ધર્મતેજ

અવતારલીલાનું સ્વરૂપ ભગવાન શ્રીરામ

જીવનનું અમૃત -ભાણદેવ

         (ગતાંકથી ચાલુ)

વનવાસનો સ્વીકાર, પરિવારજનો સાથેનો વ્યવહાર, ગુહરાજ, જટાયુ, શબરી આદિ સામાન્યજનો સાથેનો વ્યવહાર- આ સર્વ ઘટનાઓ દ્વારા સ્પષ્ટત: સિદ્ધ થાય છે કે ભગવાન શ્રીરામ પોતાની દિવ્યચેતનામાં ભગવાન છે અને સાથેસાથે પોતાની માનવચેતનામાં સંત પણ છે જ!

સંત અને અવતાર એક નથી, અને છતાં ક્વચિત્ અવતાર સંત પણ હોઇ શકે. ભગવાન શ્રીરામની જીવનલીલાથી સ્પષ્ટ થાય છે કે જીવનચેતનામાં તેઓ સંત પણ છે.

અહીં આ રામાવતારમાં ભગવાન અને સંત એકાકાર થઇ ગયા છે.

૮. ભગવાન શ્રીરામ શરણાગતવત્સલ છે.

ગુહરાજ, કેવટ, જટાયુ, શબરી, સુગ્રીવ આદિનો સ્વીકાર કર્યો જ છે. હનુમાનજી મહારાજ તો રામને શરણાગત થઇને રામમય બની ગયા છે.

આ સર્વ ઘટનાઓ તો સહજ સ્વાભાવિક છે, પરંતુ વિભીષણની શરણાગતિ અને વિભીષણનો સ્વીકાર – એ તો એક વિરલ ઘટના છે. વિભીષણની શરણાગતિ ભગવાન શ્રીરામ દ્વારા તેમનો સ્વીકાર- આ પ્રસંગ દ્વારા ભગવાન શ્રીરામની અનન્ય શરણાગતવત્સલતાનો આપણને પરિચય મળે છે.

રાવણ વિભીષણને હડધૂત કરે છે. રાવણ પાસેથી સદાને માટે નીકળીને વિભીષણ શ્રીરામને શરણ આવે છે. વિભીષણજી જાણે છે કે પોતે રાવણના ભાઇ છે અને રામની સેના માટે દુશ્મન ગણાય છે. તેથી તેઓ સીધા જ રામ પાસે જતા નથી, પરંતુ દૂરથી જ રામનું શરણ સ્વીકારવાની પોતાની ઇચ્છા સંદેશવાહક દ્વારા શ્રીરામને પહોંચાડે છે.

રાવણના ભાઇ વિભીષણ આવે છે. તેમ જાણીને સુગ્રીવજી ભગવાન શ્રીરામને સાવધાન કરે છે. સુગ્રીવજી કહે છે કે વિભીષણ દુશ્મન પક્ષના છે. રાવણના ભાઇ છે. યુદ્ધકાળમાં દુશ્મન પક્ષની વ્યક્તિનો સ્વીકાર કરવામાં જોખમ છે. સામાન્ય દષ્ટિથી વિચારીએ તો સુગ્રીવજીની વાતમાં યથ્ય છે, પરંતુ શરણાગતનો સ્વીકાર અને તેની રક્ષા- એ તો ભગવાનનું વ્રત છે. સનાતન વ્રત છે. તદ્નુસાર સુગ્રીવજીને સમજાવતાં ભગવાન શ્રીરામ કહે છે-

લઇૈંડજ્ઞમ પ્ક્ષધ્ણળપ ટપળશ્ર્નનરિુટ ખ પળખટજ્ઞ
અધર્પૈ લમૃ ધુટજ્ઞ ફ્રપળજ્ઞ ડડળબ્પજ્ઞટડ્ર મૄર્ટૈ નન ॥
મળ. ફળ.: પૂ. ઇંળ. ૧૮-૩૩
“મારે શરણે આવનાર અને એક વાર ‘હું તારો છું’ એવી યાચના કરનારને હું સર્વ ભૂતોથી અભય આપું છું, એવું મારું વ્રત છે.

