- નેશનલ
આ રાજ્યમાં અનેક લોકોનું વીજળી બિલ થઈ જશે ઝીરો, સરકારે કરી જાહેરાત
પટનાઃ જે રાજ્યમાં ચૂંટણી હોય તેના થોડા મહિના તે રાજ્યના લોકો માટે ગોલ્ડન પીરિયડ બની જાય છે. સરકાર દ્વારા અનેક પ્રકારની યોજના જાહેર કરવામાં આવે છે. બિહારમાં આ વર્ષે ચૂંટણી છે અને બિહાર સરકાર પણ એકબાદ એક યોજના શરૂ કરી…
- અમરેલી
અમરેલીના રાજુલાના ઉંટીયા ગામે કૂવામાં ખાબકતા સિંહનું મોત
અમરેલી: જિલ્લાના રાજુલા તાલુકાના ઉંટીયા ગામમાં કુવામાં ખાબકવાથી એક યુવા સિંહનું મોત થયું હતું.ખેડૂત વાલાભાઈ બાઘાભાઈ લાખણોત્રાની વાડીમાં આવેલો ખુલ્લો કૂવો છે. આ કૂવામાં એક થી બે વર્ષની ઉંમરનો સિંહ પડી ગયો હતો. ખેડૂતે આ અંગેની જાણ વન વિભાગને કરી…
- આપણું ગુજરાત
સુરત પોલીસ નામ સાંભળીને ગુનેગાર દૂર ભાગવો જોઈએ, પોલીસ સ્ટેશનના ઉદ્ઘાટન બોલ્યા હર્ષ સંઘવી
સુરતઃ ગુજરાતમાં અનેક શહેરોમાં ગુનેગારોને પોલીસની બીક ન હોય તેમ છડેચોક કાયદાના લીરા ઉડાવ્યા હોવાની અનેક ઘટના સામે આવી છે. આ દરમિયાન આજે સુરતમાં હર્ષ સંઘવીએ અલથાણ પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યા બાદ કહ્યું, પોલીસનું નામ સાંભળીને ગુનેગાર દૂર ભાગવો જોઈએ.…
- ઇન્ટરનેશનલ
1 ઓગસ્ટથી યુરોપિયન યુનિયન અને મેક્સિકો પર લાગશે 30 ટકા ટેરિફ, ટ્રમ્પે કરી જાહેરાત
વોશિંગ્ટન ડીસીઃ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુરોપિયન યુનિયન અને મેક્સિકો પર 30 ટકા ટેરિફ લગાવવાની જાહેરા કરી હતી. આ ટેરિફ 1 ઓગસ્ટ 2025થી લાગુ પડશે. ટ્રમ્પના આ નિર્ણયથી અમેરિકાના વ્યાપારિક સંબંધો પર મોટી અસર પડી શકે છે. ઈયુ અને મેક્સિકો…
- રાજકોટ
રાજકોટ રેલવે ડિવિઝન આયોજીત રોજગાર મેળામાં 95 ઉમેદવારોને નિમણૂક પત્ર અપાયા
રાજકોટઃ રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા જગજીવનરામ રેલવે ઇન્સ્ટિટ્યૂટ, કોઠી કમ્પાઉન્ડમાં 16મા રોજગાર મેળાનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સવારે 11 કલાકે આ મેળાનો શુભારંભ કર્યો હતો અને 51,000થી વધુ નવનિયુક્ત કર્મચારીને નિમણૂક…
- અમદાવાદ
અમદાવાદની સિવિલ હોસ્પિટલ પાર કર્યો ૨૦૦ અંગદાનનો માઇલસ્ટોન
અમદાવાદઃ અમદાવાદ સિવિલ હોસ્પિટલે આદરેલા અંગદાનના સેવાયજ્ઞમાં ૨૦૦મા અંગદાતા તરફથી અંગદાન મળ્યું હતું. અમરેલીના વતની મહેશભાઇ સોલંકી બ્રેઇનડેડ થતાં પરિવારજનોએ ગુરુપૂર્ણિમાના દિવસે અંગદાનનો નિર્ણય કર્યો અને ૨૦૦ અંગદાનનો માઇલસ્ટોન સિવિલ હોસ્પિટલે પાર કરી લીધો હતો. આજદિન સુધીમાં થયેલા કુલ ૨૦૦…
- રાજકોટ
રાજકોટમાં ચકડોળ વગર જ લોકમેળો યોજાશે, તંત્રએ શરૂ કરી તૈયારી
રાજકોટઃ માત્ર સૌરાષ્ટ્ર જ નહીં સમગ્ર ગુજરાતમાં વિખ્યાત રાજકોટના લોકમેળાને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. જન્માષ્ટમીના ભાતીગળ પાંચ દિવસીય લોકમેળો આ વખતે રાઈડસ વગર જ યોજવો પડે તેવા સંજોગોનું નિર્માણ થવા પામ્યું છે. લોકમેળાના 238 સ્ટોલ સામે માત્ર…
- આપણું ગુજરાત
સરદાર સરોવર ડેમ 50 ટકાથી વધુ ભરાયોઃ રાજ્યમાં 70 તાલુકામાં મેઘમહેર
અમદાવાદઃ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસવા માટે તૈયાર થઈ રહ્યા છે. હવામાન વિભાગે આગામી ચાર દિવસ માટે રાજ્યભરમાં વરસાદની આગાહી કરી છે. આ દરમિયાન ઉત્તર ગુજરાતમાં મુશળધાર વરસાદની સંભાવના વ્યક્ત કરી હતી. હવામાન વિભાગ મુજબ, કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની…
- મોરબી
મોરબીના રવાપરમાં મહિલાઓએ થાળી વગાડી ચક્કાજામ કર્યો, જાણો શું છે મામલો
મોરબીઃ મોરબીના રવાપર ગામમાં બિસ્માર રસ્તા, પાણીના નિકાલનો અભાવ જેવા મુદ્દે મહિલાઓ રણચંડી બની હતી. મહિલાઓએ ચક્કાજામ કર્યોહતો અને થાળી વગાડી તંત્રના બહેરા કાને અવાજ પહોંચાડવા પ્રયાસ કર્યો હતો. મોરબીના રવાપર ગામે રામ સેતુ સોસાયટી અને ઉમિયાનગરમાં બિસમાર રોડ, પાણીનો…
- વડોદરા
વડોદરામાં ભરચોમાસે લોકો પાણીના ટેન્કર મંગાવવા મજબૂર, જાણો વિગત
વડોદરાઃ શહેરના કેટલાક વિસ્તારમાં ભરચોમાસે પાણીની સમસ્યા સર્જાઈ છે. જેના કારણે લોકો ટેન્કર મંગાવવા મજબૂર બન્યા હતા. વિતરણ વ્યવસ્થામાં ખામી રહેવાના કારણે આ સમસ્યા ઊભી થઈ હતી. આ અંગે મ્યુનિસિપલ કમિશનરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. શહેરના કારેલીબાગ વિસ્તારમાં ધનલક્ષ્મી…