મનોરંજન

હાર ના માની હોત આ હસીનાએ તો કરીના કપૂર ના બની શકી હોત પટોડી…..

સૈફ અલી ખાન બોલિવૂડનો જાણીતો સ્ટાર છે. તેની દમદાર એક્ટિંગને દર્શકો પણ ખૂબ પસંદ કરે છે, પરંતુ પોતાની રિલ લાઇફ કરતા તે પોતાની રિઅલ લાઇફને લઇને વધારે સમાચારોમાં રહે છે. કરીના સાથેના લગ્ન પહેલા તેનું નામ અવારનવાર કોઈ ને કોઈ અભિનેત્રી સાથે જોડતું હતું. અમૃતા સિંહ સાથે ડિવોર્સ લીધા બાદ તેણે રોઝા કેટલિના નામની એક મહિલાને ડેટ કરી હતી. તે સમયે સૈફ તેના અસફળ લગ્નમાંથી બહાર નીકળવા માગતો હતો અને એ સમયે રોઝાએ તેને ઘણ સહારો આપ્યો હતો.

રોઝા સાથે સૈફને પણ ફાવી ગયું હતું. બંને લીવ ઇનમાં સાથે રહેવા માંડ્યા હતા. બંને દરેક જગ્યાએ સાથે જોવા મળતા હતા. પાર્ટીઓ હોય કે ઈવેન્ટ્સ હોય, એવોર્ડ શો હોય, સૈફ અલી ખાન અને રોઝા સાથે જ હોય. સૈફ અલી ખાનને જાણે દુનિયાભરની ખુશી મળી ગઇ હતી, પણ પછી કોણ જાણે શું થયું. બંનેનો સંબંદ તૂટી ગયો. લિવ ઇનમાં રહેતા રહેતા બંને એકબીજાની જિંદગીમાંથી નીકળી ગયા.

રોઝાએ એક વાર ખુલાસો કર્યો હતો કે સૈફ સાથે એણે શા માટે સંબંધ તોડી કાઢ્યો. એ વિશે વાત કરતા એણે જણાવ્યું હતું કે સૈફે એની સાથે ચિટીંગ કરી હતી. સૈફે એને તેના પહેલા લગ્ન અને તેના બે બાળકો વિશે જણાવ્યું જ નહોતું.
રોઝાની એક મિત્રએ પણ જણાવ્યું હતું કે રોઝા સાચું કહે છએ. એને ભારત આવ્યા પછી જ ખબર પડી હતી કે સૈફ અલી ખાન પહેલાથી પરણેલો છે અને તેના બે બાળકો પણ છે. રોઝઆ એના બાળકો સાથે પણ એટેચ થઇ ગઇ, પણ સૈફ સાથે બ્રેક અપ બાદ તે સૈફના બાળકોથઈ પણ દૂર થઇ ગઇ. સૈફ સાથેના બ્રેક અપ બાદ રોઝા ઘણું રડી હતી

રોઝાએ જણાવ્યું હતું કે સૈફ અલી ખાનના મૂડ સ્વિંગ્સને રોઝા સહન નહોતી કરી શકતી. આ ઉપરાંત એ સમયમાં સૈફની તબિયત પણ સારી નહોતી રહેતી . એની પણ રોઝાને ઘણી ચિંતા રહેતી હતી. જ્યારે બંનેના બ્રેક અપની વાત સામે આવી તો એ સમયેએવી વાત પણ મીડિયામાં ચમકી હતી કે રોઝાએ સૈફ પાસેથી એલિમનીની પણ માગણી કરી હતી, જેને આપવાનો સૈફે ઇનકાર કર્યો હતો. રોઝાએ જણાવ્યું હતું કે સૈફ તેને ફાયનાન્શિયલી સપોર્ટ નથી કરતો.
રોઝા તેના પ્રોજેક્ટ માટે ભારત આવી હતી અને અહીં રહેતી હતી. તે આર્થિક રીતે સદ્ધર હતી અને પોતાનો ખર્ચો જાતે જ ઉઠાવતી હતી.

કદાચ સૈફ અને રોઝા બંનેના નસીબમાં આ રીતે છૂટા પડવાનું જ લખાયું હશે. જોકે, રોઝાની એક્ઝિટ કરીના કપૂર માટે લકી બની ગઇ. તે સૈફની લાઇફમાં આસાનીથી ગોઠવાઇ ગઇ. આપણે એમ કહી શકીએ કે જો રોઝાએ સૈફ સાથેના સંબંધોમાં હાર ના માની હોત તો કરીના આજે પટોડી ખાનદાનની પુત્રવધુ ના બની શકી હોત.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત