
મુંબઇ: ભારતમાં સોના(Gold)માટે લોકોનો ક્રેઝ હજુ પણ યથાવત છે. જેમાં જ્વેલરીમાં મહિલાઓનું અને ગોલ્ડ બાર, ગોલ્ડ બોન્ડ, ગોલ્ડ ETFમાં પુરુષોના રોકાણના લીધે દેશમાં સોનાની ખરીદી દર વર્ષે વધી રહી છે. હવે આ તહેવારોની સિઝનમાં સોનાના વેચાણમાં વધુ વધારો થવાની આશા વધી છે અને તેની પાછળ એક ખૂબ જ રસપ્રદ કારણ છે. સોમવારે ક્રિસિલ રેટિંગ્સ દ્વારા જાહેર કરાયેલા એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આ વર્ષે સોના અને સોનાના દાગીનાનું વિપુલ પ્રમાણમાં વેચાણ થશે અને તમે સોનાની ભારે ખરીદી જોવા મળશે. જેના લીધે જ્વેલર્સને પણ સારો નફો થવાની આશા છે.
સોનાના ગોલ્ડન ટ્રેન્ડની રૂપરેખા બજેટમાં જ તૈયાર થઈ
કેન્દ્ર સરકાર દ્વારા બજેટમાં સોના પરની આયાત ડ્યૂટીમાં ઘટાડાને કારણે સંગઠિત ક્ષેત્રના જ્વેલર્સની આવકમાં 22 થી 25 ટકાનો વધારો થવાની ધારણા છે. ચાલુ નાણાકીય વર્ષમાં વાર્ષિક ધોરણે ગોલ્ડ ડ્યૂટીમાં ઘટાડાનો પ્રભાવ જોઈ શકાય છે કે લોકો મોટી સંખ્યામાં સોનું ખરીદવા માટે આગળ આવશે. તેમજ ઘટેલી આયાત ડ્યૂટીની અસર નફા પર જોવા મળશે. પરંતુ વધુ આવકને કારણે રિટેલર્સનો રોકડ પ્રવાહ સુધરશે.
સોનું 4000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તું થયું હતું
બજેટના દિવસે એટલે કે 23મી જુલાઈએ નાણામંત્રીએ સોના પરની આયાત ડ્યૂટી ઘટાડવાની જાહેરાત કરી હતી અને તે જ દિવસે MCX અને અન્ય બજારોમાં સોનું 4000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તું થયું હતું. બજેટમાં ઈમ્પોર્ટ ડ્યૂટીમાં ઘટાડો કર્યા બાદ તે એક દાયકાના સૌથી નીચા સ્તરે આવી ગયો હતો.
ક્રિસિલ રેટિંગ્સે પોતાના સંશોધન અહેવાલમાં જણાવ્યું છે કે દેશના કેન્દ્રીય બજેટમાં આયાત ડ્યૂટીમાં મોટા કાપ બાદ સંગઠિત સોનાના આભૂષણોનું વેચાણ કરતા છૂટક વેચાણકર્તાઓને મોટો ફાયદો થશે. આ નાણાકીય વર્ષમાં જ્વેલર્સની આવકમાં 22-25 ટકા અથવા 500-600 બેસિસ પોઈન્ટ્સ (bps)વૃદ્ધિની અપેક્ષા છે.
સોનાના આઉટલુક પર CRISIL રિપોર્ટ શું કહે છે?
ક્રિસિલે તેના રિપોર્ટમાં કહ્યું છે કે ભારતમાં બુલિયન ટ્રેડર્સ અથવા જ્વેલર્સની આવકમાં વધારો થવા પાછળનું કારણ મોટા પ્રમાણમાં સોનાનું વેચાણ છે.
-આયાત ડ્યૂટીમાં ઘટાડા બાદ સોનાના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને આગામી સમયમાં બુલિયન માર્કેટને તેનો ફાયદો થશે.
-સોનાના ભાવમાં અચાનક ઘટાડો થવાને કારણે ઈન્વેન્ટરીમાં નુકસાન થયું હતું પરંતુ તેની અસર ઘણી ઓછી થશે કારણ કે તેને સોનાની માંગમાં થયેલા સુધારાને ટેકો મળ્યો છે.
-સોના અને સોનાના દાગીનાની માંગમાં વધારાને કારણે સોનાના પુરવઠામાં પણ વધારો થવાની ધારણા છે.
- ક્રિસિલના અહેવાલમાં જણાવાયું છે કે જ્વેલર્સનો ઓપરેશનલ નફો 40 થી 60 બેસિસ પોઈન્ટ્સ (0.40-0.60 ટકા) ઘટીને 7.1 ટકાથી 7.2 ટકા થઈ શકે છે.
આયાત ડ્યૂટીમાં ઘટાડો એ ગોલ્ડ જ્વેલર્સ માટે એક તક
ક્રિસિલ રેટિંગ્સ ડિરેક્ટરે જણાવ્યું હતું કે આયાત ડ્યૂટીમાં ઘટાડો એ ગોલ્ડ જ્વેલર્સ માટે એક તક છે. અહેવાલ મુજબ, જ્વેલર્સે તહેવારોની સીઝન અને આગામી લગ્નની સીઝન માટે સોનાનો સ્ટોક એકત્ર કરવો જોઈએ. જ્વેલર્સ આ નાણાકીય વર્ષમાં તેમના નાણાકીય માપદંડ જાળવી રાખશે. જેના કારણે ક્રેડિટ પ્રોફાઇલ સ્થિર રહેશે.