
જેઠ માસની ભીમ અગિયારસ ગઈ કે પછી તરત જ વટસાવિત્રીનું વ્રત આવી ચડે. સાથે અનેક વ્રતો-પર્વો સાથેની વર્ષાૠતુનો પ્રા2ંભ થઈ જાય. સતી સાવિત્રીએ પોતાના પતિ સત્યવાનને પોતાના તપ અને સતના બળે પુનર્જીવિત કરેલો એ કથા આપણે સૌ જાણીએ છીએ.
લોક સમુદાય ક્યારેય ઉત્સવ વિના રહી શક્તો નથી. ચોતરફ અનેક પ્રકારની વિટંબણાઓથી ઘેરાયેલો માનવી પોતાની આધિ-વ્યાધિ-ઉપાધિ જેવી આપદાઓમાંથી થોડો સમય મુક્ત થવા કોઈને કોઈ રીતે આનંદ પ્રાપ્ત કરવાનો પ્રયાસ ર્ક્યા કરે છે, અને એટલે વિવિધ પ્રકારના ઉત્સવોનું આયોજન થતું હોય છે.
આપણી ભારતીય સંસ્કૃતિ ધર્મ સાથે જોડાયેલી છે તેથી આપણા બહુધા લોકઉત્સવો પણ ધર્મ અને ધાર્મિક સ્થાનકો-મંદિરો-તીર્થો કે ધાર્મિક તહેવારો સાથે જોડાયેલા છે. અનેક પ્રજાઓ, અનેક ભાષા, અનેક ધર્મ-પંથ- સંપ્રદાયોની વિવિધતા હોવા છતાં પર્વો અને ઉત્સવોમાં તો આપણી ભૂમિમાં સર્વત્ર એક્તા જોવા મળે. જીવનનો ઉલ્લાસ જન્મથી માંડીને મૃત્યુ સુધીના તમામ સામાજિક તબક્કાઓમાં વહેતો રહે એ માટેના સામાજિક ઉત્સવો પણ આપણે ત્યાં યોજાતા રહે છે. તો ૠતુ ૠતુના તહેવારો સાથે ઉત્સવઘેલી પ્રજા દ્વારા કોઈને કોઈ રીતે વ્રત-ઉપવાસ, વિધિવિધાનો, ક્રિયાકાંડો, સંગીત, નૃત્ય, નાટક, મેળાઓ, રમતો, હરીફાઈઓ..વગેરે દ્વારા મનો2ંજન મેળવવાના પ્રયાસો થતા રહે છે. ભા2તીય ચિંતનની ધારા અંધકારમાંથી પ્રકાશિત ઉજ્જવળતા તરફ પ્રવાહિત થતી રહી છે. ‘તમસો
મા જ્યોતિર્ગમય’ના નાદથી આપણા ૠષિ મુનિઓએ અજ્ઞાન,
અભાવ અને જડતાના અંધકારને દૂ2 કરવા આવા પર્વોની શરૂઆત
કરી છે.
જેઠ મહિનો પૂર્ણ થાય અને અષાઢ મહિનામાં ગુરુપૂર્ણિમાની સાથોસાથ દીકરીઓના અલૂણા ગૌરીવ્રતનો મહિમા પણ ઓછો નથી. દિવાસા સુધીના એ દિવસોમાં નારીવૃંદ દ્વારા જયાપાર્વતી અને અનેક વ્રતો ઉજવાતા રહે. સાથોસાથ લોકનૃત્યો, રાસ-રાસડાની રમઝટ પણ ગામડાંઓમાં
જામે.
સંગીતના વિવિધ તાલ હીંચ, હમચી, ટીટોડો,મણિયારો, હૂડો, હાજા, મુજબ હથેળીના તાલ(એકતાળી, ત્રણતાળી, સાતતાળી.), પગનો ઠેકો, હાથના હિલોળા, ટપ્પા, ડગલાં, મંડળ, ચોકડી, દોઢિયા, પંચિયા, સતિયા, અઠિંગો કે અઠિયા,બાિ2યા, સોળંગો, નમન, સલામી, ઉલાળિયા, બેઠક,ચકરી, ફૂદરડી જેવી લય અને તાલ સાથે જુદાં જુદાં ંંનામોથી ઓળખાતાં લોકનૃત્યો પ્રસ્તુત થતા રહે.
