- આમચી મુંબઈ
થાણેમાં એકમાત્ર કમળ! ગણેશ નાઈકની જાહેરાતથી શિવસેનામાં અસ્વસ્થતા…
થાણે: દેશમાં એક સમય હતો જ્યારે ‘ઓન્લી વિમલ’ના નારા દરેક જગ્યાએ ગુંજતા હતા. હવે દેશમાં બધે જ ફરતું એકમાત્ર સૂત્ર ‘ઓન્લી કમળ’ (ફક્ત કમળ) છે. જો તમે ભવિષ્યમાં થાણે શહેરમાં સુશાસન ઇચ્છતા હો, જો તમને 24 કલાક પાણી જોઈતું હોય,…
- અમદાવાદ
અમદાવાદ ડિવિઝનના રેલવે સ્ટેશનોને મળશે રેલ કોચ રેસ્ટોરાં, કેવી હશે સુવિધા?
અમદાવાદઃ પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનમાં રેલ કોચ રેસ્ટોરાં બનાવવા જઈ રહ્યું છે. પશ્ચિમ રેલવેમાં ખાસ કરીને અમદાવાદ ડિવિઝનના પ્રવાસીઓની સુવિધાઓને વધારવા માટે મહેસાણા, સાબરમતી, આંબલી રોડ, ભુજ અને ગાંધીધામ રેલવે સ્ટેશનોના સર્ક્યુલેટિંગ વિસ્તારમાં ‘રેલ કોચ રેસ્ટોરાં’ શરૂ કરવા જઈ રહ્યું…
- મહાકુંભ 2025
મહાકુંભની હૃદયદ્રાવક દુર્ઘટનાના અસરગ્રસ્તોને અદાણી જૂથ મદદ કરશે…
Mumbai:પ્રયાગરાજમાં ચાલી રહેલા વિશ્વના સૌથી મોટા મહાકુંભમાં બુધવારે બનેલી હૃદયદ્રાવક ઘટના બાદ અદાણી જૂથે સરાહનીય કાર્ય કર્યું છે. અદાણી ગ્રુપે મેળા વહીવટીતંત્ર અને રાજ્ય સરકારના સહયોગથી અસરગ્રસ્ત પરિવારોને શક્ય તમામ સહાય પૂરી પાડવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. અદાણી ગ્રુપના ચેરમેને આ હૃદયદ્રાવક ઘટના અંગે દુખ વ્યક્ત કરતા દિવંગત આત્માઓને નમ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરી, શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી. Also read : મહાકુંભમાં નાસભાગઃ ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલથી લઈ પીએમ મોદીએ વ્યક્ત કર્યું દુઃખ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં બુધવારે મોડી રાત્રે મચેલી ભાગદોડમાં અનેક લોકો ઘાયલ થયા હતા. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ આ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ x પર લખ્યું છે કે, “મહાકુંભમાં બનેલી હૃદયદ્રાવક ઘટનાથી અમને ખૂબ જ દુઃખ થયું છે. અમે દિવંગત આત્માઓને અમારી નમ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ અને શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે અમારી ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ. મહાકુંભમાં હાજર રહેલા અદાણી પરિવારના તમામ સભ્યો અને સમગ્ર અદાણી ગ્રુપ, મેળા વહીવટીતંત્ર અને રાજ્ય સરકારના સહયોગથી, અસરગ્રસ્ત પરિવારોને શક્ય તમામ સહાય પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે”.ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં ગૌતમ અદાણી સંગમ નગરી પ્રયાગરાજમાં ‘મહાકુંભ 2025’ ના ભવ્ય કાર્યક્રમમાં પહોંચ્યા હતા. આ દરમિયાન ગૌતમ અદાણીએ મહાકુંભ મેળામાં ઇસ્કોન મંદિરના શિબિરની મુલાકાત લીધી. તેમણે પત્ની સાથે મળીને ઇસ્કોન મંદિર કેમ્પમાં શ્રદ્ધાળુઓને મહાપ્રસાદનું વિતરણ કર્યું. ત્યારબાદ ગૌતમ અદાણીએ તેમની પત્ની પ્રીતિ અદાણી સાથે ‘સંગમ ઘાટ’ પર પૂજા કરી લેટે હનુમાન મંદિરના દર્શન અને પૂજા-અર્ચના કરી હતી. Also read : પ્રયાગરાજમાં બહારના વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ , પીએમ મોદીએ ઘટના પર વ્યક્ત કર્યું દુઃખ આ વર્ષે અદાણી ગ્રુપ ઇસ્કોન અને ગીતા પ્રેસના સહયોગથી મહાકુંભમાં આવતા ભક્તોની સેવા કરવામાં પરોવાયેલું છે. ઇસ્કોન સાથે સહયોગથી અદાણી ગ્રુપ દરરોજ લાખો ભક્તોને મહાપ્રસાદનું વિતરણ કરી રહ્યું છે.
