વેપાર અને વાણિજ્ય

એફઆઇઆઇએ ₹ ૭૫,૦૦૦ કરોડના શેર વેચ્યા

મુંબઈ: પાછલા કેટલાક સત્રથી શેરબજારમાં એફઆઇઆઇની વેચવાલી ધીમી પડી છે અને અમેરિકાના બોન્ડની યિલ્ડના ઘટાડા સહિતના અમુક પરિબળને કારણે એફઆઇઆઇએ ધીમી ગતિએ ફરી લેવાલી પણ શરૂ કરી છે. જોકે, વિદેશી ફંડોએ પાછલા દિવસોમાં ભારતીય બજારમાં ધૂમ વેચવાલી કરી છે એ પણ હકિકત છે. ફોરેન ઈન્સ્ટિટ્યુશન ઈન્વેસ્ટર (એફઆઈઆઈ) એટલે કે વિદેશી રોકાણકારો ભારતમાં પાછલા ત્રણ મહિનાથી રોકાણ ઘટાડી રહ્યા છે. આમ છતાં ભારતીય બજાર પર તેની અસર નથી.

વિદેશી રોકાણકારો ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં રૂ. ૭૫ હજાર કરોડ પાછા ખેંચી ચૂક્યા છે. બીજી તરફ, સ્થાનિક રોકાણકારોએ આ ગાળામાં શેર બજારમાં રૂ ૭૦ હજાર કરોડનું રોકાણ કર્યું છે. આ જ કારણસર દુનિયાભરમાં ફેલાયેલી આર્થિક અનિશ્ર્ચિતતાથી ભારતીય શેરબજારને હજુ કોઈ અસર થઈ નથી.

ભારતમાં વિદેશી રોકાણ ઘટ્યું હોવા છતાં શેરબજારમાં ત્રણ મહિનામાં ફક્ત ૩.૨૫ ટકાનો ઘટાડો થયો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે… Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા…