મનોરંજન

ગુજરાતી ફિલ્મસ્ટાર્સ મલ્હાર અને પૂજાએ આપ્યા સારા સમાચાર

ગુજરાતી ફિલ્મ સ્ટાર મલ્હાર ઠક્કર અને પૂજા જોષીએ ફેમિલી અને ફેન્સને સારા સમાચાર આપ્યા છે. 2024માં લગ્નના બંધને બંધાયેલી આ જોડીએ ઘરમાં આવનારા નવા મહેમાનની જાણકારી સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આપી છે.

પૂજાએ ઈન્સ્ટા અકાઉન્ટ પર ઈમોશનલ પોસ્ટ શેર કરી છે અને પોતે પ્રેગનન્ટ હોવાનું જણાવ્યું છે. મલ્હાર અને પૂજા વેબ સિરિઝ વાત વાતમાંના સેટ પર મળ્યા હતા અને રિલ લાઈફની જોડીએ રિયલ લાઈફમાં પણ એકબીજાનો સાથ પસંદ કરતા 26 નવેમ્બર, 2024ના રોજ અમદાવાદ ખાતે લગ્નના બંધને બંધાયા હતા.

બન્ને દંપતીના ઘેર પારણું બંધાવાના સમાચાર બાદ ફેન્સ અને ફિલ્મજગતના મિત્રોએ બન્નેને વધામાણા આપી રહ્યા છે.

આ પણ વાંચો -‏‏‎ અનુપમાના સેટ પર આગઃ ફિલ્મનગરીમાં પણ પાયાની સુવિધાઓનો અભાવ, કલાકારો પણ નથી સુરક્ષિત

મલ્હારની તાજેતરમાં આવેલી બે ફિલ્મ ઑલ ધ બેસ્ટ પંડ્યા અને જય માતાજી લેસ્ટ રૉક થિયેટરોમાં સારો પ્રતિસાદ મેળવી શકી છે. જ્યારે પૂજા જોષી છેલ્લે જલસો ફિલ્મમાં જોવા મળી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.
Back to top button