- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં વારકરીઓની પાલખી સરઘસો માટે ટોલ મુક્તિ
મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે 18 જૂનથી 10 જુલાઈ સુધી પંઢરપુરની વાર્ષિક યાત્રા દરમિયાન વારકરીઓ (ભક્તો)નાં ‘પાલખી’ સરઘસો અને તેમની સાથેના વાહનોને ટોલ ચૂકવવામાંથી મુક્તિ આપી છે, એમ અધિકારીઓએ મંગળવારે માહિતી આપી હતી.અષાઢી એકાદશીના દિવસે સોલાપુર જિલ્લાના પંઢરપુર ખાતે ભગવાન વિઠ્ઠલના પ્રખ્યાત…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્ર કેબિનેટે કટોકટીકાળના કેદીઓ માટેના માનદ્ વેતનની રકમ બમણી કરી, જીવનસાથીઓને લાભાર્થી તરીકે ઉમેર્યા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યમાં કટોકટીકાળ દરમિયાન જેલમાં બંધ વ્યક્તિઓને આપવામાં આવતી માનદ વેતનની રકમ બમણી કરવાને મહારાષ્ટ્ર કેબિનેટે મંગળવારે મંજૂરી આપી હતી. કેબિનેટે કારાવાસ ભોગવનારી વ્યક્તિના જીવનસાથીનું નામ પણ લાભાર્થી તરીકે ઉમેરવાનો નિર્ણય લીધો હતો. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની અધ્યક્ષતા…
- આમચી મુંબઈ
સત્તા માટે ભાજપ સાથે જોડાનારા તકવાદીઓને પ્રોત્સાહન આપી શકતો નથી: શરદ પવાર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના બે જૂથો વચ્ચે સંભવિત પુન:મિલનની ચર્ચા વચ્ચે તેમના અલગ થયેલા ભત્રીજા અજિત પવારને આડકતરા સંદેશમાં એનસીપી (એસપી) ના વડા શરદ પવારે મંગળવારે કહ્યું હતું કે કેટલાક વ્યક્તિઓ તકવાદી રાજકારણ કરીને સત્તાધારી ભાજપ સાથે જોડાણ…
- આમચી મુંબઈ
સંજય રાઉત રાજકીય કમળાથી પીડાય છે, હું યોગ્ય દવા જાણું છું: ચંદ્રકાંત પાટીલ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિવસેના (યુબીટી)ના સાંસદ સંજય રાઉત ‘રાજકીય કમળા’થી પીડાતા હોય તેવું લાગે છે કારણ કે તેમને દરેક વસ્તુમાં ખામીઓ દેખાય છે, એમ જણાવતાં મહારાષ્ટ્રના પ્રધાન ચંદ્રકાંત પાટીલે કહ્યુંં હતું કે, યોગ્ય સમયે તેમને યોગ્ય ‘દવા’ આપવામાં આવશે. પાટીલે…
- મહારાષ્ટ્ર
ફડણવીસે ‘ધરતી આબા જનજાતી ગ્રામ ઉત્કર્ષ અભિયાન’ શરૂ કર્યું, વડા પ્રધાનને યોજના માટે અભિનંદન આપ્યા
પાલઘર: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સોમવારે પાલઘરમાં ‘પ્રધાનમંત્રી ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન’ની શરૂઆત કરી હતી. જેનો ઉદ્દેશ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) સહિત આધુનિક કૌશલ્ય તાલીમ પૂરી પાડવાનો છે, જેથી આદિવાસી યુવાનોને ઉભરતી તકો માટે તૈયાર કરી શકાય. એક…
- મહારાષ્ટ્ર
શિરસાટ જરાંગેને મળ્યા: મરાઠા વિદ્યાર્થીઓ માટે જાતિ માન્યતા પ્રમાણપત્રોના મુદ્દાને ઉકેલવાની ખાતરી આપી
જાલના: મહારાષ્ટ્રના પ્રધાન સંજય શિરસાટે સોમવારે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે મુખ્ય સચિવને કુણબી જાતિને માન્યતા પ્રમાણપત્રો આપવા માટે આદેશો જારી કરવાનો નિર્દેશ આપ્યો છે જેથી મરાઠા સમુદાયના વિદ્યાર્થીઓને શૈક્ષણિક નુકસાન ન થાય. શિરસાટે જાલના જિલ્લાના અંતરવાલી સરાટી ગામમાં મરાઠા…
- આમચી મુંબઈ
ગરીબો માટે પરવડે તેવા ધાર્મિક પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે પીપીપી મોડેલનો પ્રસ્તાવ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના પરિવહન પ્રધાન અને એમએસઆરટીસીના ચેરમેન પ્રતાપ સરનાઈકે જાહેર-ખાનગી ભાગીદારી (પીપીપી) મોડેલ દ્વારા ગરીબ નાગરિકો માટે ધાર્મિક પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે એક મહત્ત્વાકાંક્ષી યોજનાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ પહેલનો ઉદ્દેશ પરિવહન, રહેઠાણ અને ભોજન સહિત સસ્તા ધાર્મિક…
- મહારાષ્ટ્ર
દોષીઓ સામે સદોષ મનુષ્યવધનો ગુનો નોંધો: સપકાળ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર કોંગ્રેસના વડા હર્ષવર્ધન સપકાળે સોમવારે પુણે જિલ્લામાં એક દિવસ પહેલા પુલ ધરાશાયી થવાના બનાવની ઉચ્ચ સ્તરીય તપાસની માગણી કરી હતી અને પૂછ્યું હતું કે જો તે અસુરક્ષિત હતો તો તેને જાહેર જનતા માટે કેમ ખુલ્લો રાખવામાં…
- મહારાષ્ટ્ર
કલેક્ટરે ઈન્દ્રાયણી નદીના પુલને ખતરનાક જાહેર કર્યો હતો, સ્થાનિકોએ ચેતવણીનાં બોર્ડ પણ લગાવ્યા હતા: ફડણવીસ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પુણે જિલ્લાના માવળ તાલુકામાં ઈન્દ્રાયણી નદી પરનો જર્જરિત કુંડમાલા પુલ તૂટી પડવાના એક દિવસ પછી, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સોમવારે કહ્યું હતું કે જિલ્લા કલેક્ટર દ્વારા આ માળખું ‘ખતરનાક’ જાહેર કરવામાં આવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું…
- આમચી મુંબઈ
મુમ્બ્રા અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને નોકરી આપો: શિવસેના (યુબીટી)
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્ય સરકારે મુમ્બ્રા લોકલ ટ્રેન અકસ્માતમાં મૃત્યુ પામેલા મુસાફરોના પરિવારોને પાંચ લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે અને સરકાર ઘાયલોની સહાય અને સારવારનો ખર્ચ 50,000 રૂપિયાથી બે લાખ રૂપિયા સુધી ઉઠાવી લેશે. જોકે, ફક્ત આર્થિક સહાય આપવાને…