નેશનલ

દેશના 5.33 કરોડ ઘરોમાં હજુ પાણી પહોંચ્યું નથી, આ 3 રાજ્યોમાં સ્થિતિ સૌથી ખરાબ..

ભારત સરકારે વર્ષ 2024 સુધી દેશના દરેક ઘરની અંદર નલથી જલ એટલે કે ઘરબેઠા પીવાનું પાણી પહોંચાડવાનો લક્ષ્યાંક રાખ્યો છે, જો કે એક આરટીઆઇ મુજબ હજુપણ ગ્રામ્ય સ્તરે લગભગ 5.33 કરોડ ઘરોને નલથી જલનું કનેક્શન મળી શક્યું નથી. રાજસ્થાન, પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં સ્થિતિ સૌથી ખરાબ છે.

જો કે સરકાર દ્વારા ઉપલબ્ધ થયેલા આંકડા અનુસાર છેલ્લા સાડા ચાર વર્ષમાં જલ જીવન મિશન ‘હર ઘર જલ’ અંતર્ગત કુલ 13,91,70,516 (13.91 કરોડ) ગ્રામીણ ઘરોને નળથી પાણી પૂરું પાડવામાં આવ્યું હતું, જ્યારે 15 ઓગસ્ટ 2019 સુધી આવા નળના પાણીના કનેક્શનવાળા ઘરોની સંખ્યા માત્ર 3,23,62,838 (3.23 કરોડ) હતી.


દેશના ગ્રામીણ વિસ્તારોમાં કુલ મકાનોની સંખ્યા 19,25,17,015 (19.25 કરોડ) છે, જેમાંથી 25 ડિસેમ્બર 2023 સુધીમાં 13,91,70,516 (13.91 કરોડ) ઘરોમાં નળ દ્વારા પાણીના જોડાણો લગાવવામાં આવ્યા છે. ભારત સરકારના પીવાના પાણી અને સ્વચ્છતા મંત્રાલયે માહિતી અધિકાર (RTI) કાયદા હેઠળ દાખલ કરેલી અરજીના જવાબમાં આ માહિતી આપી છે.


કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોની ભાગીદારી સાથે ‘હર ઘર જલ’ યોજના લાગુ કરી છે. પીવાના પાણી અને સ્વચ્છતા મંત્રાલય દ્વારા જવાબમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવાની જવાબદારી જે-તે રાજ્ય સરકારની છે, પેયજળ આપૂર્તિ યોજનાઓનું માળખું ઘડવું, અમલીકરણ કરવું તથા મંજૂરી સહિતની બાબતો રાજ્ય સરકાર પર આધારિત છે. ભારત સરકારે ટેકનિકલ અને નાણાકીય સહાય પૂરી પાડીને આ પ્રયાસમાં રાજ્યોને મદદ કરી છે.


પીવાના પાણી અને સ્વચ્છતા મંત્રાલય તરફથી મળેલી માહિતી અનુસાર ‘હર ઘર જલ’ અભિયાન હેઠળ ઝારખંડ, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળમાં ગ્રામીણ વિસ્તારોમાં હાલત સૌથી ખરાબ છે. ઝારખંડમાં 47.57 ટકા ઘરોમાં નળ જોડાણ છે, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળમાં અનુક્રમે માત્ર 45.33 અને 40.69 ટકા ઘરોમાં જ નળ જોડાણ છે.


RTI મુજબ નળના પાણીના જોડાણ માટે 2019-20માં કુલ 9,951 કરોડ રૂપિયા, 2020-2021માં 10,916 કરોડ રૂપિયા, 2021-22માં 40,010 કરોડ રૂપિયા, 2022-23માં 54,744 કરોડ રૂપિયા અને 2022-23માં 4329 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. કુલ નવ રાજ્યોના ગ્રામીણ વિસ્તારોમાં નલથી જલ યોજના હેઠળ 100 ટકા ઘરોમાં નળ જોડાણ આપવામાં આવ્યું છે. જેમાં ગોવા, આંદામાન અને નિકોબાર, દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ, હરિયાણા, તેલંગાણા, પુડુચેરી, ગુજરાત, પંજાબ અને હિમાચલ પ્રદેશનો સમાવેશ થાય છે.


એ પછી જે રાજ્યોમાં ગ્રામીણ વિસ્તારોમાં 75 ટકાથી વધુ નળ જોડાણ લગાવવામાં આવ્યા છે તેમાં મિઝોરમ (98.35 ટકા), અરુણાચલ પ્રદેશ (97.83), બિહાર (96.42), લદ્દાખ (90.12), સિક્કિમ (88.54)નો સમાવેશ થાય છે. , તેમાં ઉત્તરાખંડ (87.79), નાગાલેન્ડ (82.82), મહારાષ્ટ્ર (82.64), તમિલનાડુ (78.59), મણિપુર (77.73), જમ્મુ અને કાશ્મીર (75.64) અને ત્રિપુરા (75.25)નો સમાવેશ થાય છે.


જ્યારે છત્તીસગઢમાં (73.35 ટકા), મેઘાલય (72.81 ટકા), ઉત્તર પ્રદેશ (72.69 ટકા), આંધ્રપ્રદેશ (72.37 ટકા), કર્ણાટક (71.73 ટકા), ઓડિશા (69.20 ટકા), આસામ (68.25 ટકા), લક્ષદ્વીપ (62.10 ટકા) ), મધ્યપ્રદેશ (59.36 ટકા), કેરળ (51.87 ટકા), ગ્રામીણ વિસ્તારોમાં નળ દ્વારા પાણી ઘરો સુધી પહોંચી રહ્યું છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આવી લકઝરી લાઈફ જીવે છે TMKOCની બબીતાજી Nora Fatehiનો એથનિક લૂક જોયો? એક લગ્નમાં હાજરીના Orry કેટલા લે છે? આરસીબીની શાનદાર જીત પછી થઈ ઇનામોની લહાણી