અલખનો ઓટલો: નરસિંહ મહેતાને નામે ગવાતી એક જ રચના- ત્રણ પાઠ | મુંબઈ સમાચાર

અલખનો ઓટલો: નરસિંહ મહેતાને નામે ગવાતી એક જ રચના- ત્રણ પાઠ

  • ડૉ. નિરંજન રાજ્યગુરુ

બીજા પાઠની શબ્દાવલીમાં ગોપી અન્ય કોઈને આદેશ આપે છે કે ‘મારે પ્રિયતમને મળવા જવું છે માટે તમે વેલડું તૈયાર કરાવો.. મારી દેરાણી-જેઠાણી છૂપી રીતે મારા પર નજર રાખે છે અને નણંદ મેણાં બોલે છે, છતાં મારે મલપતાં મલપતાં સાસરે જવું છે. મારે પિયરમાં રહીને નિર્લજ્જ નથી થવું.

આ પણ વાંચો: અલખનો ઓટલો : ગુરુ મારા ચીચૂડો કીધો રે તમે સાબદો રે…..

જેનો ઘડનારો ઘટમાં જ છૂપાયો છે એવી પાંચ તત્ત્વની વહેલને ઓહં સોહં-શ્વાસ-ઉચ્છવાસના બે ધોરીથી ચલાવી રહ્યો છે.. એમાં બેસીને હું મલપતાં મલપતાં જઈશ..’ એવી અધ્યાત્મની પારિભાષિક શબ્દાવલીનો વિનિયોગ પણ બે કડીમાંથી પ્રાપ્ત થાય છે.

આ પણ વાંચો: અલખનો ઓટલો: ગુજરાતનાં લોકનૃત્યો ને લોકસંગીત

ત્રીજો પાઠ માધવપુર કે બાદલપુરને બદલે માધવકુળ કે જાદવકુળ શબ્દ આપે છે. જેનાથી સમગ્ર રચનાનો સંદર્ભ બદલી જાય છે. અને યાદવકુળમાં-મથુરા વિસ્તારમાં જન્મેલી કોઈ વિવાહિત ગોપીને નાયિકા તરીકે સ્થાપી આપે છે. અને વેલડી જોડાવીને પોતાના પ્રિયતમ શ્રીકૃષ્ણને મળવા માટે દ્વારિકા જવાની ઝંખના દર્શાવે છે. અનેક સંકટો સહન કરવા છતાં સાસરે રહેવાનું સ્વીકારતી આ ગોપી અંતે આનંદસુખ પામે છે.

આ પણ વાંચો: અલખનો ઓટલો : નિર્મળદાસજીની વાણી

સ્વાભાવિક રીતે જ બે કડીઓ પાછળથી જીવ અને બ્રહ્મના જોડાણને દર્શાવવા માટે કોઈ અનામી સર્જક કે ભજનિક દ્વારા જોડવામાં હોય એવો સંભવ છે. નરસિંહ મહેતા કૃત મૂળ પાઠમાં એ કડીઓ કદાચ નહીં જ હોય. પરંતુ આ સમગ્ર રચનાનો ચાવી રૂપ શબ્દ છે

સંબંધિત લેખો

Back to top button