![Parineeti Chopra and Raghav Chaddha participating in Ardas and Kirtan at Gurudwara](https://bombaysamachar.com/wp-content/uploads/2023/09/Parineeti-Chopra-and-Raghav-Chaddha-participating-in-Ardas-and-Kirtan-at-Gurudwara.webp)
બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા અને સાંસદ રાઘવ ચઢ્ઢા ટૂંક સમયમાં એકબીજા સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. તેમના લગ્નની વિધિઓ પણ શરૂ થઈ ગઈ છે. દરમિયાન, એવું કહેવામાં આવી રહ્યું છે કે 19 સપ્ટેમ્બરના રોજ અરદાસ સમારોહ સંપન્ન થયો હતો જેની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
જે તસવીરો વાયરલ થઈ રહી છે તે ગુરુદ્વારાની છે. આ તસવીરમાં રાઘવની દુલ્હન હાથ પર મહેંદી લગાવેલી જોવા મળી રહી છે. રિપોર્ટ્સ અનુસાર, કપલની મહેંદી સેરેમની દિલ્હીમાં થઈ હતી. તસ્વીરમાં દુલ્હા અને દુલ્હનને જોડિયા જોઈ શકાય છે. બંનેએ પેસ્ટલ પિંક કલરના આઉટફિટ પહેર્યા છે.
આ દરમિયાન દંપતીએ રૂમાલથી માથું પણ ઢાંક્યું છે. જ્યાં પરિણીતી હાથ જોડીને બેઠેલી જોવા મળે છે, તો બીજી તરફ રાઘવ તેની લેડી લવની પાસે બેઠો જોવા મળે છે.
રાઘવ સાથે પરિણીતી ચોપરાની અરદાસ સેરેમનીની તસવીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહી છે, જેમાં પરિણીતીના હાથ પર રાઘવના નામની મહેંદી જોવા મળી રહી છે. રાઘવ ચઢ્ઢાના ઘરે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
ઇન્સ્ટા રીલ…..
રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાના લગ્ન ઉદયપુરના ‘ધ લીલા પેલેસ’માં થશે. જો રિપોર્ટ્સનું માનીએ તો આ કપલ 23 અને 24 સપ્ટેમ્બરે યોજાનાર લગ્નની ઉજવણી માટે ઉદયપુર જવા રવાના થશે. આ શાહી લગ્નની થીમ પર્લ વ્હાઇટ હોવાનું કહેવાય છે. આ સિવાય આ લગ્નમાં ખાસ વાત એ છે કે રાઘવ ઘોડી પર સવાર થઈને તેની દુલ્હનને લેવા નહીં જાય. તેના બદલે, રાઘવ ચઢ્ઢા સેહરો બાંધ્યા પછી બોટ દ્વારા તેમના લગ્નની જાન લઈને લગ્ન સ્થળ પર પહોંચશે. રિપોર્ટ્સ અનુસાર, સાંજે પરિવાર અને મિત્રો માટે રિસેપ્શન પણ રાખવામાં આવશે, જેની થીમ ‘અ નાઈટ ઓફ અમોર’ હશે. લગ્નનું રિસેપ્શન રાત્રે 8.30 કલાકે લીલા પેલેસ કોર્ટયાર્ડ ખાતે યોજાશે.