આ છે ભગવાન શ્રીરામની શરણાગતવત્સલતા! ભગવાન શ્રીરામ અહીં વિભીષણને નિમિત્ત બનાવીને જીવમાત્રને આ વચન આપે છે. તેમ સમજવું જોઇએ!

અહીં એ પણ નોંધનીય છે કે ભગવાન શ્રીરામ વિભીષણનો સ્વીકાર કરે છે. એટલું નહિ, પરંતુ યુદ્ધ પહેલાં જ રાવણને જીત્યા પહેલા જ લંકાના રાજા તરીકે વિભીષણનો રાજ્યાભિષેક પણ કરી દે છે.

આ છે ભગવાન શ્રીરામની ભગવત્તા!

૯. કેટલાક તર્કાધીન અભ્યાસુઓ એવો આક્ષેપ કરે છે કે ભગવાન શ્રીરામે તાપસ શંબુકનો વધ કર્યો. તે બરાબર ગણાય?

આ શંબુકવધની ઘટના વિશે ઘણો ઊહાપોહ થાય છે અને થઇ રહ્યો છે. રામનું આ શંબુકવધનું કાર્ય યોગ્ય કે અયોગ્ય, તે વિશે વિવાદો ચાલતા આવ્યા છે.

આપણે આ ઘટનાનો સૂક્ષ્માર્થ જોઇએ, તે પહેલાં એટલું સમજી લઇએ કે વાલ્મીકીય રામાયણ મહાકાવ્ય છે. તેમાં ઐતિહાસિક તથ્યો ઘણાં હશે; આમ છતાં આ રામાયણ વિશુદ્ધ ઇતિહાસગ્રંથ નથી.

તદ્નુસાર વાલ્મીકીય રામાયણમાં વર્ણવેલી પ્રત્યેક ઘટનાને વિશુદ્ધ ઐતિહાસિક ઘટના તરીકે લઇ શકાય તેમ નથી રામાયણમાં અનેક ઘટનાઓ એવી પણ છે, જેનો સાંકેતિક અર્થ લેવો જોઇએ.

આપણે અહીં આ શંબુકવધની ઘટનાનો સૂક્ષ્મ સાંકેતિક અર્થ જોઇએ. શંબુકનો વધ એટલે તામસિક તપનો ત્યાગ, એમ સમજવું જોઇએ. તામસિક તપને આપણી અધ્યાત્મપરંપરામાં અગ્રાહ્ય અને ત્યાજ્ય ગણવામાં આવે છે. ભગવાન શ્રીકૃષ્ણ શ્રીમદ્ ભગવદ્ગીતામાં તામસિક તપનું સ્વરૂપ સમજાવતાં કહે છે-
નુઝ ઉૃં઼ળવજ્ઞઞળટ્ટનણળજ્ઞ પટ્ટક્ષજિમ્ળ રુઇૃં઼પટજ્ઞ ટક્ષ:
ક્ષફશ્ર્નપળજ્ઞટ્ટલળડણળઠહ્ણ મળ ટણ્ળળનલનૂડળષ્ટટન્ર ॥
“જે તપ મૂઢતાપૂર્વક અને હઠથી, શરીર અને મનને પીડા થાય તેવી રીતે અને અન્યનું અનિષ્ટ કરવાના હેતુથી થાય, તે તપને તામસિક તપ કહેવામાં આવે છે.

આ પ્રકારનું તપ અધ્યાત્મપથના પથિક માટે સર્વથા ત્યાજ્ય છે. આમ છતાં કોઇ સાધક તામસિક તપનો માર્ગ ગ્રહણ કરે તો તે પોતાનો આધ્યાત્મિક વિનિપાત કરે છે અને અન્યનું પણ અનિષ્ટ કરે છે.