લોકસંસ્કૃતિના વિભિન્ન અંગો દ્વારા જ લોકજીવનમાં કૌટુંબિક, વ્યવહારિક, સામાજિક ને ધાર્મિક ઉત્સવો કે તહેવારોનું મહાત્મ્ય પ2ંપરિત રીતે સચવાતું આવ્યું છે. એમાં સમસ્ત માનવજાતનાં દુ:ખ દર્દો, હર્ષ-ઉલ્લાસ, ગમા-અણગમા, પ્રસન્ન દામ્પત્ય, વિ2હ ને મિલન, કજોડાનાં કલહ ને શોક્યના સાલ, વડાછડ ને મીઠો ઝઘડો, વેરણ ચાકરી, અબોલા, રૂસણાં- મનામણાં, સાસુ નણંદના ત્રાસ, ક્વળાં સાસરિયા, મેણાના મા2, તપ, ત્યાગ, શૌર્ય બલીદાન, ટેક માતૃત્વની ઝંખના, વરત-વરતુલા ને ભક્તિ… એમ અપા2 ભાવ સંક્રમણોનું વૈવિધ્ય ઘૂંટાતું
આવે છે.
રાસ, રાસડા, ગરબા, ગરબી, લગ્નગીતો, બાળગીતો, કથાગીતો, ગીતકથાઓ, લોકર્ક્તિનો, ઝીલણીયાં, વા2, તિથિ, મહિના, ભવાઈવેશો, ૠતુગીતો એમ પ્રકા2ભેદે જીવનનાં તમામ ક્ષેત્રોમાં લોકનૃત્યો એક સરખા વિહરતા રહ્યાં છે. એમાં શૃંગા2, વી2, ક2ુણ, હાસ્ય, અદ્ભુત, શાંત, વાત્સલ્ય અને ભક્તિરસની ધારાઓ એકમેકમાં ભળી જઈને જીવનરસ નિપજાવે છે. એક સામૂહિક ચેતનાની ભાવાભિવ્યક્તિ શબ્દ, સૂ2, લય, ભાવ, તાલ, નૃત્ય ને વાદન એમ જુદાં જુદાં અંગોને સાંકળીને કલાસ્વરૂપ ધારણ કરે છે ત્યારે એની માલિકી સમસ્ત જનસમુદાયની બની જાય છે. એમાં દરેક માનવીને પોતાના જ જીવન ધબકા2 સંભળાતા લાગે છે. આ દિવસોમાં આપણને સાંભળવા મળે-
રાધાજીના મંદિર નીચાં મોલ, ઝરૂખડે દીવા બળે રે લોલ…
રાધા ગોરી ગરબે રમવા આવો, સાહેલીયું ટોળે વળે રે લોલ…
*
આવી રૂડી અંજવાળી રાત, રાતે તે રમવા નીસર્યા રે માણાંરાજ…
રમ્યાં રમ્યાં કાંઈ પોર બે પોર, સાયબોજી તેડાં મોકલે રે માણાંરાજ…
*
શ2દ પૂનમની 2ાતડી રંગ ડોલરિયો, માતાજી રમવા મેલો રે રંગ ડોેલરિયો…
*
જોડ જોતાં તે જોડલું જડી ગિયું રે લોલ…કરમ આડેથી પાદડું ખસી ગિયું રે લોલ…
હવે થોડી રહી પ્રીત ઝાઝું બોલ્ય મા રે લોલ…ફળ પાક્યા વિનાનું કાચું તોડય મા રે લોલ…
*
ઝીણાં મોર બોલે છે લીલી નાઘે2માં, લીલી નાઘે2માં ને હિ2વનરાઈમાં…
*
મોરલો બોલ્યો બોલ્યો રે મારા મૈયરનો, મારા મૈયરનો રે મારા રે પિયરનો..
*
મારા હિરાગ2 મોરલા ડી જાજે…
ઢોલીડા ઢોલ રે વગાડય મારે હિંચ લેવી છે…
*
કે મું ને ઝાંપે રમવા મેલ્ય ભરવાડિયા ઝાલાવાડી ઢોલ તારો જાંજડ વાગે…
*
ચાંદો ઊગ્યો ચોકમાં ઘાયલ… ચાંદો ઊગ્યો ચોકમાં…