અક્ષય-પરેશ રાવલ બાદ દીપિકા અને સંદીપ વાંગા વચ્ચેનો વિવાદ વકર્યો…

હેરાફેરી-3 માટે બાબુરામ આપ્ટેનું પાત્ર કરવાની અભિનેતા પરેશ રાવલે ના પાડ્યા બાદ તેમના અને અક્ષય કુમાર વચ્ચે ખટરાગ વધ્યો છે અને આ મામલો કોર્ટમાં જવાની તૈયારીમાં છે. ત્યારે બીજો એક વિવાદ પણ બોલીવૂડમાં ચર્ચાનો વિષય બન્યો છે. કબીર અને એનિમલ ફિલ્મથી જાણીતા થયેલા અને વિવાદોમાં પણ રહેતા ડિરેક્ટર સંદીપ વાંગાની ફિલ્મ સ્પિરીટમાંથી દીપિકા પદુકોણ બહાર નીકળી છે અને તૃપ્તી ડીમરીને તેનાં સ્થાને સાઈન કરવામાં આવી છે.
આ ફિલ્મ મામલે દીપિકાએ પોતાના મત વ્યક્ત કરતા વાંગાને તકલીફ પડી છે અને તેણે એક પોસ્ટ લખી છે. જેમાં દીપિકાને સવાલ કર્યા છે કે એક તો તેણે ફિલ્મનો વિષય બહાર લાવી દીધો છે, જે એક કલાકારે ન કરવું જોઈએ. આ સાથે દીપિકાએ તૃપ્તી ડીમરીની આ ફિલ્મ સાઈન કરવા બાબત ટીપ્પણી કરી હતી. આથી સંદીપે એવો સવાલ કર્યો છે કે પોતાનાથી જૂનિયર હીરોઈનને આ રીતે નિરાશ કરવામાં દીપિકાએ કઈ ફેમિનિઝમ બતાવી રહી છે.
તો બીજી બાજુ એક ઈવેન્ટમાં દીપિકાએ અમુક વાતો એવી કહી છે જેને આ વિવાદ સાથે જોડવામાં આવે છે. દીપિકાએ જણાવ્યું હતું કે તે પ્રામાણિક રહી છું એટલે શાંતિથી જીવી શકીશ. તેણે એમ પણ કહ્યું કે હું જ્યારે મુંઝવણમાં હોઉ છું ત્યારે મારા અંતરઆત્માની વાત સાંભળું છું અને તે પ્રમાણે કરું છું. હવે આ બધા સેલિબ્રિટી વચ્ચે ક્યારે દોસ્તી ને ક્યારે દુશ્મની થાય તે આપણને ખબર ન પડે.