આ તારીખે સિનેમાઘરોમાં દસ્તક આપશે દ્રશ્યમ 3, નિર્માતાઓ સત્તાવાર રીતે કરી જાહેરાત…

મુંબઈઃ બોલિવુડ અભિનેતા અજય દેવગણ (Ajay Devgn)ની બ્લોકબસ્ટર ફ્રેન્ચાઈઝી ફિલ્મ ‘દ્રશ્યમ’ના ત્રીજા ભાગ અંગે મહત્વની સમાચાર આવ્યાં છે. સોશિયલ મીડિયામાં અત્યારે લોકો ચર્ચા કરી રહ્યાં છે, દ્રશ્યમ (Drishyam)નો ત્રીજો ભાગ ક્યારે આવે છે? પરંતુ હવે ચાહકોને વધારે રાહ જોવાની જરૂર નથી કારણે કે, મેકર્સ દ્વારા હવે સત્તાવાર રીતે ફિલ્મની જાહેરાત કરી દેવામા આવી છે. અજય દેવગન અને પેનોરમા સ્ટુડિયો (Panorama Studios)એ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં ‘દ્રશ્યમ 3’ (Drishyam 3) ની પુષ્ટિ કરવામાં આવી છે. જેથી આ પોસ્ટ જોઈને ચાહકોમાં ખૂબ જ ખૂશી જોવા મળી રહી છે.
‘દ્રશ્યમ 3’ ના નિર્માતા પેનોરમા સ્ટુડિયોએ તેના સત્તાવાર જાહેરાત કરી
નિર્માતાઓએ ફિલ્મની રિલિઝ તારીખ અંગે પણ અપડેટ આપી છે. અજય દેવગણ ફરી એકવાર વિજય સાલગાંવકર (Vijay Salgaokar) તરીકે સિનેમાઘરોમાં ધૂમ મચાવવા માટે આવી રહ્યો છે, જેથી ચાહકોમાં ખુશીનો પાર રહ્યો નથી. ફિલ્મની રિલિઝ તારીખની વાત કરવામાં આવે તો, ‘દ્રશ્યમ 3’ ના નિર્માતા પેનોરમા સ્ટુડિયોએ તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. પોસ્ટ પ્રમાણે અભિષેક પાઠકની ફેમિલી થ્રિલર ફિલ્મ દ્રશ્યમ 3 આગામી 2 ઓક્ટોબર 2026ના રોજ ગાંધીજયંતીએ સિનેમાઘરોમાં દસ્તક દેવાની છે. મહત્વની વાત એ પણ છે કે, 2 ઓક્ટેબર તારીખ એવી છે જેના પર આ ફિલ્મની આખી કહાણી રચાઈ છે.
2 ઓક્ટોબર 2026 ના રોજ સિનેમાઘરોમાં આવશે વિજય સાલગાંવકર
આ પહેલા સોશિયલ મીડિયામાં એવી અનેક પોસ્ટ થઈ હતી જેમાં ચાહકોએ લખ્યું હતું કે, ‘દ્રશ્યમ 3’ રિલિઝ થવા જઈ રહી છે. હવે નિર્માતાઓ ‘દ્રશ્યમ 3’ આવતા વર્ષે ગાંધી જયંતિ નિમિત્તે 2 ઓક્ટોબર 2026 ના રોજ સિનેમાઘરો રિલિઝ કરવાની જાહેરાત કરી છે. જેથી તે અફવાઓને મેકર્સ દ્વારા પુષ્ટિ કરી દેવામા આવી છે. હવે જોવાનું એ રહે છે કે, આ ફિલ્મ કમાણી કેવી કરે છે. આગળની બન્ને ફિલ્મોએ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી.
શું દ્રશ્યમ 3 ફિલ્મ બોક્સ ઓફિસ પર કમાલ કરી શકશે?
ચાહકો અત્યારે ‘દ્રશ્યમ 3’ ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અજય દેવગનની ‘દ્રશ્યમ’ વર્ષ 2015માં રિલિઝ થઈ હતી. આ પછી 2022માં ‘દ્રશ્યમ 2’ રિલિઝ થઈ હતી. જેણે વિશ્વભરમાં બોક્સ ઓફિસ પર 342.31 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જેથી આ ત્રીજો ભાગ પણ ચાલશે એવી મેકર્સ આશા સેવી રહ્યાં છે. મહત્વની વાત એ પણ છે કે, આ ફિલ્મ પહેલા મોહનલાલે મલયાલમ ભાષામાં બનાવી હતી. પરંતુ તેનું હિન્દીમાં નહોતી એટલા માટે અજયની ફિલ્મ ચાલી હતી. હવે મોહનલાલ દ્રશ્યમનો આગામી ભાગ હિન્દી ફિલ્મ નહીં બનાવે આથી ફરી અજય દેવગન વિજય સલગાંવકરની ભૂમિકામાં જોવા મળશે.
આપણ વાંચો : દીપિકા પદૂકોણની આઠ કલાકની શિફ્ટ પર Ajay Devgan-Kajolએ કહ્યું ઈન્ડસ્ટ્રીમાં…