મનોરંજન

અભિષેક અને ઐશ્વર્યાના લગ્નજીવનમાં પડેલાં ભંગાણનું કારણ છે આ વ્યક્તિ?

બચ્ચન પરિવારમાં ચાલી રહેલી બબાલ કંઈ શાંત પડવાનું નામ નથી લઈ રહી. દરરોજ કોઈક નવા નવા કારણો અને વાતો સામે આવી રહી છે. એક તરફ જ્યાં અમિતાભ બચ્ચનના દોહિત્ર અગત્સ્ય નંદાએ જોયા અખ્તરની ફિલ્મ ધ આર્ચીઝથી ફિલ્મ ઈન્ડસ્ડ્રીમાં ડેબ્યુ કર્યું છે ત્યાં બીજી બાજું બચ્ચન પરિવારમાં ચાલી રહેલાં ક્લેશને કારણે પણ પરિવારમાં લાઈમલાઈટમાં રહે છે.

હવે આ જ અનુસંધાનમાં મહત્ત્વના માહિતી સામે આવી રહી છે અને આ માહિતી છે કે ટૂંક સમયમાં જ અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન છુટાછેડા લઈ શકે છે. અંદર કી બાત પર વિશ્વાસ કરીએ બચ્ચન પરિવારમાં છેલ્લાં કેટલાય દિવસથી વિવાદો અને ખટપટ તચાલી રહી છે અને આ જ કારણે ઐશ્વર્યા પણ પોતાના સાસરિયે રહેવા કરતાં પિયરમાં રહેવાનું વધારે પસંદ કરે છે.


વચ્ચે તો એવા રિપોર્ટ્સ પણ સામે આવ્યા હતા કે બિગ બીની 3000 કરોડ રૂપિયાની પ્રોપર્ટી તેમના સંતાનો અભિષેક અને શ્વેતાની વચ્ચે વહેંચવાનું સૂચન પણ બિગ બીને આપવામાં આવ્યું હતું અને એને કારણે જ આ બધી પળોજણ શરૂ થઈ છે. અંદરખાને તો આ બધું લાંબા સમયથી ચાલી રહ્યું હતું, પરંતુ આ લિવિંગ રૂમની આ વાત ટોક ઓફ ધ ટાઉન ત્યારે બની જ્યારે બિગ બીએ પોતાનો પ્રતીક્ષા બંગલો દીકરી શ્વેતા બચ્ચનને ભેટમાં આપી દીધો હતો.


એવું કહેવાઈ રહ્યું છે કે ઐશ્વર્યા આ જ વાતને કારણે પોતાના સાસુ-સસરાથી નારાજ થઈ ગઈ હતી અને પોતાના પિયર જતી રહી હતી. એટલે એવું અનુમાન પણ લગાવવામાં આવી રહ્યું છે કે ઐશ્વર્યા અને અભિષેકના છુટાછેડાનું કારણ બિગ બી બની શકે છે. આમાં કેટલું સાચું ખોટું તો ઘરમાં રહેતાં લોકો જ જાણે, પણ બચ્ચન પરિવારની આ ઘરની લડાઈ ચોક સુધી પહોંચી ગઈ છે એ વાત તો સાચી…

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો