ધર્મતેજ

શ્રીહરી, જો તમે પ્રસન્ન હોવ તો, સમસ્ત સંસારને ભૂલી પતિ તરીકે અમારી સાથે રહો એવું વરદાન માંગીએ છીએ

શિવ રહસ્ય -ભરત પટેલ

(ગતાંકથી ચાલુ)
શંખચૂડના વધ બાદ અસુરો પલાયન થઇ જાય છે. ભગવાન શિવ કૈલાસ તરફ, ભગવાન શ્રીહરિ વિષ્ણુ વૈકુંઠલોક અને બ્રહ્માજી બ્રહ્મલોક તરફ પ્રયાણ કરે છે. વૈકુંઠલોકમાં ભગવાન શ્રીહરિ પહોંચતાં જ માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને કહે છે, ‘સ્વામી હું જોઈ રહી છું કે મારા પિતા સમુદ્રદેવ ઘણા સમયથી નિરાશ થઈ ગયા છે, યોગ્ય ઉપાય જણાવો.’ભગવાન શ્રીહરિ વિષ્ણુ કહે છે, ‘દેવી લક્ષ્મી તમે એમને મળશો તો એમનું દુ:ખ અવશ્ય દૂર થશે.’ માતા પિતાને મળવા પહોંચી જાય છે. સમુદ્રદેવ કહે છે કે, ‘મંથન બાદ પ્રાપ્ત થયેલા રત્નો સ્વાર્થી દેવતાઓના હસ્તક ગયા છે અને તેઓ એનો દુરુપયોગ કરી રહ્યા છે. જો ભગવાન શિવે વિષનું પાન ન કર્યું હોત અને દેવતાઓમાં સમભાવે વહેંચી દીધું હોત તો સારું થાત, દેવતાઓને જ્ઞાત થાત કે વિષ સાથે રત્નોને કઈ રીતે સંભાળી શકાય. ફક્ત એટલું જ નહીં મને અપ્સરારૂપી મારી અન્ય પુત્રીઓના બાબતે પણ ઘણી ચિંતા છે. સુવેશા, સુકેશી, સમિચી, સુનેત્રા અને વેતા શ્રીહરિ વિષ્ણુને પોતાના પતિ તરીકે પામવા ઘોર તપસ્યા કરી રહી છે, જ્યારે શ્રીહરિ વિષ્ણુએે તમારું પાણીગ્રહણ કરી લીધું છે તો તેમણે શ્રીહરિ વિષ્ણુને પતિ તરીકે માનવાની શી જરૂરત છે.’ માતા લક્ષ્મી સમુદ્રદેવને પ્રણામ કરી ત્યાંથી વિદાય લે છે. વૈકુંઠલોક આવતાં શ્રીહરિ વિષ્ણુ માતા લક્ષ્મી પૂછે છે કે ‘હું તમને એક સવાલ પૂછવા માંગું છું કે તમે જ્યારે ધ્યાન ધરો છો ત્યારે તમારા હોઠ પર એક આનંદિત મુદ્રા દેખા દે છે એ શું દર્શાવે છે અને તમે કોની તપસ્યા કરો છો?’

ભગવાન શ્રીહરિ વિષ્ણુ: ‘દેવી તમે કેટલાય કલ્પોથી મારી અર્ધાંગિની તરીકે મારી સાથે છો, તો આ જિજ્ઞાસા શેની?’
માતા લક્ષ્મી: ‘હું તમારી પાસેથી જાણવા માગું છું કે અત્યાર તમે કોનું ધ્યાન કરતા હતા?’
ભગવાન શ્રીહરિ વિષ્ણુ: ‘દેવી અધિકાંશ સમય તમારું જ સ્મરણ કરતો હોઉં છું.’
માતા લક્ષ્મી: ‘અધિકાંશ એટલે… હંમેશા નથી કરતા? મારા પિતાશ્રીએ મને કહ્યું કે મારી પાંચેય બહેનો તમને પતિ માની પૂજતી રહી છે, ત્યારથી મારી વ્યાકુળતા વધી ગઈ છે. સાચું કહેજો સ્વામી કે એમના વિચારો તમારી સ્મિતનું કારણ તો નથી ને? મને વિશ્ર્વાસ અપાવો કે તમારા હૃદયમાં ફક્ત હું જ છું.’

