મનોરંજન

આખરે એક્ટ્રેસ ઉર્મિલાના માંગના સિંદૂર અને પ્રેમની થઈ જિત, બે વર્ષે મળ્યો પત્નીનો દરજ્જો…

ફિલ્મી લાગે એવા આ સમાચાર કોઈ શાનદાર બ્લોકબસ્ટ ફિલ્મનો પ્લોટ નહીં પણ રિયલ લાઈફ સ્ટોરી છે. આપણે ત્યાં એવું કહેવાય છે કે પ્રેમમાં ખૂબ તાકાત હોય છે અને તેને કોઈ હરાવી શકે એમ નથી આજે અમે અહીં આવી જ એક સ્ટોરી વિશે જણાવવા જઈ રહ્યા છે. ફિલ્મ એક્ટ્રેસ ઉર્મિલા સનાવર અને જ્વાલાપુરના ભૂતપૂર્વ વિધાન સભ્ય સુરેશ રાઠોરનું અફેયર હતું, પરંતુ રાજકીય કારણોસર વિધાનસભ્ય આ સચ્ચાઈનો સ્વીકાર કરી શક્યા નહીં અને છેલ્લાં બે વર્ષથી સોશિયલ મીડિયા પર આ પ્રેમ કહાનીની ખૂબ જ જોરશોરથી ચર્ચા ચાલી રહી હતી. પરંતુ આખરે આ લડાઈમાં ઉર્મિલાની જિત થઈ છે… ચાલો જોઈએ શું છે આખો મામલો…

ઉર્મિલાની માંગમાં પૂરાયેલા સિંદૂરે ઉર્મિલાને જિત અપાવી અને આખરે ભૂતપૂર્વ વિધાનસભ્ય સુરેશ રાઠોડે જાહેરમાં પોતાની પત્ની તરીકે સ્વીકારી હતી. પ્રેમ આંધળો નથી હોતો પણ તેમાં રહેલી જિદ અને જીતવાની શક્તિ પણ હોય છે. સહારનપુરમાં પ્રેસ કોન્ફરન્સમાં ઉર્મિલાને તેનો હક આપીને આ મામલાને રફેદફે કરી નાખ્યો હતો.

આ ફોટોમાં ઉર્મિલા સનાવરના કપાળ પર ચાંદલો, સિંદૂર અને સ્મિત પરથી જ અંદાજો લગાવી શકાય છે કે તે આ કેસથી કેટલી ખુશ થઈ છે. તે એક નવવધુની જેમ તૈયાર થઈને પ્રેસ કોન્ફરન્સ માટે પહોંચી હતી. રાઠોડ પરિવારે પણ આ સંબંધો પર મંજૂરીની મહોર મારી દીધી છે. સુરેશ રાઠોડે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે મારા પરિવારે ઉર્મિલાને સ્વીકારી લીધી છે અને હવે કોઈ વિવાદ નથી. ઉર્મિલાના પ્રેમ સામે હું ઝૂકી ગયો છું અને ઉર્મિલા જિતી ગઈ છે. હવે તે મારા પરિવારનો હિસ્સો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સુરેશ રાઠોડ પહેલાંથી જ પરિણિત છે અને તેમના આ સંબંધને લઈને પરિવારમાં નારાજગી જોવા મળી રહી હતી. એમાં પણ જ્યારથી આ મામલો સમાચાર અને સોશિયલ મીડિયા સુધી પહોંચી ગયો ત્યારે તો આ લવ સ્ટોરીએ વિવાદનું સ્વરુપ ધારણ કરી લીધું હતું. સુરેશ ઉર્મિલા સાથેના સંબંધોને સ્વીકાર નહોતા કરી રહ્યા અને એને કારણે બંને વચ્ચે ખટરાગ પણ થયો.

આ પણ વાંચો -‏‏‎ હવે સોશિયલ મીડિયા પર આ સ્ટાર કિડની નશીલી આંખોની થઈ ચર્ચા…

આ સાથે જ સુરેશ રાઠોડે જણાવ્યું હતું કે કેટલાક લોકોએ ઉર્મિલા અને મારી વચ્ચે ગેરસમજણ ઊભી કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ હવે લોકો સમજી ગયા છે અને તેમણે પોતાનો આ નિર્ણય જાહેર કરી દીધો છે, પરંતુ ઉર્મિલા પણ પોતાના પ્રેમ માટે બે વર્ષ સુધી લડી હતી અને આખરે તેના સાચા પ્રેમની જિત થઈ હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.
Back to top button