મનોરંજન

જાણીતી અભિનેત્રીએ દુનિયાને કહ્યું અલવિદા,

ઈન્ડસ્ટ્રી પર તૂટ્યો દુઃખોનો પહાડ

મનોરંજન જગતમાંથી દરરોજ કોઈને કોઈ દુઃખદ સમાચાર બહાર આવે છે. હવે તાજેતરમાં જ ટીવી ઈન્ડસ્ટ્રીના વધુ એક દુઃખદ સમાચારે ચાહકોના દિલ તોડી નાખ્યા છે. ‘સાથ નિભાના સાથિયા’ અભિનેત્રી અપર્ણા કાણેકરનું નિધન થયું છે. તેમના અવસાનથી ટીવી ઈન્ડસ્ટ્રીના લોકોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. અભિનેત્રી અપર્ણા કાણેકરે 83 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે. અભિનેત્રીએ ‘સાથ નિભાના સાથિયા’માં જાનકી બા મોદીની ભૂમિકા ભજવી હતી.

અભિનેત્રીના નિધનથી ચાહકો અને સેલેબ્સ ખૂબ જ આઘાતમાં છે અને તેઓ તેમના નિધન પર શોક વ્યક્ત કરી રહ્યા છે. સાથ નિભયા સાથિયાની સમગ્ર ટીમ અને શોની અભિનેત્રી લવલી સાસને તેના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને અભિનેત્રીને શ્રદ્ધાંજલિ આપી છે. આ ફોટોમાં તે અપર્ણા પર પ્રેમ વરસાવતી જોવા મળી રહી છે.

ફોટોની સાથે લવલીએ ઈમોશનલ કેપ્શન પણ લખ્યું છે. આમાં તેણે લખ્યું છે કે – “મારું હૃદય આજે ખૂબ જ ભારે થઈ રહ્યું છે. મને ખબર પડી છે કે એક ખૂબ જ ખાસ વ્યક્તિનું નિધન થયું છે. બા, તમે ખૂબ જ સુંદર અને મજબૂત વ્યક્તિ હતા. હું તમને અંદરથી ઓળખું છું. હું તમારી ખૂબ ખૂબ આભારી છું. આપણે સેટ પર ઘણો સમય સાથે વિતાવ્યો હતો. આપણે એક બંધન બાંધ્યું. મારી બા તમે શાંતિથી આરામ કરો. તમે હંમેશા યાદ રહેશો.”

નોંધનીય છે કે અપર્ણાએ અપર્ણાએ ‘સાથ નિભયા સાથિયા’માં બાનું પાત્ર ભજવ્યું હતું. તેમણે આ શોમાં જ્યોત્સના કરરેકરને રિપ્લેસ કર્યા હતા. અપર્ણાના પાત્રને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો હતો. આ સિવાય અપર્ણાએ શોની સ્ટાર કાસ્ટ સાથે પણ ખૂબ જ સારું બોન્ડ શેર કર્યું હતું. બધા તેમને ખૂબ પસંદ કરતા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો