ધર્મતેજ

સત્સંગનો સંગ પારસમણિનું કામ કરે

આચમન -અનવર વલિયાણી

સત્સંગ એટલે જીવન જીવવા માટેનાં નીતિ-નિયમો, સત્યો, ઈશ્ર્વરની ઈચ્છાઓ તથા લક્ષ્મણરેખાઓ જાણતા હોવાનો દાવો કરનારાઓ સાથેનો સંગ!

  • સત્સંગથી ‘અંતરાત્માનો અવાજ’ સાંભળવાની, સમજવાની અને એ પ્રમાણે વર્તવાની દૃઢતા કેળવાય.
  • ઈશ્ર્વરના નિયમો અને કુદરતના કાનૂનો સમજાય.
  • સત્સંગથી સદ્બુદ્ધિ, વિવેકબુદ્ધિ અને પ્રેમબુદ્ધિ વધે.
  • સત્સંગના પવિત્ર તાપથી મન-હૃદય, બુદ્ધિનો કચરો બાળવામાં મદદ થાય.
  • સત્સંગથી પ્રસન્નતા અને
    સંતોષ મળે.
  • પ્રશ્ર્નોના ઉકેલ અંતરમનમાં જ પ્રગટે, આપણી ભૂલો, દોષો પણ દેખાય.
  • સત્સંગ
    ગુરુઓ, અંતરઆત્મા, ઈશ્ર્વર અને ગ્રંથ સાથે પણ થઈ શકે.
  • સત્ય તથા ઈશ્ર્વરીય નિયમો જાણનાર તથા ધીરજ, મીઠાશ અને રૂપકો સાથે સમજાવી શકનારના એકાદ-બે વાક્યો પણ જીવન બદલી શકે, -વાલિયામાંથી વાલ્મીકિ પણ બનાવી શકે.
    ઉદારતા, પ્રેમ, નમ્રતા, દયા, કરુણા, સંવેદનશીલતા વધે.
  • પોતા માટે પોતાના સમાજ તથા જગત માટે પોતે વધુ ઉપયોગી સેવા આપી શકે તે માટેની લાયકાતો (કેલીબર, સ્કીલ) વધારવા પર ધ્યાન જાય છે, માંગણવૃતિ ઘટવા પામે છે.
  • સત્સંગથી
  • નિર્ણયો લેવામાં,
  • ચુકાદાઓ આપવા માટે બુદ્ધિ અને હૃદયનું ત્રાજવું તથા દૃષ્ટિ વધુ ચોક્કસ થતાં જાય.
  • સત્સંગથી
  • ધ્યેય, મિશન સ્પષ્ટ થાય તથા દિશા અને દૃષ્ટિ મળે
    -સત્સંગ એટલે
  • ઊર્ધ્વગતિ તરફ લઈ જાય, પ્રેરે તેવાઓ સાથેનો સંગ.
  • સત્સંગ માટે ‘સાંભળવાની કળા’ લાયકાત કેળવવી જરૂરી
  • સત્સંગ પોતાને બદલવાની ક્રિયા છે, જે અહીં અમેરિકાના વિવિધ રાજ્યોમાં વસતા ગુજરાતી ભાષી યુવક–યુવતીઓની આવા કાર્યક્રમોમાં થતી હાજરીથી સ્પષ્ટ થવા પામે છે. સત્સંગનો મહિમા અપાર છે.
    -સત્સંગ કરવાથી
  • રિકતતા,
  • ગ્લાનિ,
  • લોભ, કંજૂસાઈ,
  • આળસ, દ્વેષ, રાગ, મોહ ઘટે છે અને ઘટે તો જ પાસ લાગ્યો કહેવાય, કચરો બળ્યો કહેવાય.
  • સત્સંગ
  • મેગ્નિફાઈંગ કાચ,
  • દૂરબીન,
  • માઈક્રોસ્કોપ અને
  • એક્સ-રે તથા
  • દર્પણનું કામ કરે છે.
  • સૂક્ષ્મ ભૂલો,
  • અવગુણોનો કચરો પણ બતાવે તથા ફિલ્ટરનું કાર્ય પણ કરે.
    -એવું નથી કે સત્સંગ સમૂહમાં, સાધુ, સંત કે શાહ-મહાત્માઓના યોજાતા કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને જ માણી શકાય! રોજ એકાદ કલાકનો સત્સંગ વાંચન, પ્રવચન, ચિંતન દ્વારા મેળવી શકીએ તો ઉત્તમ. પછી ભલે તે મોબાઈલ, ટેલિવિઝન, કૅસેટ કે કોઈપણ માધ્યમ દ્વારા હોઈ શકે.
    બોધ:
  • આર્થિક, રાજકીય, – કાયદાકીય, – શારીરિક વગેરે માટે કે
  • લૌકિક પ્રશ્ર્નો માટેની મીટિંગોને સત્સંગ ન કહેવાય, પણ એ બધા પ્રશ્ર્નોમાં રહેલી.
  • ઈશ્ર્વરની સલાહો,
  • ઈચ્છાઓ,
  • લક્ષ્મણરેખાઓ બાબતની જાણકારી અને જાગૃતતા સાથે વિવેકયુક્ત નિર્ણય અને વર્તન માટેની ચર્ચા-મીટિંગ તે સત્સંગ.
    -સત્સંગ ખરેખર પારસમણિનું કાર્ય કરી શકે છે.
Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત