અમદાવાદની ૧૩૩ સરકારી સ્કૂલમાં ૭૭૫ ઓરડાની ઘટ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: શહેર અને જિલ્લામાં આવેલી સરકારી પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલો પૈકી ૧૩૩ સ્કૂલમાં ૭૭૫ જેટલા ઓરડાની ઘટ હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. શહેરની ૪૪૯ સરકારી પ્રાથમિક સ્કૂલ પૈકી ૮૭ સ્કૂલમાં ૬૨૨ ઓરડાની ઘટ છે, જ્યારે જિલ્લાની ૬૮૬ સરકારી…
સુરત મનપાએ ૧૦ દિવસમાં ૧૭ ટન પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કર્યો
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: સુરત મનપા દ્વારા શહેરના વિવિધ ઝોન વિસ્તારમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનું દૂષણ નાથવા માટે મોટા પાયે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે ઉધના ઝોન વિસ્તારમાં એક કારખાનામાં તપાસ હાથ ધરી ૯૦૦ કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કર્યો…
અમદાવાદમાં ૧૨ સ્થળે ઈવી ચાર્જિંગ સ્ટેશન શરૂ કરવામાં આવ્યાં
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: અમદાવાદ શહેર સહિત રાજ્યભરમાં ઇલેક્ટ્રિક વાહનધારકોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ઇલેક્ટ્રિક વ્હિકલને પ્રોત્સાહન આપવા માટે ઇવી ચાર્જિંગ સ્ટેશનની સંખ્યામાં વધારો કરવામાં આવી રહ્યો છે. અમદાવાદ શહેરમાં ઇવી ધારકો માટે ૧૨ સ્થળોએ ઇલેક્ટ્રિક વ્હિકલ ચાર્જિંગ સ્ટેશન શરૂ…
અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં ૬૬,૪૬૦ દર્દીઓને ૧૪૬ કરોડની સહાય
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં પ્રધાનમંત્રી જન આરોગ્યમાં યોજના હેઠળ છેલ્લા બે વર્ષમાં ૬૬,૪૬૦ દર્દીઓને ૧૪૬ કરોડની સહાય ચૂકવાઇ છે. સાબરકાંઠા જિલ્લામાં ૯૧ અને અરવલ્લી જિલ્લામાં ૫૯ હૉસ્પિટલો આ યોજના હેઠળ સારવાર માટે જોડવામાં આવી છે એવું વિધાનસભામાં…
પારસી મરણ
ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.
હિન્દુ મરણ
ઘોઘારી મોઢ વણિકધ્રાંગધ્રા હાલ વસઈ મનહરલાલ તારાચંદ પારેખના ધર્મપત્ની મધુમતીબેન (ઉં. વ. ૮૮) ૧૧-૨-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે કમલેશ, પ્રજ્ઞા, જયશ્રી, પ્રવિણાના માતુશ્રી. આશા પારેખ, સંજય મણિયાર, સંજય પારેખ, હિતેશ ગાંધીના સાસુ. હેમાંગી, યજ્ઞેશના દાદી, રિયાના દાદીસાસુ તેમજ સ્વ. પ્રવિણચંદ્ર,…
જૈન મરણ
દશા શ્રીમાળી ઝાલાવાડી સ્થા. જૈનમુંબઈ નિવાસી હિતેશભાઈ (ઉં. વ. ૫૮) તે સ્વ. રજનીકાંતભાઈ તથા સ્વ. રંજનબેન જોબાલીયાના સુપુત્ર. દિપ્તીબેનના પતિ તેમ જ કરણના પિતાશ્રી તથા વિનોદીનીબેન અને સુશીલાબેનના ભત્રીજા. શેફાલીબેન હિતેનભાઈ મોટાણી તથા પંકજભાઈ અને કેતનભાઈના ભાઈ તેમ જ સુશીલચંદ્ર…
- શેર બજાર
રિબાઉન્ડ: બૅન્ક અને આઇટી શૅરોની લેવાલીએ સેન્સેક્સ ૪૮૨ પોઇન્ટ આગળ વધ્યો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અનિશ્ર્ચિત વાતાવરણ અને કોઇ ટ્રીગરના અભાવમાં દિશાહિન પરિસ્થિતિમાં બેન્કિંગ, ફાઈનાન્સિયલ સર્વિસીસ અને આઈટી સેક્ટરના શેરોમાં લેવાલીનો ટેકો મળતાં મંગળવારે બીએસઇના બેન્ચમાર્ક સેન્સેક્સમાં ૪૮૨ પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો તેમ જ નિફ્ટી ૨૧,૭૦૦ના સ્તરની ઉપર પાછો ફર્યો હતો. રિટેલ…
- વેપાર
ડૉલર સામે રૂપિયામાં ટકેલું વલણ
મુંબઈ: વૈશ્ર્વિક વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સ તેમ જ બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં સુધારાતરફી વલણ રહ્યું હોવાના અહેવાલ છતાં સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ અને ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૧૨૬.૬૦ કરોડની ચોખ્ખી લેવાલી રહી હોવાથી આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર…
- વિજ્ઞાન અને ટેકનોલોજી
સોનામાં ₹ ૯૩નો ધીમો સુધારો, ચાંદી ₹ ૯૮ ઘટી
મુંબઈ: અમેરિકા ખાતે આજે મોડી સાંજે થનારી જાન્યુઆરી મહિનાની ફુગાવાની જાહેરાત પૂર્વે લંડન ખાતે સત્રના આરંભે હાજર અને વાયદામાં સોનાના ભાવમાં ઘટ્યા મથાળેથી સુધારો આવ્યો હતો તેમ જ ચાંદીમાં પણ ભાવ વધી આવ્યા હતા. આમ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે સ્થાનિક ઝવેરી…