મનોરંજન

બ્રેકઅપ પછી મહાદેવના શરણે માહિરા શર્મા: કઈ રીતે બદલ્યું જીવન?

માહિરા શર્મા ટીવીની લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે. માહિરાએ અત્યાર સુધી તેના કરિયરમાં ઘણા લોકપ્રિય શોમાં કામ કર્યું છે, જેમાં નાગિન મુખ્ય છે. એક સમયે માહિરા શર્મા પારસ છાબડાના પ્રેમમાં હતી. બંનેએ લગભગ ત્રણ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા હતા, પરંતુ ત્યારબાદ અલગ થયા.

જોકે, બંનેનું બ્રેકઅપ થયું ત્યારે માહિરા અને પારસ બંનેએ કહ્યું હતું કે તેમને સાથે ભવિષ્ય દેખાતું નથી. બ્રેકઅપ પછી, માહિરા આધ્યાત્મિકતા તરફ વળી ગઈ હતી. માહિરાએ એક ઇન્ટરવ્યુમાં આ વિશે ખુલીને વાત કરી હતી.

આ પણ વાંચો: સિલ્ક સાડીમાં માહિરાના ગ્લેમર અંદાજને ચાહકો જોઈ દંગ થઈ ગયા, જુઓ વાઈરલ તસવીરો

માહિરાએ કહ્યું હતું કે જ્યારે મહાદેવની વાત આવે છે, ત્યારે મને લાગે છે કે તે જ સર્વસ્વ છે. તેના સિવાય મારી સાથે કોઈ નથી. હું દુઃખી હોઉં કે ખુશ, મહાદેવજી મારી સાથે બધે જ છે. માહિરાએ આગળ કહ્યું કે જો હું જીવનમાં ફરીથી ઊભી થઈ શકી છું તો તે તેમના કારણે જ છે. મહાદેવમાં વિશ્વાસ કર્યા પછી તેના જીવનમાં ઘણા ફેરફારો આવ્યા છે. તેમની દરેક વસ્તુ અપનાવી છે.

તેણે આગળ કહ્યું કે તે 2022માં શિવખોડી ગઈ હતી, ત્યાં ગયા પછી તેના જીવનમાં પરિવર્તન આવ્યું છે, જે તે આજે પણ અનુભવે છે. તેનામાં સ્થિરતા છે અને હવે તેને ગુસ્સો નથી આવતો. શિવખોડી ગયા પછી જ તેનામાં આ બધા ફેરફારો થયા છે અને આ બધું ભગવાન મહાદેવજીને કારણે જ થયું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button