મનોરંજનસ્પોર્ટસ

ટીમ ઇન્ડિયાના આ સ્ટાર ક્રિકેટરની દિવાની હતી માધુરી દિક્ષીત

શર્મિલા ટાગોરથી લઈને અનુષ્કા શર્મા સુધીની ઘણી બોલીવુડ અભિનેત્રીઓ છે, જેમણે ટીમ ઈન્ડિયાના ક્રિકેટરોને પોતાના જીવન સાથી તરીકે પસંદ કર્યા છે, પરંતુ એવું નથી કે આ સિવાય અન્ય કોઈ અભિનેત્રીને ક્રિકેટર પર ક્રશ કે પ્રેમ થયો નથી.
માધુરી દીક્ષિત હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સૌથી સફળ અને આઈકોનિક સુપરસ્ટાર છે. અભિનેત્રી માધુરી દિક્ષીતના અજય જાડેજા સાથેના સંબંધોની ઘણી ચર્ચાઓ થઈ હતી, પરંતુ અભિનેત્રીને જે ક્રિકેટર પર પ્રેમ હતો અને તે તેની પાછળ ભાગતી હતી. તે તેના સપનામાં પણ આવતો હતો એ ક્રિકેટર હતા સુનીલ ગાવસ્કર. આ વાતનો ખુલાસો ખુદ માધુરીએ વર્ષો પહેલા એક ઈન્ટરવ્યુમાં કર્યો હતો.

માધુરી દીક્ષિતે 1999માં ડૉ. શ્રીરામ માધવ નેને સાથે લગ્ન કર્યા હતા પરંતુ તે પહેલા તેનું નામ ઘણા કલાકારો સાથે જોડાઈ ગયું હતું. એક વખત એક મેગેઝીનને આપેલા ઈન્ટરવ્યુમાં તેણે ક્રિકેટર સુનીલ ગાવસ્કર પ્રત્યેનો પ્રેમ પણ વ્યક્ત કર્યો હતો. આ સમયે તેઝાબ ફેમ અભિનેત્રી માત્ર 25 વર્ષની હતી જ્યારે સુનીલ તેના કરતા 18 વર્ષ મોટા હતા એટલે કે 43 વર્ષના હતા.
સુનીલ ગાવસ્કરે ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં મોટું યોગદાન આપ્યું છે. તેણે ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ પણ કરી છે અને તે ક્રિકેટ ઈતિહાસના શ્રેષ્ઠ ઓપનિંગ બેટ્સમેનોમાંના એક છે. તે કપિલ દેવની કેપ્ટનશીપવાળી ટીમ ઈન્ડિયાનો પણ ભાગ રહી ચૂક્યો છે, જેણે 1983માં લંડનમાં લોર્ડ્સમાં વર્લ્ડ કપ જીતીને ઈતિહાસ રચ્યો હતો.

જો આપણે માધુરી દીક્ષિતના કામની વાત કરીએ તો તે લગભગ ત્રણ દાયકાથી પોતાની ફિલ્મો દ્વારા દર્શકોનું મનોરંજન કરી રહી છે. તે છેલ્લે સુનિલ શેટ્ટી સાથે ડાન્સ રિયાલિટી શો ‘ડાન્સ દીવાને’ની ચોથી સિઝનને જજ કરતી જોવા મળી હતી.
માધુરી દીક્ષિતે વર્ષ 1999માં શ્રીરામ નેને સાથે લગ્ન કર્યા હતા. આટલા વર્ષો પછી પણ બંને સાથે છે. જોકે માધુરીના દિલમાં સુનીલ ગાવસ્કર માટે હજુ પણ જગ્યા રહેશે.

https://www.facebook.com/watch/?v=1379714248839777&ref=sharing

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker