ધર્મતેજ

આજે વૈકુંઠ ચતુર્દશીના દિવસે કરો આ ઉપાય

તમારા જીવનમાં ધન-સંપત્તિ જળવાઈ રહેશે

આજે કારતક માસની વૈકુંઠ ચતુર્દશી છે. આ દિવસે ભગવાન શિવ અને વિષ્ણુ મળ્યા હતા. એવી માન્યતા છે કે આ દિવસે વૈકુંઠના દરવાજા ખુલ્લા રહે છે. આ દિવસ ખાસ કરીને ભગવાન વિષ્ણુ અને શિવની પૂજા માટે છે. હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે આ દિવસે ભગવાન વિષ્ણુ અને મહાદેવ એકબીજાને મળે છે. તેથી જ આ દિવસને હરિ હર મિલનનો દિવસ કહેવામાં આવે છે.

ભગવાન વિષ્ણુ શિવના પરમ ભક્ત છે અને શિવ ભગવાન વિષ્ણુના પરમ ભક્ત છે. બંને વચ્ચે કોઈ ભેદ નથી અને જો કોઈ ભેદ કરે તો તે શાસ્ત્રો મુજબ પાપ ગણાય છે. વૈકુંઠ ચતુર્દશીના દિવસે કેટલાક ઉપાયો કરવાથી જીવનમાં ચાલી રહેલી તમામ સમસ્યાઓથી મુક્તિ મળી શકે છે અને ભગવાન નારાયણની કૃપાથી વ્યક્તિને હંમેશા ધનની કૃપા મળી શકે છે.

વૈકુંઠ ચતુર્દશી પર 108 દાણા તુલસીની માળાથી ભગવાન વિષ્ણુના નામનો જાપ કરવાથી લાભ થશે. આમ કરવાથી તમને જલ્દી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થશે. આ દિવસે જો તમે સાચા મનથી ભગવાન વિષ્ણુની પૂજા કરશો અને વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરશો તો તમારા જીવનમાં ચાલી રહેલી તમામ પરેશાનીઓ દૂર થઈ જશે.


વૈકુંઠ ચતુર્દશીના દિવસે તમારે ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવ બંનેની પૂજા કરવી જોઈએ.સાથે જ આ દિવસે ભગવાન વિષ્ણુને બેલના પાન અને ભગવાન શિવને તુલસીના પાન અર્પણ કરવા જોઈએ. એનાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે.


એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન વિષ્ણુએ ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે કાશીમાં ગંગા ઘાટના કિનારે દીવો પ્રગટાવ્યો હતો. આ દિવસે જે કોઈ તીર્થસ્થાન ઘાટ પર પવિત્ર નદી પાસે સાંજે દીપનું દાન કરે છે, તેના પર મહાદેવ સહિત ભગવાન વિષ્ણુના અપાર આશીર્વાદ વરસે છે અને તેનું જીવન દીપની જ્યોતની જેમ પ્રકાશમાન થઇ જાય છે.


એમ માનવામાં આવે છે કે આ દિવસે જે કોઈ ભગવાન વિષ્ણુને એક હજાર કમળના ફૂલ અર્પણ કરે છે અને તેમના મંત્રનો જાપ કરતી વખતે તેમને ફૂલ અર્પણ કરે છે, તેના માટે વૈકુંઠના દરવાજા કાયમ માટે ખુલી જાય છે.
જો તમે તમારા જીવનસાથી સાથેના સંબંધોમાં પ્રેમ, ઉષ્મા અને શાંતિ જાળવી રાખવા માગો છો તો આજે તમારે સ્વચ્છ પાણીમાં દૂધના થોડા ટીપાં, થોડું કેસર અને થોડાં ફૂલ નાખીને શિવલિંગ પર ચઢાવવા જોઇએ અને ‘ઓમ નમઃ શિવાય’ મંત્રનો 108 વાર જાપ કરવો જોઇએ.


શિવ મંદિરમાં જઈને સૌથી પહેલા શિવલિંગ પર પાણીનો અભિષેક કરો અને પછી ભગવાનને ધતુરા અને ભાંગ ચઢાવો. કનેરના ફૂલ પણ ચઢાવો. વૈકુંઠ ચતુર્દશીના દિવસે આમ કરવાથી તમારા જીવનમાં ધન અને ભૌતિક સુખની વૃદ્ધિ થશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…