ધર્મતેજ

વિષ્ણુની ઉપાસના કરનાર કેવી વ્યક્તિ ‘વૈષ્ણવજન’ કહેવાય?

‘વૈષ્ણવજન તો તેને રે કહીએ…’ પદ એ ગુજરાત અને ગુજરાતીના આદીકવિ નરસિંહ મહેતાએ રચેલું ભજન છે.

  • ઈસ્વીસનની ૧૫મી સદીમાં થઈ ગયેલા નરસિંહ મહેતા સૌરાષ્ટ્રના જૂનાગઢના રહેવાસી હતા અને નાગર બ્રાહ્મણ હતા.
  • કૃષ્ણભક્તિમાં તરબોળ નરસિંહ મહેતાએ અનેકાનેક પદો, ભજનો, પ્રભાતિયા વગેરેની રચના કરેલ અને આજે પણ દરેક ગુજરાતી ઘર અને મંદિરોમાં તેમનાં ભજનો- કાવ્યો ગવાય છે.
  • દરેક ભજનમંડળી કે સત્સંગમાં પણ નરસિંહ મહેતાની રચનાઓ આજે પણ લોકપ્રિય છે.
  • આપણા રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીજીનું એ સૌથી પ્રિય ભજન છે, અને બાપુએ આશ્રમ ભજનાવલીમાં તેનો સમાવેશ કરેલો.
  • ‘કુંવરબાઈનું મામેરું’, ‘મારી હૂંડી સ્વીકારો મહારાજ’ વગેરે જેવી અનેક નરસિંહ મહેતાની રચનાઓ આજે ૨૧મી સદીમાં ચંદ્ર પર પગલાં માંડી આવ્યાના જમાનામાં પણ એવી જ લોકપ્રિય છે જ્યારે બેલગાડીનો યુગ હતો!
  • વૈષ્ણવજન એટલે કે વિષ્ણુની ઉપાસના કરનાર ‘વૈષ્ણવ’ કેવો હોય છે અથવા કેવો વ્યક્તિ વૈષ્ણવજન કહેવાય તેનો આબેહૂબ ચિતાર આ સમગ્ર પદમાં કવિએ આપ્યો છે.
  • ક્રમબદ્ધ કાવ્યની પંક્તિઓ વાંચતા જઈએ તેમ તેમ કવિ તેનાં લક્ષણો કે ખાસિયતો જણાવતા જાય છે.
  • સમગ્ર રીતે જોઈએ તો પારકાની પીડા જાણી શકનાર,
  • બીજાનું ભલું કરે પણ તેનું અભિમાન ન કરનાર,
  • બીજાની નિંદા ન કરે તેવો,
  • નિર્મળ મનવાળો,
  • અસત્ય ન બોલે અને
  • પારકાની સ્ત્રીને માતાતુલ્ય માને,
  • લોભ,
  • કામ,
  • કપટ,
  • ક્રોધ જેવા દુર્ગુણો ના ધરાવતો વ્યક્તિ કવિના મતે વૈષ્ણવજન કહેવાય છે, અને
  • આવી વ્યક્તિ એ પોતે જ તીર્થરૂપ હોય છે, અને
  • જેના દર્શન કરવાથી આપણો પણ બેડો પાર થઈ જાય એમ કવિ માને છે.
    સંત સમાગમ
    જવલ્લેજ કોઈને વ્યક્તિગત મળતા, વિદેશમાં વસતા એક સંત મહાત્માએ આશીર્વાદ આપતા આ લખનારને લોકોમાં આદર- સન્માન મેળવવા ઉપદેશ આપ્યો કે, નાનામાં નાના માણસો સાથે ઘણાં જ પ્રેમ અને આદરપૂર્વક વર્તવું. નમીને ચાલવું, સૌ પર દયા કરવી, કોઈ કાંઈ બોલ્યું ચાલ્યું હોય તેનો ખાર ન રાખવો, પોતાની જાત પર કાબૂ રાખવો અને દિલ મોટું તથા હાથ છૂટો રાખવો.
    આ પ્રમાણે આપણે સૌએ પોતપોતાના ધર્મોના અસલ સિદ્ધાંતોનું આચરણ કરવું જોઈએ, કારણ કે સઘળા ધર્મોનું અસલ શિક્ષણ એક જ છે.
  • એ. વલિયાણી ઉ
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે… સપનામાં જોવા મળતી આ છ સફેદ વસ્તુઓ દેખાવી છે શુભ, સાંભળવા મળશે Good News Orryને ટક્કર આપવા અનંત-રાધિકાના લગ્નમાં પહોંચી આ ખાસ મહેમાન, Isha Ambaniએ કર્યું સ્વાગત…