ધર્મતેજ
સ્પષ્ટ વક્તા સુખી ભવેત? એક પળ જેને નકારે છે જગત એ જમાનાઓ સુધી પૂજાય છે
આચમન -અનવર વલિયાણી
બે પ્રકારના સ્પષ્ટ વક્તાઓ
દેખાય છે.
- એક જે પોતાના સ્વાર્થ, સુખ-સગવડ, અહંકાર માટે બીજાને સ્પષ્ટ રીતે પોતે દોરેલી લક્ષ્મણરેખાઓ જણાવી દેતા હોય છે અને
 - બીજા પ્રકારના સ્પષ્ટ વક્તા ઇશ્ર્વરને ગમે, ઇશ્ર્વરમાન્ય સિદ્ધાંતો-નિયમોને અનુરૂપ હોય, સર્વ જીવોના કલ્યાણ અર્થે હોય તેવું બોલનારા (ફકત પોતાનાં સુખ-સમૃદ્ધિ વધે તેવું બોલનારા નહીં) હોય છે.
 
પોતપોતાના કર્મક્ષેત્ર અને જ્ઞાન-આવડત મુજબનું સ્પષ્ટ બોલનારાઓની નામાવલીની નોંધ બનાવીએ તો તેમાં
- જિસસ
 - ભગવાન મહાવીર
 - ભગવાન બુદ્ધ
 - હઝરત મહંમ સાહેબ
 - મીરા
 - સંત કબીર
 - અબ્રાહમ લિંકન
 - મહાત્મા ગાંધી
 - ઓશો
 - સોક્રેટિસ
 - જે. કૃષ્ણમૂર્તિ જેવા અનેક મહાત્માઓ, અવતારો આવે.
યાદ રહેવું ઘટે કે આ પહેલા પ્રકારના સ્પષ્ટ વકતાઓમાં - ખંડણી માગનારાઓ,
 - લાંચ રૂશવત માગનારા તથા
 - લૂંટારાઓનો પણ સમાવેશ થઇ જાય છે. જેઓ ખુલ્લેઆમ-સામી છાતીએ ડરાવી – ધમકાવીને સ્પષ્ટ રીતે માગણી કરતા હોય છે.
 - અમુક જ્યોતિષો તથા વાસ્તુશાસ્ત્રવાળા પણ સ્પષ્ટ રીતે ગભરાવીને પોતાનું સુખ વધારતા હોય છે.
 - બીજાની નિંદા કરનારા પણ પોતાને સ્પષ્ટ વક્તા માને છે.
 - ચૂંટણી વખતે સામા પક્ષના નેતાની ‘ભૂલો’ હિંમતભેર મીઠું, મરચું, ઉમેરી-તડકા મારકે રજૂ કરતા હોય છે અને પોતાને ‘સ્પષ્ટ વક્તા’જ નહીં, પણ ‘સત્ય વક્તા’
પણ વણમાગ્યા સ્વીકારી લેતા
હોય છે. - પૈસા ઉછીના લીધા પછી ‘આપી શકું એમ નથી’ કહેનારા.
 - ધાર્મિક ગ્રંથો પર હાથ મૂકી સ્પષ્ટ સોગંદ-કસમ ખાનારા-ખોટી જુબાની આપનારા,ગવાહી દેનારા.
 - લગ્ને લગ્ને ‘કુંવારો છું’ એમ કહી મહિલાઓને ફસાવનારા.
 - આતંક ફેલાવ્યા પછી ‘અમે આ પરાક્રમ કર્યું છે ને જવાબદારી લઇએ છીએ’ તેમ બોલનારા અને છેલ્લે
 - લગ્ન પ્રસંગે ફટાણારૂપે સ્પષ્ટ રીતે સામા પક્ષવાળાને સંગીત સાથે સંભળાવનારા, કુખ્યાત થયા તો બીજી બાજુ.
 - જેમણે સૌના ભલા માટે પોતાના જીવના જોખમે સ્પષ્ટ, સત્યયુક્ત, વક્તવ્ય આપ્યું તેઓ અમર થયા, પૂજવાને લાયક થયા.
 - લાખ્ખો લોકોની અંધશ્રદ્ધા,
 - માન્યતા,
 - કુરિવાજો,
 - અન્યાયો,
 - ગુલામી,
 - લાચારી,
 - જુલ્મો-સિતમમાંથી મુક્તિ અપાવી અને તે દ્વારા
 - જીવન વધુ સારું-જીવવા જેવું-યોગ્ય બનાવ્યું.
કોઇ એ માને ન માને તું કહે ‘અનવર’
સત્ય કહેતા કેમ તું ગભરાય છે,
એક પળ, જેને નકારે છે જગત,
એ જમાનાઓ સુધી પૂજાય છે. 
ખુશીને શોધી કાઢો
જે રીતે આપણે સારી વર્તણૂક કરવાનું શીખીએ છીએ તે રીતે આપણે જ ખુશ રહેવાનું પણ શીખી શકીએ છીએ.
- જીવનના સુખદ પ્રસંગોને યાદ કરીને તે સમયની ખુશીને વર્તમાનમાં લાવો.
 - આ કામ તમે ગમે તે સ્થળે
અને ગમે તે સમયે કરીને
તમારા મનને હસી ખુશીમાં રાખી શકો છો. 
 


