- નેશનલ
સોનિયા ગાંધીની કેવી છે તબિયત? હોસ્પિટલે બહાર પાડ્યું હેલ્થ બુલેટિન
નવી દિલ્હીઃ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીના સ્વાસ્થ્યને લઈ સર ગંગા રામ હોસ્પિટલ દ્વારા હેલ્થ બુલેટિન જાહેર કરવામાં આવ્યું હતું. જે મુજબ સોનિયા ગાંધીની તબિયત સ્થિર છે. તેમને પેટ સંબંધી સમસ્યાને લઈ રવિવારે સાંજે દિલ્હીની સર ગંગા રામ હોસ્પિટલમાં દાખલ…
- રાજકોટ
રાજકોટમાં સ્વ. પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની અંતિમ યાત્રા વખતે આ રોડ રહેશે બંધ…
રાજકોટઃ શહેરમાં સ્વ. પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની અંતિમ યાત્રા નીકળશે. રાજકોટ શહેર તથા આજુબાજુના ગામોમાંથી બહોળા પ્રમાણમાં રાજકીય કાર્યકરો, વ્યાપારીઓ અને જનતા રામનાથપરા સ્મશાને જનારી અંતિમ યાત્રામાં જોડાવાની તથા દર્શનાર્થે આવવાની શક્યતા હોવાથી રાજકોટ શહેર ઇન્ચાર્જ પોલીસ કમિશનર મહેન્દ્ર…
- ઇન્ટરનેશનલ
અમેરિકામાં બે સાંસદોની ઘરમાં ઘૂસીને ગોળી મારી હત્યા, પોલીસે શરૂ કર્યો તપાસનો ધમધમાટ…
વોશિંગ્ટનઃ અમેરિકામાં વધુ એક વખત ફાયરિંગની ઘટના બની હતી. અધિકારીઓએ જણાવ્યું કે મિનેસોટાના બે સાંસદોને તેમના ઘરોમાં ગોળી મારવામાં આવી હતી. જેને ગવર્નરે ટાર્ગેટ હુમલો ગણાવ્યો હતો. મિનેસોટાના મેયરે જણાવ્યું કે શનિવારે સવારે સેનેટર અને સ્ટેટ રિપ્રેઝન્ટેટિવને તેમના ઘરોમાં ગોળી…
- અમદાવાદ
અમદાવાદ વિમાન દુર્ઘટનાઃ એર ઈન્ડિયાએ વધારાના રૂપિયા 25 લાખની સહાય જાહેર કરી, હવે મૃતકોના પરિવારને મળશે આટલી રકમ…
અમદાવાદઃ એર ઈન્ડિયા અને તેની પેરેન્ટ કંપની ટાટા ગ્રુપ અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને 1.25 કરોડની મદદ કરશે. જેમાં એક કરોડ ટાટા સન્સ અને 25 લાખ એરલાઈન્સ તરફથી આપવામાં આવશે. એ ઈન્ડિયાએ તેના સોશિયલ મીડિયા પર મુકેલી એક પોસ્ટમાં…
- અમદાવાદ
વિજય રૂપાણીના ડીએનએ હજુ નથી થયા મેચ, રાજકોટમાં અંતિમ વિધિની તૈયારી…
અમદાવાદઃ શહેર માટે ગુરુવારનો દિવસ ગોજારો સાબિત થયો હતો. અમદાવાર એરપોર્ટ પરથી ઉડાન ભરેલું એર ઈન્ડિયાનું વિમાન મેઘાણીનગર વિસ્તારમાં ક્રેશ થયું હતું. વિમાનમાં પાયલટ, ક્રૂ મેમ્બર્સ અને મુસાફરો મળી કુલ 242 લોકો હતા. જેમાંથી એક વ્યક્તિનો ચમત્કારિક બચાવ થયો હતો.…
- દાહોદ
દાહોદમાં વીજળી પડતા પિતા-પુત્રનું મોત, અમરેલીના વાતાવરણમાં પણ આવ્યો પલટો
અમરેલી/ગોધરાઃ રાજ્યના કેટલાક વિસ્તારમાં શનિવારે બપોર પછી પલટો આવ્યો હતો. અમરેલીમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો. દાહોદના વાતાવરણમાં પલટો આવ્યો હતો. વીજળી પડવાથી બે લોકોનાં મોત થયા હતા. મળતી વિગત પ્રમાણે, બપોર બાદ દાહોદના વાતાવરણમાં પલટો આવ્યો હતો.…
- નેશનલ
મલ્લિકાર્જુન ખડગેએ અમદાવાદ પ્લેન ક્રેશને લઈ કહી આ વાત
અમદાવાદઃ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં 12 જૂને એર ઈન્ડિયાનું વિમાન તૂટી પડ્યું હતું. દુર્ઘટનાના ત્રીજા દિવસે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અમદાવાદ આવ્યા હતા. તેમણે સિવિલ હોસ્પિટલમાં ઈજાગ્રસ્તો સાથે મુલાકાત કરી હતી તેમજ ઘટના સ્થળની પણ મુલાકાત કરી હતી. આ પછી તેમણે…
- જૂનાગઢ
હવે માર્કેટમાં આવશે ગોટલા વગરની કેરી, જૂનાગઢ ખેડૂતે વિકસાવી નવી જાત…
જૂનાગઢઃ જૂનાગઢ જિલ્લામાં કેસર કેરી પ્રખ્યાત છે. ગીરની કેસર કેરીની નિકાસ પણ મોટાપાયે કરવામાં આવે છે, ત્યારે એક ખેડૂતે ગીરમાં ગોટલા વગરની કેરીની ખેતી કરી હતી. આ કેરી સિંધુ 117 નામથી ઓળખાશે. સાસણ નજીકના ભાલછેલના ખેડૂતે સીડલેસ કેરીની જાત વિકસાવી…
- ઇન્ટરનેશનલ
ઈરાનના હુમલામાં ઈઝરાયલના 3 નાગરિકના મોત, રક્ષા મંત્રીએ કહી આ વાત
દુબઈઃ ઈરાન અને ઈઝરાયલ વચ્ચે સંઘર્ષ ભયાનક રૂપ લઈ રહ્યો છે. ઈરાને શનિવારે સવારે ઈઝરાયલ પર મિસાઈલ હુમલો કર્યો હતો. જેમાં ત્રણ લોકોના મોત થયા હતા અને 10થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ પહેલા ઈઝરાયલે ઈરાનના ન્યુક્લિયર ઠેકાણા અને…