“તું છે કોણ?” કરીના કપૂરે ગુસ્સામાં કોની સાથે આ રીતે કરી હતી વાત? જાણો સમગ્ર વિવાદ

મુંબઈ: કપૂર પરિવારનું ભારતીય સિનેજગતમાં બહું મોટું યોગદાન છે. પરિવારના દરેક સભ્યો બોલીવુડમાં કામ કરી ચૂક્યા છે. રણધીર કપૂરની દીકરી કરીના કપૂર પણ તે પૈકીની એક છે. રેફ્યુઝી ફિલ્મથી બોલીવુડમાં પ્રવેશેલી કરીના કપૂરે ક્યારેય પાછું વળીને જોયું નથી. પોતાના ફિલ્મી કારકિર્દી દરમિયાન તે કેટલીક બાબતોને લઈને ચર્ચામાં પણ રહી છે. એવી એક બાબત છે દીયા મિર્ઝા સાથે થયેલો ઝઘડો. એક કાર્યક્રમ દરમિયાન કરીના કપૂરે દિયા મિર્ઝા સાથે દુર્વ્યવહાર કર્યો હતો.
કરીના કપૂરે ન્હોતું કર્યું ડ્રેસ કોડનું પાલન
દિયા મિર્ઝાએ કરીના કપૂર સાથે થયેલા કડવા અનુભવનો પોતાના એક ઈન્ટરવ્યુમાં પણ ઉલ્લેખ કરેલો છે. આ કડવો અનુભવ તેઓને લખનઉ ખાતે સહારા ગૃપ દ્વારા યોજેલા એક કાર્યક્રમ દરમિયાન થયો હતો. દિયા મિર્ઝાએ ઈન્ટરવ્યુમાં કાર્યક્રમના તે પ્રસંગ ટાંકીને જણાવ્યું છે કે, “આ કાર્યક્રમમાં મારી સાથે કરીના કપૂર, નમ્રતા શિરોડકર અને ઉર્મિલા માતોડકર પણ હતા. અમને ડ્રેસ કોડમાં રાષ્ટ્ર ધ્વજ સાથે સુતરાઉ સલવાર કમીઝ પહેરવાનું કહેવામાં આવ્યું હતું. પરંતુ કરીના કપૂર ડ્રેસ કોડમાં જણાવેલા કપડાંને બદલે ઘરેણાં સાથે ભારે ભરખમ ઘાઘરો અને ચોલી પહેરવા ઈચ્છતી હતી. જે તેણે ખાસ તૈયાર કરાવ્યો હતો. આ જોઈને નમ્રતા નારાજ થઈ ગઈ હતી કે, કરીના ડ્રેસ કોડનું પાલન કેમ નથી કરી રહીં?”
કરીના કપૂરે કર્યો દિયા મિર્ઝા સાથે દુર્વ્યવહાર
આવા સંજોગોમાં દિયાએ નમ્રતાને કરીનાનો ડ્રેસ લઈને બહાર જવા કહ્યું હતું. ત્યારે કરીના અચાનક ગુસ્સામાં આવીને દિયા મિર્ઝાને બોલી કે, “તું છે કોણ? નમ્રતાને ઓર્ડર કે સલાહ આપનારી કે તેણે શું કરવું જોઈએ?” કરીનાના આવા વર્તનથી દિયા ચોંકી ગઈ હતી. કરીનાના દુર્વ્યવહારથી દિયા મિર્જાને ખોટું તો લાગ્યું હતું. પરંતુ તે શાંત રહી. તે કોઈપણ જવાબ આપ્યા વગર બહાર નીકળી ગઈ.
આ ઘટનાના અડઘા કલાક પછી માહોલ શાંત થઈ ગયો. કરીનાનો સેક્રેટરી જતીન દિયા મિર્ઝાના રૂમનો દરવાજો ખખડાવીને બોલ્યો કે, “કરીના જાણવા ઈચ્છે છે તમે તૈયાર છો કે નહીં”. થોડી મિનિટ બાદ કરીના દિયા સાથે એ રીતે વાત કરતી હતી કે જાણે કશું થયું જ ન હોય.
આ પણ વાંચો - કેટલો છે Anushka Sharma-Virat Kohli બોડીગાર્ડનો પગાર? મોટી મોટી કંપનીના સીઈઓ પણ…
દિયા મિર્ઝા અને કરીના કપૂરે કર્યું એકસાથે કામ
ઉપરોક્ત પ્રસંગ બાદ દિયા મિર્ઝાએ તારણ પર પહોંચી કે કરીના એક એવી મહિલા છે, જે ગુસ્સામાં કઈ પણ બોલી દે છે અને તેને એવું પણ નથી લાગતું કે તે ખોટી છે. ઉલ્લેખનીય છે કે, આ પ્રસંગ બાદ પણ બંને અભિનેત્રીઓએ સાથે કામ કર્યું છે. બંને રેડિયો મિર્ચીના ટોક શોમાં પણ સાથે જોવા મળી હતી. જેમાં તેમણે સોશિયલ મીડિયાની સાથોસાથ પોઝિટિવિટી કાયમ રાખવા જેવા પડકારો અંગે વાતચીત કરી હતી.