બોલિવૂડની દોસ્તી અને દુશ્મની બંને લાંબો સમય ટકતી નથી. શ્રેષ્ઠ મિત્રો પણ ક્યારે દુશ્મન બની જશે તે તમે કહી શકતા નથી. તે જ સમયે, દુશ્મનો વચ્ચે કોઈપણ સમયે ગાઢ મિત્રતા જોવા મળી શકે છે. તાજેતરમાં જ આવી ઘટના પ્રકાશમાં આવી છે. કરણ જોહર અને કાર્તિક આર્યન વચ્ચેનો લાંબો વિવાદ હવે સમાપ્ત થઈ ગયો છે. બંને ફરી એકવાર સાથે કામ કરવા તૈયાર છે. કરણ જોહર અને કાર્તિક આર્યનનું રિયુનિયન ટૂંક સમયમાં જોવા મળશે. બંનેએ એક ફિલ્મ માટે હાથ મિલાવ્યા છે.
હાલમાં જ ધર્મા પ્રોડક્શન્સ અને બાલાજી ટેલી ફિલ્મ્સે એક ફિલ્મની જાહેરાત કરી છે. ફિલ્મનું નામ હજુ જાહેર કરવામાં આવ્યું નથી. આ ફિલ્મમાં કાર્તિક આર્યનને સાઈન કરવામાં આવ્યો છે . આ ફિલ્મનું નિર્દેશન સંદીપ મોદી કરશે. આ ફિલ્મનું નિર્માણ કરણ જોહર, તેની માતા હીરુ યશ જોહર, અપૂર્વ મહેતા, શોભા કપૂર, એકતા આઈ કપૂર દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ નામ વગરની ફિલ્મ 15 ઓગસ્ટ 2025ના રોજ રિલીઝ થશે. વેલ, આજે કાર્તિક આર્યનનો જન્મદિવસ છે અને આવી સ્થિતિમાં આ ફિલ્મની જાહેરાત કોઈ મોટી ભેટથી ઓછી નથી.
આ ફિલ્મ કેવી હશે તેની માહિતી હજુ સુધી શેર કરવામાં આવી નથી. ટૂંક સમયમાં જ ફિલ્મના નામની સાથે વધુ જાહેરાત થઈ શકે છે. આ જાહેરાત બાદ સ્પષ્ટ છે કે કરણ જોહર અને કાર્તિક આર્યન વચ્ચેની કોલ્ડ વોરનો અંત આવી ગયો છે.
આ પહેલા પણ બંને મેલબોર્ન ફિલ્મ ફેસ્ટિવલમાં સાથે જોવા મળ્યા હતા. બંને એક સ્ટેજ પર સાથે જોવા મળ્યા હતા, જ્યાં બંનેએ કહ્યું હતું કે તેઓ જલ્દી સાથે કામ કરી શકે છે. ત્યારથી એવી અટકળો ચાલી રહી હતી કે કાર્તિક આર્યન અને કરણ જોહર વચ્ચે all is well.
કાર્તિક આર્યનને જ્યારે ધર્મા પ્રોડક્શ્ન્સની કેટલીક ફિલ્મોમાંથી કાઢી નાખવામાં આવ્યો ત્યારથી બંને વચ્ચેના વિવાદના સમાચાર ચગ્યા હતા. આમાંની એક ફિલ્મ ‘દોસ્તાના 2’ હતી. આ ફિલ્મમાં જ્હાન્વી કપૂર પણ લીડ રોલમાં હતી. આ ફિલ્મ હજી સુધી શરૂ થઇ નથી. હવે જ્યારે કરન-કાર્તિક વચ્ચે બુચ્ચા થઇ ગયા છએ, ત્યારે આપણે આશા રાખીએ કે આપણને ‘દોસ્તાના 2’ જોવા મળે.
Unlocking Financial Freedom: Can a Lucky Flower Really Help?
Struggling with debt? Legend whispers of a red flower bringing financial blessings. Explore the truth behind this tale! Is it just folklore, or could a touch of luck be the key to unlocking your finan