બિહારમાં પછાત વર્ગના લોકો માટે અનામતનો ક્વૉટા વધારાશે
પટણા: બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારની સરકારે રાજ્યમાં અન્ય પછાત વર્ગ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને અનામતનો વધુ લાભ આપવાની પોતાની ઇચ્છા મંગળવારે જાહેર કરી હતી અને રાજ્ય વિધાનસભાના ચાલુ સત્રમાં સંબંધિત ખરડો રજૂ કરવાની બાંયધરી આપી હતી. બિહારમાં રાજ્ય…
કેન્યા અને સોમાલિયામાં ભારે વરસાદ અને પૂર: ૪૦નાં મોત
નૈરોબી: કેન્યા અને સોમાલિયામાં ભારે વરસાદ અને અચાનક પૂરના કારણે ઓછામાં ઓછા ૪૦ લોકોના મોત થયા છે અને હજારો લોકોએ સ્થળાંતર કરવાની ફરજ પડી છે. સોમાલિયામાં ખરાબ હવામાનને લીધે ૨૫ લોકોના મોત અને ઘરો, રસ્તાઓ અને પુલોનો નાશ થયા બાદ…
ભારતનું ઓડિશાના દરિયાકાંઠે ‘પ્રલય’ મિસાઇલનું સફળ પરીક્ષણ
બાલાસોર: ભારતે ઓડિશાના દરિયાકાંઠે અબ્દુલ કલામ દ્વિપ ખાતેથી સપાટીથી સપાટી શોર્ટ રેન્જ બેલિસ્ટિક મિસાઇલ ‘પ્રલય’નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. સંરક્ષણ અધિકારીના જણાવ્યા અનુસાર આ મિસાઇલને ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (ડીઆરડીઓ) દ્વારા પાડોશી દેશ ચીન અને પાકિસ્તાન સાથેની તેની સરહદો…
વર્લ્ડ કપમાં મેક્સવેલની વિક્રમી ‘ડબલ સેન્ચ્યુરી’ સાથે ઑસ્ટ્રેલિયાનો જ્વલંત વિજય
મુંબઇ: વન-ડે વર્લ્ડકપ ૨૦૨૩ની ૩૯મી મેચમાં ઓસ્ટ્રેલિયાએ અફઘાનિસ્તાનને ત્રણ વિકેટથી હરાવ્યું હતું. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ગ્લેન મેક્સવેલે અણનમ બેવડી સદી ફટકારી હારેલી મેચમાં ઓસ્ટ્રેલિયાને જીત અપાવી હતી. પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને ૨૯૧ રન કર્યા હતા. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ…
- આપણું ગુજરાત
₹ ૫માં ભોજન: શ્રમિક અન્નપૂર્ણા યોજનાના વધુ ૧૫૫ કેન્દ્રોનું લોકાર્પણ ગુજરાતના મુખ્ય પ્રધાન કરશે
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત રાજ્યભરમાં વધુ ૧૫૫ ભોજનકેન્દ્રોનું લોકાર્પણ આગામી તા.૧૦ નવેમ્બરના રોજ પંડિત દીનદયાલ ઉપાધ્યાય હોલ, અમદાવાદ ખાતે આયોજિત રાજ્યકક્ષાના કાર્યક્રમમાં કરવામાં આવશે. આ કાર્યક્રમ અંતર્ગત મુખ્યપ્રધાન અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ કડિયાનાકા…
પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું દિવાળીમાં રાત્રે ૮ થી ૧૦ વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: શહેરમાં દિવાળીના તહેવારને લઈને પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં રાતના આઠથી ૧૦વાગ્યા સુધીમાં જ શહેરીજનો ફટાકડા ફોડી શકે તેવું જણાવ્યું છે. આ સમય સિવાય કોઈપણ વ્યકિત ફટાકડા ફોડશે તો પોલીસ જાહેરનામા ભંગનો ગુનો…
ગુજરાતમાં ફટાકડા બજારમાં મંદીનું મોજું: ભાવમાં ૧૫થી ૨૦ ટકાનો ભાવવધારો
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં દિવાળીના તહેવારના ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. રાજ્યમાં ગ્રાહકો વગર શહેરોના ફટાકડા બજારમાં વેપારીઓ હવા ખાતા હોવાનો વસવસો ખુદ વેપારીઓના મુખેથી સાંભળવા મળ્યો હતો. શિવાકાશીમાં બનતા અને ગુજરાત સુધી પહોંચતા ફટાકડા બજારમાં ઘરાકી વગર વેપારીઓના…
ગુજરાત એસ.ટી. નિગમના ફિક્સ પગારના કર્મચારીઓના વેતનમાં ૩૦ ટકા સુધીનો વધારો
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: રાજ્યના ૨૫ લાખથી વધુ પરિવારોને યાતાયાતની સુવિધા પુરી પાડવાનું ઉત્તમ કાર્ય કરી રહેલા ગુજરાત એસ.ટી. વિભાગના સાત હજારથી વધુ ફિક્સ પગારના કર્મચારીઓના પગારમાં ૩૦ ટકા જેટલો વધારો કરવાનો નિર્ણય ગુજરાત સરકારે કર્યો હતો. આ મહત્ત્વપૂર્ણ જાહેરાત કરતા…
પશ્ર્ચિમ રેલવે તહેવારોમાં સુરત-મહુવા અને સુરત-વેરાવળ વચ્ચે સ્પેશિયલ ટ્રેનો દોડાવશે
અમદાવાદ: પશ્ર્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધા અને તહેવારોને ધ્યાનમાં રાખીને અમદાવાદ મંડળ થઈને ખાસ ભાડું લઈને વધુ ત્રણ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લીધો છે. પશ્ર્ચિમ રેલવે દ્વારા ત્રણ ફેસ્ટીવલ સ્પેશીયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લીધો છે. જેમાં ટ્રેન નંબર ૦૯૧૧૧-૦૯૧ર…
અમરેલીમાં નાનાં વિમાનો બનશે: એક વર્ષમાં ૨૫ વિમાનોનું પ્રોડક્શન થશે
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: એક વિમાન ઉત્પાદક કંપની દ્વારા અમરેલી ખાતે નાના વિમાન બનાવવાના પ્રોજેક્ટનું અમરેલીના લાઠી રોડ ઉપર ખાત મુહૂર્ત કરાયું હતું. જેમાં કેન્દ્રીય પ્રધાન પરષોત્તમ રૂપાલા અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હાથે ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું. વલ્લભ કુલભૂષણ…