ભગવાન શ્રીહરિ વિષ્ણુ: ‘દેવી તમારી વ્યાકુળતાને દૂર કરવા હું કેવી રીતે કહી દઉં કે મારા પૂર્ણ હૃદયમાં ફક્ત તમે જ છો. સત્ય તો એ છે કે મારા અડધા હૃદયમાં મહાદેવનો વાસ છે અને અન્ય ભાગમાં તમે પણ વિદ્યમાન છો.’
એજ સમયે પાંચેય બહેનોની તપસ્યાનો ધ્વનિ વૈકુંઠલોક સુધી પહોંચવા માંડે છે.


માતા લક્ષ્મી: ‘સ્વામી તમારા કહેવા પ્રમાણે મને એવું સમજાઈ રહ્યું છે કે તમારા હૃદયમાં મારા સિવાય પણ અન્ય લોકો વાસ કરી રહ્યા છે. મારે જાણવું છે કે આ લોકો કોણ છે?’
શ્રીહરિ વિષ્ણુ: ‘મહાદેવ સિવાય અડધા હૃદયમાં તમે, આ સંસાર અને તેમાં વસતા લોકો વાસ કરે છે.’
માતા લક્ષ્મી: ‘આ સંસાર મારું પણ છે તે છતાંય મારા હૃદયમાં ફક્ત તમારો વાસ છે, મેં અન્ય કોઈને સ્થાન આપ્યું નથી, તો તમે કઈ રીતે આપી શકો?’
શ્રીહરિ વિષ્ણુ: ‘પરંતુ આ વાત સત્ય છે કે મારા હૃદયમાં તમારી સાથે અન્ય સંસારવાસીઓ પણ છે.’
માતા લક્ષ્મી: ‘નહીં… હવે આ સત્યએ બદલાવું પડશે. તમારા હૃદયમાં ફક્ત મારો વાસ હશે.’

શ્રીહરિ વિષ્ણુ: ‘આ અસંભવ છે.’

શિવરાત્રી એટલે ચિંતનનો ઉત્સવ
એ એક હિન્દુ તહેવાર છે જે દિવસે ભગવાન શિવની શક્તિની ઉજવણી કરે છે. તે હિન્દુઓ માટે પ્રતિબિંબિત કરવાનો, વિનાશ અને પુનર્જીવન વચ્ચે ઉજવણી કરવાનો અને ભગવાન શિવ પાસેથી આશીર્વાદ મેળવવાનો દિવસ છે. આધ્યાત્મિક વિકાસ અને બોધ તરફ કામ કરવાનો પણ આ દિવસ છે. મહાશિવરાત્રી જીવન અને વિશ્ર્વમાં અંધકાર અને અજ્ઞાનને દૂર કરવાનો તહેવાર છે. આપણામાં રહેલા શિવને ઓળખવાનો છે.મહા શિવરાત્રીનો ઉલ્લેખ અનેક પુરાણોમાં કરવામાં આવ્યો છે, ખાસ કરીને સ્કંદ પુરાણ, િંલગ પુરાણ અને પદ્મ પુરાણ. આ મધ્યયુગીન યુગના શૈવ ગ્રંથો આ તહેવાર સાથે સંકળાયેલા વિવિધ સંસ્કરણો રજૂ કરે છે. ઋષિમુનીઓ માનતા હતા કે દૈવી સિદ્ધાંત દરેક વસ્તુની અંદર અને બહાર હાજર છે અને તે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે અનુભવી શકાય છે. તેઓએ માનવજાતના હિત માટે તેમની તપસ્યાને આગળ ધપાવી. તેઓને સત્ય સમજાયું કે દૈવી પ્રભાવશાળી વ્યક્તિ બાહ્ય અંધકારની બહાર છે અને, આ વાસ્તવિકતાનો અનુભવ કરીને, તેઓએ બધાને તેને શોધવા અને અનુભવવાનું આહ્વાન કર્યું. આ પ્રભાવશાળી પુરુષ તદ્દન નિસ્વાર્થ, પ્રકાશથી ભરપૂર, તમામ શુભ ગુણોના મૂર્ત સ્વરૂપ અને ગુણોથી મુક્ત છે. જેનો અર્થ થાય છે કે જે ત્રણ ગુણો (સત્ત્વ, રજસ, તમસ) થી પર છે અને તેથી તે એકદમ શુદ્ધ અને નિર્દોષ છે. તેમને શાશ્ર્વત, સર્વશક્તિમાન, સર્વવ્યાપી અને મહાન અને ભવ્યતાના માલિક તરીકે ગણવામાં આવતા હતા – દૈવીના છ સૂચકાંકો: સંપત્તિ, સચ્ચાઈ, ખ્યાતિ, બલિદાન, શાણપણ અને પ્રતિષ્ઠા.

ઋષિઓએ શોધી કાઢ્યું કે શિવ તેમનામાં આશ્રય લેનારાઓના રક્ષક પણ છે. તેથી, તેમને શંકરા કહેવામાં આવ્યા – જે રક્ષણ અને કૃપા આપે છે. તેમના સંકલ્પ (ઇચ્છા) અને કૃપાને કોઈ સીમા નથી અને તે કોઈ વ્યક્તિ, સ્થિતિ અથવા યોગ્યતા પર આધારિત નથી. તેથી તેમને સ્વયંભૂ (સ્વ-નિર્મિત) તરીકે વર્ણવવામાં આવ્યા હતા. ઋષિમુનિઓએ તેમની કલ્પના કરી કે જે મનુષ્યના રક્ષણ અને બચાવ અને ધર્મની રક્ષા માટે ઈચ્છાથી અવતાર લઈ શકે. આ દિવ્ય શક્તિને ધ્યાનમાં રાખીને, તેમને સમભાવ તરીકે વર્ણવવામાં આવ્યા હતા – જે જ્યારે પણ ધર્મનું પાલન (સદાચાર) જોખમમાં હોય ત્યારે અવતાર લે છે અને ભક્તોની રક્ષા કરે છે.

શિવ એ શુદ્ધ નિર્દોષ સત્ત્વ ગુણ છે. સમગ્ર બ્રહ્માંડ ત્રણ અવસ્થાઓ દ્વારા સંચાલિત છે: સૃષ્ટિ, સ્થિતિ અને લયમ (સર્જન, નિર્વાહ અને વિસર્જન). આ સત્ય કોઈપણ સમય કોઈપણ દ્વારા વિવાદની બહાર છે.

શિવને તમામ યોગીઓમાં પ્રથમ અને મહાન માનવામાં આવે છે. તે અભાવ છે (નસ્ત્રજે ક્યારેય જન્મતો નથીસ્ત્રસ્ત્ર), અને તે હંમેશા સમાધિમાં હોય છે, અથવા પરમાત્માના સંબંધમાં સમાઈ જાય છે. કારણ કે યોગનો અંતિમ હેતુ પરમાત્મા સાથે જોડાવાનો છે, શિવની તમામ ક્રિયાઓને યોગિક આસન તરીકે જોઈ શકાય છે.

આત્મિંચતન: મહાશિવરાત્રીએ આત્મનિરીક્ષણ અને િંચંતનનો સમય છે. તે લોકોને તેમના જીવનનો સ્ટોક લેવામાં અને નવા લક્ષ્યો નક્કી કરવામાં મદદ કરી શકે છે. આ પ્રક્રિયા અર્થ અને હેતુની સમજ આપી શકે છે, જે સારા માનસિક સ્વાસ્થ્ય માટે મહત્ત્વપૂર્ણ છે.

આંતરિક શાંતિ: મહાશિવરાત્રી વ્રતનું અવલોકન કરવાથી ભક્તોને આંતરિક શાંતિ અને આધ્યાત્મિકતા પ્રાપ્ત કરવામાં મદદ મળે છે. તે મન અને શરીરને શુદ્ધ કરવા અને નકારાત્મક વલણોને દૂર કરવામાં મદદ કરે છે.

સંબંધોને મજબૂત બનાવો: તમે મહાશિવરાત્રીની ઊર્જાનો ઉપયોગ હાલના સંબંધોને મજબૂત કરવા અને તમારા જીવનમાં સાચા આનંદ અને સંવાદિતાનો અનુભવ કરતા અટકાવતા અવરોધોને દૂર કરવા માટે કરી શકો છો.

જાગરણ: મહાશિવરાત્રીના દિવસે ચાર પ્રહરની પૂજા અર્ચના કરવાથી મનુષ્ય જીવન-મરણનાં ફેરાથી બહારથી જાય છે.

મહત્વ: આધ્યાત્મિક માર્ગે ચાલનારા સાધકો માટે મહાશિવરાત્રીનું ખૂબ મહત્ત્વ છે. જેઓ કૌટુંબિક પરિસ્થિતિમાં છે અને સાંસારિક મહત્ત્વાકાંક્ષાઓમાં મગ્ન છે તેમના માટે પણ તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. પારિવારિક પરિસ્થિતિઓમાં ડૂબેલા લોકો શિવના લગ્નના તહેવારની જેમ મહાશિવરાત્રીની ઉજવણી કરે છે. સાંસારિક મહત્ત્વાકાંક્ષાઓમાં ડૂબેલા લોકો મહાશિવરાત્રીને તેમના દુશ્મનો પર શિવના વિજયના દિવસ તરીકે ઉજવે છે. પરંતુ, આકાંક્ષીઓ માટે, તે દિવસ છે જે દિવસે તેઓ કૈલાશ પર્વત સાથે એક થયા હતા. તે પર્વતની જેમ સ્થિર અને ગતિહીન બની ગયો હતો. યોગિક પરંપરામાં, શિવને દેવતા તરીકે પૂજવામાં આવતા નથી. તેમને આદિ ગુરુ માનવામાં આવે છે,
મહાશિવરાત્રી માનવ જીવન સાથેનો સંબંધ : શિવનો શાબ્દિક અર્થ છે ‘જે નથી’. જે છે તે અસ્તિત્વ અને સર્જન છે. જે નથી તે શિવ છે. જો તમે તમારી આંખો ખોલો અને આસપાસ જુઓ અને તમારી પાસે વિવેકપૂર્ણ દ્રષ્ટિ હશે, તો તમે ઘણું બધું જોઈ શકશો. જો તમારી નજર માત્ર વિશાળ વસ્તુઓ તરફ જ જાય, તો તમે જોશો કે સૌથી મોટી શૂન્યતા એ અસ્તિત્વની સૌથી મોટી હાજરી છે. કેટલાક બિંદુઓ, જેને આપણે તારાવિશ્ર્વો કહીએ છીએ, તે દૃશ્યમાન છે, પરંતુ વિશાળ શૂન્યાવકાશ જે તેમને ધરાવે છે તે દરેકને દૃશ્યક્ષમ નથી. આ વિસ્તરણ, આ અનંત શૂન્યતા શિવ કહેવાય છે. અત્યારે આધુનિક વિજ્ઞાને પણ સાબિત કર્યું છે કે દરેક વસ્તુ શૂન્યમાંથી ઉત્પન્ન થાય છે અને શૂન્યમાં જ ઓગળી જાય છે. આ સંદર્ભમાં, શિવ એટલે કે વિશાળ શૂન્યતા અથવા શૂન્યતા મહાદેવ તરીકે ઓળખાય છે.

માતા લક્ષ્મી: ‘જગતના પાલનહારના મુખે અસંભવ શબ્દ સાંભળવો યોગ્ય નથી. મને તમારો પ્રેમ સંપૂર્ણ સ્વરૂપમાં જ જોઈએ છે, અને એ સંભવ ન હોય તો તમારા હૃદયમાંથી મને કાઢી નાંખો.’


પાંચેય બહેનોની તપસ્યાનો ધ્વનિ ત્રણેય લોક સુધી ગુંજી રહ્યો હતો, ભગવાન શ્રીહરિ વિષ્ણુએ તેમની પાસે પહોંચવું અનિવાર્ય હતું.

સુવેશા: ‘બહેનો મને લાગે છે કે આપણી ભક્તિમાં કંઈક ખોટ છે, શ્રીહરિ વિષ્ણુ નથી આવવાનાં. હવે વધુ જિવીત રહેવું યોગ્ય નથી. આપણે આ અગ્નિમાં સમાઈ જવું જોઈએ.

સુકેશી, સમિચી, સુનેત્રા અને વેતાને મોટી બહેન સુવેશાની વાત સાચી લાગે છે અને પાંચ બહેનો અગ્નિમાં પોતાની જાતને સમર્પિત કરવા તૈયાર થાય છે. એ જોઈ ભગવાન શ્રીહરિ વિષ્ણુ સુવેશા, સુકેશી, સમિચી, સુનેત્રા અને વેતા સમક્ષ ઉપસ્થિત થાય છે અને કહે છે:
ભગવાન શ્રીહરિ વિષ્ણુ: ‘થોભી જાઓ તમારે એવું કઈ કરવાની જરૂર નથી, હું પ્રસન્ન છું બોલો તમને શું વરદાન જોઈએ છે.

સુકેશી: ‘હે શ્રીહરી, જો તમે પ્રસન્ન હોવ તો, સમસ્ત સંસારને ભૂલી પતિ તરીકે અમારી સાથે રહો એવું વરદાન માંગીએ છીએ.’
ભગવાન શ્રીહરિ વિષ્ણુ: ‘તથાસ્તુ… હું આ જ ક્ષણથી સમસ્ત સંસારને ભૂલી જઈશ અને પતિ તરીકે તમારી સાથે રહીશ.’
તથાસ્તુ બોલતાં ભગવાન શ્રીહરિ વિષ્ણુ સંસારને ભૂલી જાય છે અને સુવેશા, સુકેશી, સમિચી, સુનેત્રા અને વેતા સાથે રહેવા માંડે છે.


કૈલાસ ખાતે ભગવાન શિવના મુખ પર વિષાદ ઘેરી વળતાં માતા પાર્વતી પૂછે છે
માતા પાર્વતી: ‘સ્વામી તમારા મુખ પર આ વિષાદની રેખા કેમ? તમારો કોઈ ભક્ત મુસિબતમાં છે?’

ભગવાન શિવ: ‘મારો ભક્ત નહીં પણ શ્રીહરિ વિષ્ણુ એક ચક્રવ્યૂહમાં ફસી ગયા છે. દેવી લક્ષ્મીની પાંચ બહેનો સુવેશા, સુકેશી, સમિચી, સુનેત્રા અને વેતાએ શ્રીહરિ વિષ્ણુ પાસેથી વરદાન પ્રાપ્ત કર્યું છે અને વરદાનમાં તેમણે શ્રીહરિ વિષ્ણુની સમસ્ત સંસારને ભૂલી ગયેલા પતિ તરીકે વરણી કરી છે.(ક્રમશ:)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