- અમદાવાદ

અમદાવાદ AMCમાં વધુ એક ભરતી કૌભાંડ: હેડ ક્લાર્કે 8 ઉમેદવારના માર્કસ વધારી નોકરી અપાવી, તમામને સસ્પેન્ડ કરાયા
અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી)ના ભરતી કૌભાંડમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો હતો. અગાઉ કૌભાંડમાં પકડાયેલા આરોપી અને એએમસીના હેડ ક્લાર્ક પુલકિત સથવારાએ વધુ 8 ઉમેદવારના માર્કસ વધારીને તેમને નોકરી અપાવી હતી. આ મામલો સામે આવતા મ્યુનિસિપલ કમિશનરે આ તમામ…
- સુરત

સુરતના પાકિસ્તાન મહોલ્લાનું નામ બદલાયું, જાણો હવે શું નામ રાખ્યું?
સુરતઃ શહેરમાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી પહેલા અહીંના તંત્ર દ્વારા એક ખાસ નિર્ણય લેવામાં આવ્યો હતો. સુરત મહાનગર પાલિકાએ રામનગર વિસ્તારમાં આવેલા એક મહોલ્લા જે અત્યાર સુધી ‘પાકિસ્તાન મહોલ્લા’ તરીકે ઓળખાતો હતો, તેનું નામ બદલીને ‘હિન્દુસ્તાની મહોલ્લા’ કર્યું હતું. આ મહોલ્લાનું…
- આપણું ગુજરાત

જન્માષ્ટમીના તહેવારો માટે STની ભેટ: 1,200થી વધુ એક્સ્ટ્રા બસ દોડશે
ગાંધીનગરઃ રાજ્યના નાગરિકો પવિત્ર શ્રાવણ માસમાં આવતા સાતમ, આઠમ-જન્માષ્ટમીના તહેવારો સારી રીતે ઉજવી શકે તે માટે એસ.ટી નિગમ દ્વારા જુદા જુદા અને મોટા શહેરોને જોડતી દૈનિક ૧૨૦૦થી વધુ એક્સ્ટ્રા બસ દોડાવવાનું સફળ આયોજન કર્યું છે. જેનો અંદાજે બે લાખથી વધુ…
- સુરત

સુરતમાં ટ્રાફિક પોલીસે મનપાના જ 20 વાહનો ડિટેઈન કર્યા…
સુરત: શહેરમાં તાજેતરમાં એક ડમ્પરની ટક્કરથી એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. આ ઘટના બાદ ટ્રાફિક પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી હતી. પ્રતિબંધિત સમયમાં શહેરમાં પ્રવેશતા મોટા વાહનો સામે કાર્યવાહી કરતા પોલીસે સુરત મહાનગરપાલિકાના જ વાહનોમાં ગેરરીતિ પકડી પાડી હતી. પોલીસે…
- Uncategorized

ગુજરાતના ત્રણ સરપંચને નવી દિલ્હીમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં વિશેષ અતિથિ તરીકે આમંત્રણ
ગાંધીનગરઃ ગુજરાત એવું રાજ્ય છે જેની ઓળખ તેના વિકાસની ગતિ અને અન્યોને પ્રેરણા આપતા દૂરંદેશી વિઝનથી થાય છે. આવા સુંદર ગુજરાત રાજ્યના ગામડાઓ પણ વિકાસના પંથે તેજ ગતિએ આગળ વધી રહ્યા છે. કચ્છ જિલ્લાના ભીમાસર, ભરૂચ જિલ્લાના અખોડ અને નવસારી…
- વલસાડ

પાર-તાપી-નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં આદિવાસી સમાજ મેદાનમાં, સરકારે શું કહ્યું?
વલસાડઃ જિલ્લાના ધરમપુર ખાતે પાર-તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં મોટી રેલી યોજાઈ હતી. ડેમ હટાવો સમિતિના નેતૃત્વમાં આયોજીત આ રેલીમાં ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. રેલીમાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ, કોંગ્રેસના નેતા અમિત ચાવડા…
- આપણું ગુજરાત

ગુજરાતમાં ‘સ્વતંત્રતા સપ્તાહ’ની ભવ્ય ઉજવણી: તિરંગા યાત્રામાં 26 લાખથી વધુ લોકો જોડાયા, 50 લાખ તિરંગાનું વિતરણ
અમદાવાદઃ રાજ્યમાં રાષ્ટ્રધ્વજના સન્માનમાં આઠથી પંદરમી ઓગસ્ટ દરમિયાન રાજ્યભરમાં ‘સ્વતંત્રતા સપ્તાહ’ ઉજવવામાં આવી રહ્યું છે. રાજ્યના નાગરિકોમાં રાષ્ટ્રધ્વજ, સ્વચ્છતા તેમ જ દેશ પ્રત્યે વધુ રાષ્ટ્ર ભાવના આવે તે માટે ‘રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. ગુજરાતના તમામ જિલ્લાઓ…
- ગાંધીનગર

તહેવારોમાં ગ્રાહકોને છેતરતા દુકાનદારો સાવધાન! 126 દુકાન સામે પગલાં, લાખોનો દંડ!
ગાંધીનગરઃ જન્માષ્ટમી સહિતના તહેવારોને ધ્યાનમાં લઈને સામૂહિક ઝુંબેશના ભાગરૂપે ગુજરાત સરકારની કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક બાબતોની કચેરી દ્વારા રાજ્યના ૨૫ જિલ્લાની કુલ ૩૩૨ જેટલી મીઠાઇ, ફરસાણ, ડ્રાયફ્રૂટ્સ અને ગિફ્ટ વગેરેની દુકાનોમાં દરોડા પાડીને તપાસ હાથ ધરવામાં આવી હતી. આ…
- આપણું ગુજરાત

ગુજરાતી વિદ્યાર્થીઓ ગણિતમાં નબળા: સર્વેમાં ચિંતાજનક તારણો
અમદાવાદ: ગુજરાતમાં જ્યાં નફો-નુકસાન ગણવાની અને છેલ્લી પાઈ સુધી ભાવતાલ કરવાની આવડત સહજ છે, ત્યાં એવી અપેક્ષા રાખવામાં આવે કે વિદ્યાર્થીઓ ગણિતમાં મજબૂત હશે. પરંતુ, તાજેતરના ‘પારખ’ મૂલ્યાંકન અહેવાલમાં એક ગંભીર ચિત્ર સામે આવ્યું હતું. ગુજરાતના વિદ્યાર્થીઓ પછી ભલે તે…









