Jaya Bachchan-Amitabh Bacchhanના સંબંધને લઈને થયો સ્ફોટક ખુલાસો, સાંભળીને પગ તળેથી… | મુંબઈ સમાચાર

Jaya Bachchan-Amitabh Bacchhanના સંબંધને લઈને થયો સ્ફોટક ખુલાસો, સાંભળીને પગ તળેથી…

બોલીવૂડના પાવરફૂલ અને પ્રેસ્ટિજિયસ ફેમિલી એટલે બચ્ચન પરિવાર. પરંતુ આ બચ્ચન પરિવાર છેલ્લાં કેટલાક સમયથી પારિવારિક વિખવાદ અને અણબનાવને કારણે ચર્ચામાં આવી રહ્યો છે. અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય-બચ્ચનના વણસેલા સંબંધો બાદ હવે અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) અને જયા બચ્ચન (Jaya Bachchan)ના સંબંધને લઈને પણ ચોંકાવનારો ખુલાસો થયો છે. આ ખુલાસો કર્યો છે નાઝિયા ઈલાહી નામની એક મહિલાએ. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ વાઈરલ થઈ રહ્યો છે. આવો જોઈએ શું છે આ સ્ફોટક ખુલાસો-

વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં નાઝિયા ઈલાહી અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનના સંબંધોને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. નાઝિયાએ આ વીડિયોમાં જણાવ્યું હતું કે જયા બચ્ચનને ભલે અમિતાભ બચ્ચન સાથે લગ્ન કર્યા હોય પણ અમિતાભ બચ્ચનનું દિલ તો રેખા પાસે જ છે. જયાજીને અમિતાભ બચ્ચનનું શરીર, સાથ તો મળ્યો પણ લાગણી, પ્રેમ, અહેસાસ તો બધુ રેખા માટે જ છે.

અમિતાભ બચ્ચન અને રેખાજીની લવ સ્ટોરીથી આપણે તમામ લોકો વાકેફ છીએ અને એટલા જ વાકેફ આપણે જયા બચ્ચન અને રેખાજી વચ્ચેના કોલ્ડ વોરથી પણ છીએ. જયા બચ્ચનને રેખા એક આંખ નથી ગમતી એનો અહેસાસ તો આજે વર્ષો બાદ પણ ક્યારેક કોઈત ઈવેન્ટ પર થઈ જ જાય છે.

ખેર, વાત કરીએ નાઝિયા ઈલાહીની તો નાઝિયા ઈલાહી નામની આ મહિલા દરેક મુદ્દા પર ખુલીને પોતાનો વિચારો વ્યક્ત કરે છે. આ પહેલાં પણ તેણે જયા બચ્ચન અને બચ્ચન પરિવાર પર અનેક વખત ટિપ્પણીઓ આપી છે. નાઝિયાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયો પર કેટલાક યુઝર્સ તેની વાત સાથે સહમત થઈ રહ્યા છે તો કેટલાક લોકો વળી કહી રહ્યા છે કે એ એમની પર્સનલ લાઈફ છે આપણે એના પર કમેન્ટ કરવાવાળા કોણ?

અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય-બચ્ચનના સંબંધોને લઈને પણ જાત જાતની વાતો અને અહેવાલો સામે આવી રહ્યા છે. ઐશ્વર્યા બચ્ચન પરિવારથી દૂર પોતાની દીકરી આરાધ્યા સાથે માતાના ઘરે રહે છે. એટલું જ નહીં જ કોઈ ઈવેન્ટ કે પબ્લિક અપિયરન્સ દરમિયાન પણ ઐશ્વર્યા અને બચ્ચન પરિવાર એકબીજાની અંતર રાખતા જોવા મળે છે. જોકે, આ બાબતે બચ્ચન પરિવાર દ્વારા કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. પરંતુ દાળમાં કંઈક કાળું ચોક્કસ છે એટલું તો કહી શકાય.

આ પણ વાંચો…કોણે કહ્યું હતું જયાજી સાથે લગ્ન કરવા માટે, જાણો કોણે પૂછ્યો અમિતાભ બચ્ચનને આવો સવાલ?

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button