Dhakad Girl Kangana પહોંચી એવા મંદિરમાં જ્યા કોઈ જતું નથી

ભારતમાં એવા ઘણા મંદિરો છે જે પોતાનામાં એક રહસ્ય ધરાવે છે. આ મંદિરોનો ઇતિહાસ અને વાર્તાઓ ખૂબ જ રસપ્રદ છે. આ મંદિરોમાંથી એક હિમાચલ પ્રદેશમાં આવેલું ચોરાસી મંદિર છે. આ મંદિરની વાત એટલે બહાર આવી કારણ કે આ મંદિરની મુલાકાત અભિનેત્રી અને મંડી લોકસભાની ઉમેદવાર કંગના રણૌટ આ મંદિરની મુલાકાતે ગઈ હતી.
ચૌરાસી મંદિર હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં ભરમૌરમાં આવેલું છે. આ મંદિર યમરાજનું એકમાત્ર મંદિર છે. જો લોકકથાઓનું માનીએ તો અહીં પ્રાચીન સમયથી એક શિવલિંગ છે. આ સિવાય મંદિરમાં એક રહસ્યમય ઓરડો છે જે ચિત્રગુપ્તનો હોવાનું માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, ચિત્રગુપ્ત વ્યક્તિના કાર્યો પર નજર રાખે છે.
માન્યતાઓ અનુસાર, જ્યારે પણ કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે, ત્યારે વ્યક્તિની આત્માને ચિત્રગુપ્ત સમક્ષ લાવવામાં આવે છે અને તેના કાર્યોનો હિસાબ આપવામાં આવે છે. રહસ્યમય રૂમની સામે એક ઓરડો છે જેને ધર્મરાજનો દરબાર કહે છે. આ રૂમમાં આત્માને સામે લાવવામાં આવે છે. આ કારણથી લોકો અહીં આવતા ડરે છે. જોકે પંગા ગર્લ કે ધાકડ ગર્લ કંગના ડરી નહીં અને અહીં આવી એટલે લોકોના ધ્યાનમાં આ મંદિર આવ્યું છે.
ભાઈ દૂજ નિમિત્તે આ મંદિરમાં ભીડ હોય છે. એવું માનવામાં આવે છે કે ભાઈ દૂજના દિવસે યમરાજ તેની બહેન યમુનાને મળવા આવે છે, તેથી તેને તેના ક્રોધથી બચાવવા માટે યમરાજની વિશેષ પૂજા કરવામાં આવે છે.
કંગના હિમાચલ પ્રદેશના પોતાના વતન મંડીથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહી છે અને પ્રચારમાં વ્યસ્ત છે.