આ શંબુકવધની ઘટના દ્વારા રામાયણકાર એમ સૂચિત કરે છે કે અધ્યાત્મપથના પથિકે પોતાની અધ્યાત્મ સાધનામાં તામસિક તપને સ્થાન આપવું જોઇએ નહિ. શંબુકવધ એટલે તામસિક તપ કરવાની વૃત્તિનો ત્યાગ, તેમ સમજવું જોઇએ.

અહીં શંબુક તામસિક તપ કરવાની વૃત્તિનું વૈયક્તિક સ્વરૂપ છે. અહીં ‘શંબુક’ નામના તાપસનો વધ થયો. તેવો સ્થૂળ અર્થ લેવાને બદલે, આ ઘટનાનો સાંકેતિક, આધ્યાત્મિક અર્થ લેવો જોઇએ.

તામસિક તપની વૃત્તિનો ત્યાગ કરવો જોઇએ. તે એક આધ્યાત્મિક નિયમ છે. અધ્યાત્મપથનું સત્ય છે. આ સત્યને વાલ્મીકિજી શંબુકવધની આ ઘટના દ્વારા સાંકેતિક રીતે સૂચિત કરે છે. આ ઘટનાને એક ઐતિહાસિક ઘટના ગણવાને બદલે સાંકેતિક ઘટનાના અર્થમાં સમજવી જોઇએ. આમ થાય તો જ આ વિવાદનો અંત આવે છે, અને સાધકને અધ્યાત્મપથવિષયક માર્ગદર્શક પણ મળે જ છે.

આ ઘટનાને તેના સ્થૂળ અર્થમાં, એક ઐતિહાસિક ઘટના તરીકે લેવામાં બીજી પણ એક મુશ્કેલી છે. આ શંબુકવધની ઘટના ભગવાન શ્રીરામની સમગ્ર જીવનશીલા અને જીવનશૈલી સાથે સુસંગત પણ નથી જ! ભગવાન શ્રીરામ શૂદ્ર હોવાને કારણે એક તાપસનો વધ શા માટે કરે? ભગવાન શ્રીરામે અનેક શૂદ્રોનો પ્રેમપૂર્વક સ્વીકાર કર્યો છે. જટાયુ, શબરી, ગુહરાજા, કેવટ, વિભીષણ- આ સૌ કોણ છે? ભગવાન શ્રીરામે શંબુકનો વધ કર્યો નથી, પરંતુ તામસિક તપ કરવાની વૃત્તિનો ત્યાગ કરવાનું સૂચિત કર્યું છે!

૧૦. ભગવાન શ્રીરામે સીતાનો ત્યાગ કર્યો છે? રામાયણ આદિ ગ્રંથોમાં અને તદ્નુસાર લોકમાન્યતામાં લગભગ સર્વત્ર એમ સ્વીકારી લેવામાં આવેલ છે કે ભગવાન શ્રીરામે ભગવતી સીતાજીનો ત્યાગ કર્યો છે.

આમ છતાં આ વાત સાચી નથી, ભગવાન શ્રીરામે સીતાજીનો ત્યાગ કર્યો નથી.

હવે બે પ્રશ્ર્ન ઉપસ્થિત થાય છે.

વાલ્મીકિય રામાયણ, રામચરિતમાનસ આદિ ગ્રંથો સ્પષ્ટત: કહે છે કે ભગવાન શ્રીરામે સીતાજીનો ત્યાગ કર્યોછે. તેનો ઇન્કાર કેવી રીતે કરી શકાય?

વાલ્મીકિય રામાયણ અને રામચરિતમાનસ વિશુદ્ધ ઇતિહાસગ્રંથો નથી, આ ગ્રંથો ભગવાનની લીલાવિષયક કાવ્યગ્રંથો છે, તેથી તેમાં બતાવેલ સર્વ ઘટનાઓને તેમના સ્થૂળ અર્થમાં અક્ષરશ: સાચી માની શકાય નહિ.