- આમચી મુંબઈ
મહાકુંભમાં થયેલા અકસ્માત માટે કોણ જવાબદાર? : શિવસેના (યુબીટી)વિપક્ષે મહાકુંભમાં વીઆઈપી કલ્ચર પર સવાલ ઉઠાવ્યા…
મુંબઈ: મહાકુંભમાં સંગમ ખાતે થયેલી ભગદડ બાદ રાજકીય ઉથલપાથલ વધુ તીવ્ર બની હતી. વિપક્ષી પાર્ટીઓ સરકારને ઘેરી રહી છે. તેમણે મેનેજમેન્ટ પર પણ પ્રશ્ર્નો ઉઠાવ્યા હતા. શિવસેના (યુબીટી)એ પણ આ ઘટના પર પ્રતિક્રિયા આપતાં બુધવારે જાણવા માગ્યું હતું કે મહાકુંભમાં…
- નેશનલ
Mahakumbh: પરિસ્થતિ નિયંત્રણમાં આવતા શાહી સ્નાનનો પ્રારંભ: હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા…
પ્રયાગરાજ: મહાકુંભ (Mahakumbh)માં થયેલી ભાગદોડ બાદ હવે અખાડાઓના અમૃત સ્નાનનો પ્રારંભ થઈ ચૂક્યો છે. હાલ તમામ સ્થિતિ નિયંત્રણમાં છે અને પોલીસ ભીડને નિયંત્રણ કરવાના તમામ શક્ય પ્રયત્નો કરી રહી છે. અમૃત સ્નાનના આરંભ થયા બાદ હવે 13 અખાડા મૌની અમાવસ્યા…
- અમદાવાદ
સરકારી અધિકારી બનવા ઈચ્છુક માટે ખુશખબરઃ GPSC આ વર્ષે 1,751 જગ્યા પર ભરતી કરશે…
અમદાવાદ: સરકારી ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્ત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા વર્ષ 2025નું ભરતી કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. GPSC દ્વારા તેમના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પરથી ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. જીપીએસસી…
- નેશનલ
મળો કેપ્ટન નિર્મલા સિતારામન અને તેમની બજેટ ટીમને…
નાણા પ્રધાન નિર્મલા સીતારામન પહેલી ફેબ્રુઆરીએ દેશનું બજેટ રજૂ કરશે. 2014માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે સત્તા સંભાળી ત્યાર બાદ નિર્મલા સીતારામને સાત વખત બજેટ રજૂ કર્યું છે. આ તેમનું આઠમું અને મોદી સરકારનું 14મું બજેટ હશે, જેમાં વચગાળાના બજેટનો…
- સ્પોર્ટસ
ICC T20 રેન્કિંગમાં તિલક વર્માને મોટો ફાયદો, ઇતિહાસ રચવાની ખુબ નજીક…
મુંબઈ: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે હાલમાં પાંચ T20Iની સિરીઝ (IND vs ENG T20I Series) રમાઈ રહી છે. ગઈ કાલે રાજકોટમાં રમાયેલી મેચમાં ભારતીય ટીમને હાર મળી. એવામાં ICC દ્વારા નવી T20 રેન્કિંગ જાહેર કરવામાં (ICC T20 Ranking) આવી છે, જેમાં…
- મનોરંજન
Saif Ali Khan પરના હુમલા બાદ પત્ની Kareena Kapoor-Khan એ લીધો મહત્ત્વનો નિર્ણય…
બોલીવૂડના અભિનેતા સૈફ અલી ખાન (Saif Ali Khan) પર 16મી જાન્યુઆરીના મધરાતે અજાણ્યા વ્યક્તિએ ઘરમાં ઘૂસીને હુમલો કરવામાં આવ્યો હતો. જોકે, આ હુમલામાં સૈફ અલી ખાન તો સાજો થઈને છઠ્ઠા દિવસે ઘરે પહોંચી ગયો છે, પરંતુ હવે કરિના કપૂર ખાન…
- મનોરંજન
Aishwarya Rai-Bachchan ને જાણીતા ડિરેક્ટર કર્યો સ્પર્શ તો એક્સ બોયફ્રેન્ડે આપ્યું આવું…
બોલીવૂડની મોસ્ટ બ્યુટીફૂલ અને ટેલેન્ટેડ એક્ટ્રેસમાંથી એક એવી ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) છેલ્લાં કેટલાક સમયથી પોતાની પર્સનલ લાઈફને કારણે વધારે ચર્ચામાં રહે છે. બોલીવૂડ એક્ટર અને પતિ અભિષેક બચ્ચન (Abhishek Bachchan) સાથેના ડિવોર્સની રિપોર્ટ્સને કારણે તે ખૂબ જ લાઈમલાઈટમાં રહે…