મનોરંજન

હવે આ અભિનેત્રી પહોંચી કેદારનાથ

કપાળે ચંદન, માથે દુપટ્ટો ઓઢી કર્યા દર્શન

દહેરાદૂનઃ હમણાં જ આપણે વાંચી ગયા કે હિંદુઓની પવિત્ર ચારધામ યાત્રાએ છેલ્લા ઘણા વર્ષોના રેકોર્ડ તોડીને નવો રેકોર્ડ બનાવ્યો છે. આ વર્ષએ અત્યાર સુધીમાં આશરે 50 લાખ લોકો ચારધામના દર્શન કરી ચૂક્યા છે અને હજી તો ચારધામના મંદિરોના કપાટ બંધ થવાને એક મહિનાની વાર છે, તેથી આ વખતે ભક્તોની સંખ્યામાં રેકોર્ડ વધારો થશે.

ચારધામ યાત્રાના મહત્વપૂર્ણ ધામોમાં શામેલ 11માં જ્યોતિર્લિંગ કેદારનાથ ધામે બધા જ જુના રેકોર્ડ તોડીને સોમવારે નવો રેકોર્ડ કાયમ કર્યો છે. બાબા કેદારનાથના દર્શન માટે શ્રદ્ધાળુઓની સંખ્યા 17 લાખના પાર પહોંચી ગઈ છે. એવી આશા રાખવામાં આવે છે કે આ વર્ષે કેદારનાથ પહોંચનાર શ્રદ્ધાળુઓની સંખ્યા 20 લાખને પાર પહોંચી શકે છે.


એવામાં જાણવા મળ્યું છે કે બોલિવુડ અભિનેત્રી જેક્લીન ફર્નાડીઝ પણ સોમવારે કેદારનાથમાં દર્શન માટે પહોંચી હતી. લલાટે ચંદન, માથે દુપટ્ટો ઓઢીને અભિનેત્રીએ ભગવાન કેદારનાથના દર્શન કર્યા હતા. હાલમાં કેદારનાથમાં ભારે હિમવર્ષા થઇ રહી છે, પણ આવી હાડ થીજાવતી ઠંડીમાં પણ અભિનેત્રી કેદારનાથના દર્શને ગઇ હતી. ભગવાનના દર્શન કર્યા બાદ તેના મુખ પર અલૌકિક ખુશી જોવા મળી રહી હતી.

પીએમ નરેન્દ્ર મોદીની કેદારનાથ મુલાકાત આ ધામ જાણીતી હસ્તીઓમાં ઘણી લોકપ્રિયતા પામ્યું છે. હાલમાં જ દેશના અબજોપતિ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી તેમના પરિવાર સાથે ચારધામની મુલાકાતે આવ્યા હતા અને તેમણે પવિત્ર ધામને કરોડો રૂપિયાનું દાન પણ કર્યું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