયોગ્રાફી એવોર્ડ્સ પણ જીત્યા છે. કહેવાય છે કે તેમણે એક દિવસ પણ બ્રેક નથી લીધો. 2019માં તેમણે કલંક ફિલ્મ માટે ગીત કોરિયોગ્રાફ કર્યું અને તે બાદ 17 જૂન, 2020ના રોજ તેમનું હૃદયરોગના હુમલાથી તેમનું નિધન થઈ ગયું. આજે ઘણા સારા કોરિયોગ્રાફર બોલીવૂ઼ડમાં છે, પણ બીજી સરોજ ખાન નહીં બની શકે તે સૌ કોઈ સ્વીકારે છે.
સરોજ ખાનને જન્મદિવસે સ્મણાંજલિ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Unlocking Financial Freedom: Can a Lucky Flower Really Help? Aishwarya Rai Bachchan’s Surprising Sisterhood: Unknown Family Ties” Avoid the Fridge for These Fruits! Keep Them Fresh the Right Way Unblock Your Entryway: Essential Items to Avoid at Your Front Door