- સુરત

સુરત સાયબર ફ્રોડ કેસ: ₹1550 કરોડના કૌભાંડમાં 1.50 લાખ પાનાની ચાર્જશીટ દાખલ
સુરતઃ ડાયમંડ નગરી સુરતમાં રૂ.1550 કરોડના સાયબર ફ્રોડ કેસમાં 88 દિવસની તપાસ બાદ 1.50 લાખ પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. આ કેસની શરુઆત 22 મે,2025ના રોજ ઉધના પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા એક સામાન્ય વાહન ચેકિંગથી થઈ હતી. પોલીસે…
- રાજકોટ

શ્રાવણનો અંતિમ સોમવાર: સૌરાષ્ટ્રના શિવાલયો ‘હર હર મહાદેવ’ના નાદથી ગુંજી ઊઠ્યા
રાજકોટઃ શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે સૌરાષ્ટ્રભરના શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકીના પ્રથમ સોમનાથ ખાતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા. નાગેશ્વર ખાતે પણ શિવભક્તોએ દર્શન કરવા લાઇન લગાવી હતી. સૌરાષ્ટ્રના તમામ નાના-મોટા શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી…
- અમરેલી

ધારીના આંબરડી સફારી પાર્કમાં જન્માષ્ટમીએ પ્રવાસીઓનો ધસારો, 3 દિવસમાં 6500 લોકોએ લીધી મુલાકાત
અમરેલી: જન્માષ્ટમીના તહેવારો દરમિયાન અમરેલીના ધારી નજીક આવેલા આંબરડી સફારી પાર્કમાં પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી. સાતમ, આઠમ અને રવિવાર એમ ત્રણ દિવસમાં 6500થી વધુ લોકોએ આ પાર્કની મુલાકાત લીધી હતી. સિંહ સહિત અનેક જંગલી પ્રાણીઓનું ઘર છે આંબરડી સફારી…
- આપણું ગુજરાત

તરણેતરનો મેળો બનશે ખેલ મહાકુંભ: 26 થી 28 ઓગસ્ટ દરમિયાન ‘ગ્રામીણ ઓલિમ્પિક’નું આયોજન
ગાંધીનગરઃ યુવાનોને રમત ગમત પ્રત્યે વધુ પ્રોત્સાહિત કરવા દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજ્ય સરકાર દ્વારા તરણેતરના મેળામાં ગ્રામિણ ઓલમ્પિકનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા.૨૬ થી ૨૮ ઓગસ્ટ દરમિયાન યોજાનાર ૨૦માં ગ્રામિણ ઓલમ્પિકમાં વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું…
- Top News

AAP ગુજરાતમાં એકલા હાથે લડશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: 10,000 થી વધુ બેઠકો પર ઉમેદવાર ઉતારશે
અમદાવાદઃ ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટીએ એક મોટો નિર્ણય લીધો હતો. આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં આવનારી તમામ સ્થાનિક ચૂંટણીઓ, એટલે કે પંચાયત અને નગરપાલિકાની બધી બેઠકો પર પૂરી તાકાતથી ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી.આ માટે, પાર્ટીએ…
- વડોદરા

વડોદરામાં GSFC કંપનીના કામદારોનો વિરોધ: નોકરી અને પગાર મુદ્દે કર્યો હોબાળો
વડોદરા: વડોદરા નજીક આવેલી GSFC (ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ) કંપનીમાં કામ કરતા કોન્ટ્રાક્ટ કામદારોને નોકરી પરથી છૂટા કરી દેવાતાં ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું. લગભગ 100થી વધુ કામદારોને છૂટા કરવામાં આવતાં તેમણે કંપનીના મુખ્ય ગેટ સામે પોસ્ટરો અને…
- સુરેન્દ્રનગર

સાયલામાં કિન્નરોના ઘરમાં ચોરીથી ચકચાર, છત તોડીને રોકડા ₹40,000ની ચોરી
સુરેન્દ્રનગર: જિલ્લાના સાયલામાં એક ચોંકાવનારી ઘટના બની હતી. સાયલાના જૂના રેલવે સ્ટેશન પાસે રહેતા કિન્નર સમાજના લોકોના ઘરમાં ચોરી થઈ હતી. મળતી વિગત પ્રમાણે, સાતમ-આઠમના તહેવાર દરમિયાન, કિન્નર દક્ષા દે અને તેમના સાથીઓએ ભિક્ષા માંગીને જે પૈસા અને સોનાની બુટ્ટી…
- વડોદરા

પાણી માટે ભાજપના બે જૂથ આમને-સામને, વડોદરાના સાવલીમાં થઈ મારામારી
વડોદરાઃ ભાજપમાં વધુ એક વિખવાદ સામે આવ્યો હતો. સાવલી તાલુકાના ભાદરવા ગામમાં પાણીના મુદ્દે ભાજપના બે જૂથો વચ્ચે મારામારી થઈ હતી. એક તરફ ગામના મહિલા સરપંચનો પરિવાર હતો અને બીજી તરફ પંચાયતના સભ્ય અને ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના સભ્ય અશોક…
- ગીર સોમનાથ

શ્રાવણના અંતિમ સોમવારે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ શિવભક્તિમાં થયા લીન, સોમનાથ દાદાના કર્યા દર્શન
સોમનાથઃ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ભક્તિ, ભવ્યતા અને દિવ્યતાના પ્રતિક એવા ભગવાન સોમનાથ મહાદેવના ભાવપૂર્વક દર્શન-અર્ચન અને જલાભિષેક પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવારે કર્યા હતા. પવિત્ર શ્રાવણ માસના છેલ્લા સોમવારે મુખ્ય પ્રધાને દ્વાદશ જ્યોતિર્લિંગના પ્રથમ જ્યોતિર્લિંગ અને સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ સોમનાથ…
- રાજકોટ

રાજકોટમાં કૃષ્ણ મહોત્સવની શોભાયાત્રા દરમિયાન બે જૂથ વચ્ચે મારામારી, પોલીસે સ્થિતિ થાળે પાડી
રાજકોટઃ ગુજરાતમાં જન્માષ્ટમીના ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. આ દરમિયાન રાજકોટમાં આયોજિત કૃષ્ણ મહોત્સવની 40મી શોભાયાત્રા દરમિયાન બે જૂથો વચ્ચે મારામારી થતા વાતાવરણ તંગ બન્યું હતું. જોકે, ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને…









