ગાઝા, સીરિયા, વૅસ્ટ બૅન્ક પર ઈઝરાયલનો હુમલો
ગાઝા: ઈઝરાયલના યુદ્ધવિમાનોએ શનિવારે રાત્રે અને રવિવારે ગાઝાપટ્ટી ઉપરાંત સીરિયાના બે હવાઈમથક અને આતંકવાદીઓ દ્વારા કથિત ઉપયોગમાં લેવાતી વૅસ્ટ બૅન્કસ્થિત મસ્જિદ પર હુમલો કર્યો હતો. ઈઝરાયલના આ હુમલાને કારણે લગભગ બે અઠવાડિયાથી ચાલતા આ યુદ્ધની સ્થિતિ વધુ વકરે એવી શક્યતા…
નેપાળમાં ૬.૧ની તીવ્રતાનો ભૂકંપ
કાઠમંડુ: નેપાળની રાજધાની કાઠમંડુમાં રવિવારે ૬.૧ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હોવાનું નેશનલ અર્થક્વેક મોનિટરિંગ ઍન્ડ રિસર્ચ સેન્ટરે જણાવ્યું હતું. ભૂકંપને કારણે ૨૦ જેટલા ઘરને નુકસાન થયું હતું અને ૭૫ જેટલા ઘરમાં તિરાડ પડી ગઈ હતી. રવિવારે સવારે ૭.૩૯ કલાકે આવેલા…
ભારત-કેનેડાના સંબંધ મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે: જયશંકર
નવી દિલ્હી: કેનેડાના અધિકારીઓએ ભારતની બાબતમાં કરેલી દખલગીરીની ચિંતાને ધ્યાનમાં રાખીને દેશમાં કેનેડાના રાજદૂતોની હાજરી બાબતે ભારતે સમાનતાની જોગવાઈ અમલમાં મૂકવાની વાત ઉચ્ચારી હોવાનું વિદેશ પ્રધાન એસ. જયશંકરે રવિવારે કહ્યું હતું. કેનેડામાં ભારતીય રાજદૂતોની સુરક્ષામાં સુધારો અને પ્રગતિ જોવા મળશે…
રાજકોટમાં અકસ્માતની ઘટના ટ્રીપલ મર્ડરની: પતિએ પત્ની, તેના પ્રેમી અને પુત્રને પતાવી દીધા
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: રાજકોટ શહેરની ભાગોળે આજીડેમ ચોકડી પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં ત્રણ લોકોનાં મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. દરમિયાન આ ઘટના ટ્રીપલ મર્ડરની હોવાનો ઘટસ્ફોટ થતા ખળભળાટ મચી ગયો છે. પતિએ એક્ટિવાને ટ્રકની ઠોકરે લઈ…
અયોધ્યામાં આદિત્યનાથે મહિલા ડ્રાઇવરો, કંડકટરો સાથે ૫૧ બસને લીલી ઝંડી આપી
મિશન મહિલા સારથીનું ઉદ્ઘાટન પણ થયું અયોધ્યા/લખનઊ: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રવિવારે રાજ્ય પરિવહન નિગમની ૫૧ બસોને લીલી ઝંડી આપી હતી. આ તમામ બસોમાં ડ્રાઇવર અને કંડકટર મહિલાઓ હશે.અયોધ્યા પ્રવાસના બીજા દિવસે મુખ્યમંત્રીએ રામ કથા પાર્કમાંથી મિશન મહિલા સારથીનું…
બીડમાં આદિવાસી મહિલાને નિર્વસ્ત્ર કરી ભાજપ વિધાનસભ્યનાં પત્ની સહિત ત્રણ સામે ગુનો દાખલ
બીડ: જમીન પર કબજો મેળવવાના આશય સાથે એક આદિવાસી મહિલાને નિર્વસ્ત્ર કરી એનો વિનયભંગ કરવાની આંચકાદાયક ઘટના વાળુંજ (તાલુકો આષ્ટી) ખાતે બની હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ પ્રકરણમાં વિધાન પરિષદના ભાજપના વિધાનસભ્ય સુરેશ ધસના પત્ની સહિત ત્રણ જણા વિરુદ્ધ અનુસૂચિત…
નાગપુરમાં સાતમી ડિસેમ્બરથી ૨૦મી ડિસેમ્બર સુધી માત્ર ૧૦ દિવસનું શિયાળુ સત્ર
મુંબઈ: નાગપુરમાં યોજાનાર મહારાષ્ટ્ર વિધાનસભાનું શિયાળુ સત્ર માત્ર દસ દિવસ ચાલશે તેવા સંકેતો મળી રહ્યા છે. આ સંકેત એટલા માટે આવ્યો છે કારણ કે બહાર પડેલા શિયાળુ સત્રની કામચલાઉ રૂપરેખામાં માત્ર દસ દિવસનુંઆયોજન દર્શાવવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર વિધાનસભાના બંને ગૃહો…
ભીડ, ગરમી અને રેલવે બ્લોક દશેરાની ખરીદી કરવા નીકળેલા લોકોના હાલબેહાલ
મુંબઈ: દશેરા મંગળવારે છે તેથી રવિવારે ખરીદી માટે બજારોમાં ભીડ જોવા મળી હતી. શહેરમાં ગરમીએ પણ માઝા મૂકી છે અને લોકો બફારાનો ત્રાસ સહન કરી રહ્યા છે. એવામાં રેલવેની ત્રણેય લાઇનમાં બ્લોક હોવાને કારણે ટ્રેનો મોડી હોવાથી લોકોને રીતસરનો ત્રાસ…
- આમચી મુંબઈ
ધૂળ અને પ્રદૂષણને નિયંત્રણમાં લાવવાના પ્રયાસ શરૂ
મિસ્ટ મશીનની મદદથી પાણીનો છંટકાવ (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં હવામાં રહેલા પ્રદૂષણને નિયંત્રણમાં લાવવાના ઈરાદે મુંબઈ મહાનગરપાલિકા પ્રશાસન તરફથી જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈનને ૨૩ ઑક્ટોબર, ૨૦૨૩ એટલે કે સોમવારથી અમલમાં મૂકવામાં આવવાની છે. જોકે એ પહેલાં જ પાલિકા દ્વારા તાત્કાલિક…
૪૪ વર્ષની પરંપરા તૂટી, રાવણદહન થશે ક્રોસ મેદાનમાં
મુંબઈ: આઝાદ મેદાનમાં શિંદે જૂથની દશેરા રેલીને કારણે ત્યાંના રામલીલા આયોજકોને ‘રાવણદહન’ માટે ક્રોસ મેદાનમાં જગ્યા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેથી રાવણદહન દશેરાના દિવસે જ થશે, એમ સૂત્રોએ જણાવ્યું હતું. રામલીલા આયોજકો સાથે એકનાથ શિંદે જૂથનો કોઇ પણ વિવાદ…