- અમરેલી

સાવરકુંડલા: થોરડીમાં સિંહે બાળકને ફાડી ખાધો, પંથકમાં ફફડાટ
અમરેલીઃ સાવરકુંડલા તાલુકાના થોરડી ગામમાં સિંહે એક પાંચ વર્ષના માસૂમ બાળકને ફાડી ખાધાની ઘટના બની હતી. આ ઘટનાની જાણ થતા જ વન વિભાગની ટીમ દોડી ગઈ હતી અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું મળતી માહિતી મુજબ, સાવરકુંડલા તાલુકાના થોરડી અને…
- અમદાવાદ

અમદાવાદમાં બે કલાકમાં અઢી ઈંચ વરસાદથી અનેક જગ્યાએ પાણી ભરાયા, વાહન ચાલકો પરેશાન
અમદાવાદઃ શહેરમાં વીજળીના કડાકા ભડકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. નરોડા, બાપુનગર, નિકોલ, રાણીપ, વાડજ, વસ્ત્રાપુર, બોપલ, પંચવટી, શીલજ એમ પૂર્વથી લઈ પશ્ચિમના લગભગ તમામ વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા હતા, જેના કારણે વાહન ચાલકોએ…
- રાજકોટ

રાજકોટમાં કોરોનાના 4 નવા કેસ નોંધાયાઃ 30 દર્દી હોમ આઈસોલેશનમાં
રાજકોટઃ રાજકોટ શહેરમાં આજે કોરોનાના 4 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે 8 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. નવા નોંધાયેલા કેસમાં 3 મહિલા અને 1 પુરુષ હતો. રાજકોટ શહેરની કુલ કોરોના કેસની સંખ્યા 195 પર પહોંચી હતી. હાલ રાજકોટ શહેરમાં…
- અમદાવાદ

ગુજરાતમાં પ્રથમ વખત માત્ર દિવ્યાંગ ઉમેદવારો માટે GPSC એ ભરતી બહાર પાડી
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદઃ ગુજરાતમાં જીપીએસસી દ્વારા 102 ભરતી બહાર પાડવામાં આવી હતી. નાયબ સેક્શન અધિકારી (સચિવાલય) વર્ગ – 3ની 92, નાયબ સેક્શન અધિકારી (ગુજરાત વિધાનસભા) વર્ગ – 3-ની 1 તથા નાયબ સેક્શન અધિકારી (ગુજરાત જાહેર સેવા આયોગ)ની – 9 જગ્યા…
- અમદાવાદ

ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યુંઃ 62 તાલુકામાં એક ઇંચથી ઓછો વરસાદ
અમદાવાદઃ ગુજરાતમાં વરસાદનું જોર આજે ધીમું પડ્યું હતું. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા ગુજરાતમાં સવારે 6 થી સાંજે 6 વાગ્યા સુધીના વરસાદના આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. રાજ્યમાં 98 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. 62 તાલુકામાં એક ઈંચથી ઓછો વરસાદ પડ્યો…
- સુરત

સુરતમાં અષાઢી બીજે નહીં પણ પછીના દિવસે નીકળશે રથયાત્રા, જાણો શું છે વિશેષતા?
સુરતઃ અમદાવાદમાં નીકળનારી 148મી રથયાત્રાને ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. અમદાવાદ સિવાય રાજ્યના અનેક શહેરો, નગરોમાં પણ રથયાત્રા નીકળે છે. જોકે એક શહેરમાં અષાઢી બીજે નહીં પણ આ પછીના દિવસે રથયાત્રા નીકળે છે. મળતી વિગત પ્રમાણે, સુરતના વેસુ વિસ્તાર…
- અમદાવાદ

અમદાવાદ વિમાન દુર્ઘટનાના બાદ મેસમાં વિદ્યાર્થીઓ થયા એકત્ર, કર્યા પૂજાપાઠ…
અમદાવાદઃ શહેરમાં એર ઈન્ડિયાની એઆઈ-171 નંબરની ફ્લાઈટ લંડન જતી વખતે બી જે મેડિકલ કોલેજ હોસ્ટેલમાં તૂટી પડી હતી. આ દુર્ઘટનામાં મેડિકલના ચાર વિદ્યાર્થીઓના મોત થયા હતા અને 24 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનાના 12 દિવસ બાદ બી જે મેડિકલ કોલેજના…
- અમદાવાદ

રથયાત્રાઃ જગન્નાથજીની નેત્રોત્સવ વિધિમાં ગૃહ રાજ્ય પ્રધાન હાજર રહ્યા, રુટનું કર્યું નિરીક્ષણ
અમદાવાદઃ શહેરમાં ભગવાન જગન્નાથજીની ૧૪૮મી રથયાત્રા માટે સુરક્ષા સહિતની તમામ વ્યવસ્થાઓ કરી લેવામાં આવી છે. ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ આજે ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિમાં સહભાગી થઈને આરતી ઉતારી હતી, તેમજ ધ્વજારોહણ પણ કરાવ્યું હતું. ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી…
- આપણું ગુજરાત

કાળા ડીબાંગ વાદળો કરશે ધરતી પર અભિષેક, અંબાલાલ પટેલે કહ્યું ઉતર ગુજરાત, પૂર્વ ગુજરાતમાં વરસાદની ‘ઘાત’…
અમદાવાદઃ રાજ્યમાં ચોમાસાએ જમાવટ કરી છે. સવારે 6 થી રાત્રે 10 વાગ્યા સુધીના આંકડા પ્રમાણે, રાજ્યના 138 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં સૌથી વધુ વરસાદ નાંદોદમાં 8.66 ઈંચ પડ્યો હતો. દાહોદમાં 7.13 ઈંચ, તિલકવાડામાં 7.13 ઈંચ, ધરમપુરમાં 6.61 ઈંચ, વલસાડમાં…
- ઇન્ટરનેશનલ

ફરી નોબેલ પુરસ્કાર માટે ટ્રમ્પના નામની ભલામણ, હવે કોણે કર્યા નોમિનેટ?
વોશિંગ્ટન ડીસીઃ પહલગામ આતંકી હુમલાનો બદલો ભારતે ઓપરેશન સિંદૂરથી લીધો હતો. જે બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સર્જાયો હતો. તે સમયે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સીઝફાયર કરાવ્યું હતું. હાલ ઈઝરાયલ અને અમેરિકા વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છ, આ સમયે…









