દૃશ્યમ-3ની જાહેરાતઃ ફરી આવશે વિજય સલગાંવકર બનીને અજય દેવગન કે…

પોતાની દત્તક લીધેલી દીકરીને એક ડીઆઈજીનો દીકરો બ્લેકમેલ કરે છે અને તેનું દીકરી અને પત્ની અજાણતા જ ઢીમ ઢાળી દે છે. ત્યારબાદ ચાર ચોપડી પાસ કેબલ ઑપરેટર વિજય સલગાંવકર જે રીતે પરિવારને બચાવે છે, તે વાર્તા આજે પણ લોકોને યાદ છે. આ વાર્તા મૂળ તો મોહનલાલની મલ્યાલમ ફિલ્મ દૃશ્યમની છે, જેને હિન્દીમાં પણ આ નામે બનાવવામાં આવી અને લોકોને ખૂબ ગમી. ત્યારબાદ આ ફિલ્મનો બીજો ભાગ પણ બન્યો, તે પણ સફળ રહ્યો. પહેલા ફિલ્મ 2015માં આવી અને પછી 2022માં બીજો ભાગ આવ્યો. આ બન્ને હીટ ગયા બાદ ત્રીજો ભાગ આવશે કે કેમ તે મામલે ઘણી તર્ક-વિતર્ક હતા.
અગાઉ મોહનલાલે એવી જાહેરાત કરી હતી કે તેમની દૃશ્યમ-3ની હિન્દી એડિશન પણ સાથે સાથે રિલિઝ થશે, જો આમ થાય તો અજયની ફિલ્મને મોટો ફટકો પડે અથવા ફિલ્મ બનાવવાની જરૂર જ ન રહે. દૃશ્યમ-1 અને 2ની સ્ટોરી ખબર હોવા છતાં લોકોએ અજયની ફિલ્મ જોઈ હતી કારણ કે હિન્દીમાં ન હતી બની. જોકે હવે ત્રીજા ભાગ માટે પણ સારા સમાચાર આવ્યા છે. મોહનલાલ હિન્દી ફિલ્મ નહીં બનાવે આથી ફરી અજય દેવગન વિજય સલગાંવકરની ભૂમિકામાં જોવા મળશે, તેમ ફિલ્મના નિર્માતા મંગત પાઠકે જાહેરાત કરી દીધીન છે. ફિલ્મના નિર્દેશક અભિષેક પાઠક જ રહેશે.
આપણ વાંચો: સેબીએ બોલિવૂડ એક્ટર અરશદ વારસી અને તેમની પત્ની પર એક વર્ષનો પ્રતિબંધ મૂક્યો
સૂત્રના જણાવ્યા અનુસાર, ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યું છે. દ્રશ્યમ-3નું શૂટિંગ શરૂ કરતા પહેલા, અજય દે દે પ્યાર દે 2, ધમાલ 4 અને રેન્જરનું શૂટિંગ પૂર્ણ કરશે. દે દે પ્યાર દે-2નું શૂટિંગ ઘણા સમયથી ચાલી રહ્યું છે. ત્યારબાદ ધમાલ-4નું શૂટિંગ થશે. અજય આ વર્ષના અંત સુધી આ ફિલ્મોમાં ખૂબ જ વ્યસ્ત રહેશે. ત્યારબાદ દૃશ્યમ-3ના શૂટિંગની શરૂઆત થઈ શકે છે.