બીજો પ્રશ્ર્ન લગભગ સાર્વભૌમ લોકમાન્યતા એવી છે કે રામે સીતાનો ત્યાગ કર્યો છે, તો તેનો ઇન્કાર કેવી રીતે કરી શકાય?
લોકમાન્યતા પણ વિશુદ્ધ ઇતિહાસ નથી. તેથી સર્વ લોકમાન્યતાઓને શતપ્રતિશત સત્ય હકીકત તરીકે સ્વીકારી શકાય નહિ. એટલું જ નહિ, પરંતુ આ લોકમાન્યતા પણ રામાયણ પર આધારિત લોકમાન્યતા છે.

આ બંને પ્રમાણનો ઇન્કાર કરી શકાય તેમ છે અને સ્વીકારી શકાય તેમ છે- રામે સીતાનો ત્યાગ કર્યો નથી.

હવે પ્રશ્ર્ન ઉપસ્થિત થાય છે- તમે શાને આધારે કહો છો કે રામે સીતાનો ત્યાગ કર્યો નથી.

એક ત્રિકાલભેદી દષ્ટિવાન પરમ પુરુષના મુખેથી સાંભળીને અમે જાહેર કરીએ છીએ કે રામે સીતાનો ત્યાગ કર્યો નથી, તો હકીકત શી છે?

અગ્નિપરીક્ષામાંથી પસાર થયા છતાં સીતાજી પ્રત્યે અમુક લોકો શંકાની નજરે જોતા હતા. આ વર્ગમાં રાજકુટુંબના વડીલ ગણાતા અમુક સભ્યો પણ હતા.

આ લોકોની આ પ્રકારની શંકાશીલ દષ્ટિ અને આવી શંકાશીલ માન્યતાને કારણે સીતાજી મનમાં ખૂબ પરિતાપ ભોગવતાં હતાં. સીતાજીને રાજમહેલમાં સુખ નહોતું. ભગવાન શ્રીરામ સીતાજીની આ દુ:ખપૂર્ણ મનોદશાને જાણતા હા. સીતાજીને આ વેદનામાંથી શ્રીરામે સદ્ભાગપૂર્વક વાલ્મીકિજીના આશ્રમમાં મોકલ્યાં હતાં અને ત્યાં તેઓ સુખશાંતિથી રહી શકે તેની વ્યવસ્થા ભગવાન શ્રીરામે પોતે જ ગોઠવી હતી.

સીતાત્યાગની ઘટનાની સાંકેતિક આધ્યાત્મિક અર્થ લેવો જોઇએ. પરમ પદ પર અરોહણ કર્યા પછી આતમરામ પ્રકૃતિનો ત્યાગ કરે છે- આવો સીતાત્યાગની ઘટનાનો સાંકેતિક આધ્યાત્મિક અર્થ લેવો જોઇએ. તો રામાયણના કથનનો આપણી આ સત્ય ઘટનાના સાથે મેળ બેસી જશે!

સમાપન
હરિ અનંત હરિકથા અનંત!

ભગવાનની લીલાને સર્વાંશે સમજવાનું આપણું શું ગજું? હા, આપણે આપણા નાનકડા ગજા પ્રમાણે હરિના ગુણગાન ગાવાના ભાવથી અવતારની લીલાનું ચિંતન મનન-કથન કરીએ છીએ.

ભગવાનની લીલાનું ચિંતન આપણી ચેતનાને ઊંચે લઇ જાય. તેવા ભાવ સાથે આપણે રામકથા કે અન્ય અવતારોની કથાનું પરિશીલન
કરવાનું છે.

આપણું આટલું જ ગજું!
આપણું આટલું જ કર્તવ્ય!

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો