ધર્મતેજ

થોડામાં સંતોષ બરકત આપેઅહિંસા પ્રાણીમાત્રના હૃદય પર રાજ કરે

આચમન -કબીર સી. લાલાણી

સુલતાના ચાંદબીબીના શાસનની એક કથા છે:
એક ગરીબ સ્ત્રીએ તેમના શ્રીમંત પાડોશી પર અડધો શેર દૂધ ઉછીનું લઈને પાછું નહીં આપ્યાનો આક્ષેપ કર્યો હતો.

  • પહેલી નજરે આ આરોપ હાસ્યાસ્પદ લાગે, કારણ
  • શ્રીમંતને ત્યાં કોઈ વાતની કમી નહોતી કે એ ગરીબને ત્યાંથી દૂધ ઉછીનું લાવે, પરંતુ
  • ચાંદબીબી વ્યવહારુ અને સમજદાર શાસનકર્તા હતા. એણે સીધીસાદી કસોટી રચી.
  • બંને સ્ત્રીને ચોક્કસ દિવસે દરબારમાં હાજર થવાનો હુકમ કર્યો.
  • ગોઠવણ એવી કરી કે બંનેના આવવાના માર્ગમાં કાદવ – કીચડ હોય જેથી પગ ગંદા થાય.
  • દરબારના પ્રવેશદ્વાર પાસે બે બાલદી અડધી પાણીથી ભરેલી હતી, ત્યાં પગ ધોઈને દરબારમાં દાખલ થવાનું હતું.
  • બંને સ્ત્રીઓ જે રીતે પગ ધોઈને અંદર આવી એનું નિરીક્ષણ કરીને સુલતાનાએ શ્રીમંત સ્ત્રીને હુકમ કર્યો:
  • આ ગરીબનું દૂધ પાછું આપી દે નહીંતર ગરીબને હેરાન કરવાના અને દરબારમાં જૂઠું બોલવાના એવા બે ગુના બદલ સજા કરીશ.
  • દરબારીઓને નવાઈ લાગી.
  • એ જોઈને સુલતાનાએ સ્પષ્ટતા કરી:
  • શ્રીમંત સ્ત્રીએ હજૂરિયા પાસે બે બાલદી વધુ પાણી માગ્યું અને એ પછી પણ એના પગ બરાબર સાફ થયા નથી. એ ચીજવસ્તુ વેડફે છે.
  • જ્યારે આ ગરીબ સ્ત્રીએ મેં મુકાવેલી અડધી બાલદી પાણીમાં પગ બરાબર સાફ કર્યા એ પછી પણ બાલદીમાં થોડું પાણી છે.
  • એટલે કે આ સ્ત્રી કરકસરમાં માને છે,
  • થોડામાં સંતોષ માને છે એટલે
  • એને ત્યાં બરકત છે.

આવો જ બોધ આપનારો એક બીજો પ્રસંગ પણ જાણવા જેવો છે:
સંત રાબિયાએ ઊંચા દરજજાની અહિંસા કેળવી હતી.

  • પ્રાણીમાત્ર પ્રત્યે તેમના માતૃહૃદયમાં અપાર મમતા હતી.
  • પોતાનો બધો સમય તે બંદગી (ઈશ્ર્વરના ધ્યાન)માં જ ગાળતી.
  • બંદગી (પ્રાર્થના)માં ખલેલ ન પડે એ માટે તે ગાઢ જંગલમાં જઈ બેસી જતી.
  • સંત હસન બસરી પણ ક્યારેક ક્યારેક જંગલમાં તેમને મળવા જતા. તેઓ પણ ઉચ્ચ દરજજાના સંત હતા.
  • એક વખત તેઓ રાબિયાને શોધતા શોધતા જંગલમાં પહોંચ્યા.
  • ત્યાં જોયું તો રાબિયા ધ્યાનસ્થ છે.
  • તેમની ચારેબાજુ જંગલી પ્રાણીઓ તેમને ઘેરી, પ્રેમભાવે ઊભાં છે!
  • હસનસાહેબને જોતાં જ પશુઓ ભયભીત થઈ ભાગી ગયા.
  • હસન સા’બ વિચારવા લાગ્યા અરે! મારા જેવા અહિંસકથી પણ આ પ્રાણીઓ ભાગે છે!
  • સંત હસને રાબિયાને પૂછયું, પ્રાણીઓ મને જોઈને ભાગ્યાં કેમ?
  • રાબિયાએ પૂછયું, આજે તમે શું ખાધું છે?
  • હસનસાહેબ બોલ્યા, ‘ગોશ્ત’ (માંસ)!
  • રાબિયાએ ખડખડાટ હસતાં કહ્યું, અરે હસનસા’બ! તમે ગોશ્ત ખાવ છો તો પછી આ બિચારા પ્રાણીઓ તમારાથી ભયભીત બનીને કેમ ન ભાગે?
    કબ્રસ્તાન સાથે આવેલા યમરાજને જોઈને તો ભલભલા ભડવીર પણ ભાગે, તો બિચારા પ્રાણીઓ ભાગે તેમાં તમને આશ્ર્ચર્ય થાય છે!’
    બોધ: અહિંસાના ભાવથી ભરેલું હૃદય પ્રાણીમાત્રના હૃદય પર રાજ
    કરે છે.

સનાતન સત્ય: એકાંતમાં કામને જીતે એ વીર છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…