મનોરંજન

Bollywood કોઈના બાપનું નથીઃ વિદ્યા બાલને કેમ બતાવ્યા તીખાં તેવર

નેપોટિઝમ બોલીવૂડનો હંમેશાંથી ચર્ચાતો આવેલો મુદ્દો છે ત્યારે આ મુદ્દે અભિનેત્રી વિદ્યા બાલને તીખાં તેવર બતાવ્યા છે. એક ઈન્ટરવ્યુમાં વિદ્યાએ નેપોટિઝમ વિસે વાત કરતા જણાવ્યું હતું કે નેપોટિઝમ હોય કે ન હોય, હું અહીંયા છું. ફિલ્મ ઈન્ડસ્ટ્રી કોઈના બાપની નથી. જો આમ હોત તો દરેક બાપનો દીકરો કે દીકરી સફળ કલાકાર હોત.

વિદ્યાએ ફિલ્મ પ્રોડ્યુસર સિદ્ધાર્થ રોય કપૂર સાથે લગ્ન કર્યા છે. પોતાના ડેટિંગના દિવસોને યાદ કરતા વિદ્યાએ કહ્યું કે તે સમયે પાપારાઝીનો ટ્રેન્ડ હમણાં જ શરૂ થયો હતો અને હું નહોતી ઈચ્છતી કે અમારા સંબંધોનો પર્દાફાશ થાય, મને હજુ પણ યાદ છે કે પહેલી ડેટ કારમાં હતી, અમે કારમાં જ ફરતા હતા. અમે ત્યાં રહેતા હતા, તે ક્ષણ ખૂબ જ સુંદર હતી. અમે અમારો અફેર બને ત્યાં સુધી લોકો સામે ન આવે તેનુ ઘ્યાન રાખ્યુ હતું.

ડર્ટી ફિલ્મની આ સ્ટાર ફરી ભૂલ ભૂલૈયાની મંજૂલિકા તરીકે દર્શકોને જોવા મળશે. જોકે તેણે ભૂલ ભૂલૈયાના એ દિવસો યાદ કરતા કહ્યું હતું કે મેં તે સ્ક્રીપ્ટ જોયા વિના જ સાઈન કરી હતી. હાલમાં તેની ફિલ્મ દો ઔર દો પ્યારને લીધે પણ ચર્ચામાં છે. આ ફિલ્મ લગ્નેત્તર સંબંધો પર આધારિત છે. પ્રતીક ગાંધી, ઈલ્યાના ડિક્રૂઝ, સેંધિલ રામામૂર્તિ પણ વિદ્યા સાથે દેખાશે. આ ફિલ્મ 19મીએ રીલિઝ થશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો