મનોરંજન

‘સેલિબ્રિટી હોવાની કિંમત ચૂકવી રહી છું’, રજનીકાંતની પત્નીએ આવું કેમ કહ્યું?

ચેન્નઈ: તમિલ સુપરસ્ટાર રજનીકાંતની પત્ની લતા રજનીકાંતે છેતરપિંડીના કેસમાં મંગળવારે બેંગલુરુની કોર્ટ દ્વારા જામીન મળ્યા બાદ મીડિયા સામે પોતાની વાત રાખી હતી. તમિલ ફિલ્મ ‘કોચાદૈયાં’ના સંબંધમાં તેમની સામે દાખલ કરવામાં આવેલા કેસના તમામ આરોપો તેમણે નકારી કાઢ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે તે સેલિબ્રિટી હોવા બદલ તેમને આ કિંમત ચૂકવવી પડી રહી છે.

લતા એ કહ્યુ કે, “મારા માટે, એક લોકપ્રિય વ્યક્તિના અપમાન અને ઉત્પીડન અને શોષણનો કેસ છે. અમે સેલિબ્રિટી હોવા બદલ આ કિંમત ચૂકવી રહ્યા છીએ, તે કોઈ મોટો કેસ ભલે ન હોય, પરંતુ સમાચાર બહુ મોટા બની જાય છે. મેં કોઈ છેતરપિંડી કરી નથી.”


ચેન્નાઈ સ્થિત એડ બ્યુરો એડવર્ટાઈઝિંગ પ્રાઈવેટ લિમિટેડે લતા સામે 2014ની ફિલ્મના અધિકારો અંગે છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છે. ફરિયાદીએ ફિલ્મના નિર્માતાઓમાંના મીડિયા વનને ₹10 કરોડ ઉછીના આપ્યા હોવાનો દાવો કર્યો હતો અને આરોપ મૂક્યો હતો કે લતા રજનીકાંતે બાંયધરી તરીકે સહી કરી હતી.


આરોપો અંગે લતા એ કહ્યુ કે, જે પૈસાની વાત થઈ રહી છે તેની સાથે મારે કોઈ લેવાદેવા નથી. તે કેસ મીડિયા વન અને સંબંધિત લોકો વચ્ચે છે. તેઓએ પહેલેથી જ સેટલમેન્ટ કરી લીધું છે, મેં બાંયધરી તરીકે ખાતરી કરી કે તેમને ચૂકવણી કરવામાં આવી છે.


મંગળવારે એડીશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે ₹1 લાખના અંગત બોન્ડ અને ₹25,000 રોકડ પર લતાના જામીન મંજૂર કર્યા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ભારતની શાન છે આ રેલવે સ્ટેશન, દેશ-વિદેશથી જોવા આવે છે પર્યટકો… આ પેટ્સ ફિલ્મના સ્ટાર્સ કરતા કમ નથી બીજી સપ્ટેમ્બરના શુક્ર કરશે નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકો થશે માલામાલ… Vitamin B12ના બેસ્ટ સોર્સ છે આ Fruits, આજથી જ શરુ કરી દો સેવન…