- જૂનાગઢ

વિસાવદર પેટાચૂંટણી: બુથ કેપ્ચરિંગની ફરિયાદ બાદ 2 બુથ પર થયું પુનઃ મતદાન, સરેરાશ 80 ટકાથી વધુ મતદાન
જુનાગઢ: વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં બે બુથ પર ૨૧ જૂનના રોજ ફરીથી મતદાન યોજાયું હતું. વિસાવદર વિધાનસભા બેઠક પરના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાએ બુથ કેપ્ચરિંગની ફરિયાદ કરી હતી, ત્યારબાદ ચૂંટણી પંચે આ બંને બુથ પર મતદાન રદ્દ કરવાનો નિર્ણય…
- ભાવનગર

ભાવનગરમાં ભારે વરસાદથી ધોવાઈ ગયેલા 18 માર્ગોને 48 કલાકમાં પૂર્વવત કરાયા…
ભાવનગર: છેલ્લા કેટલાક દિવસોથી ભાવનગર જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે નદી-નાળાઓ પરના કોઝ-વે તથા અન્ય માર્ગો પર પાણીના ભારે પ્રવાહને કારણે અનેક રાજય હસ્તકના માર્ગો પર ઓવરટોપિંગ થયું હતું. ભારે વરસાદથી ૨૦ થી વધુ રસ્તા પર પાણી ફરી વળતા અમુક…
- ભાવનગર

ભાવનગરમાં ભારે વરસાદને કારણે 7 કાળિયાર મોતને ભેટ્યા…
ભાવનગર: છેલ્લા કેટલાક દિવસથી ભાવનગર જિલ્લામાં વરસી રહેલા અનરાધાર વરસાદને કારણે માનવીઓ સાથે અબોલ પશુઓના જીવ પણ જોખમમાં મુકાયા હતા. ભાલ પંથકમાં આવેલા વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળતા 7 કાળિયારના મોત થયા હતા.…
- અમરેલી

અમરેલીના રાજુલાના ખાખબાઈ ગામના ખેડૂતનો મૃતદેહ ધાતરવડી નદીમાંથી મળી આવ્યો…
રાજુલા: અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ખાખબાઈ ગામમાં ગુમ થયેલા 60 વર્ષીય ખેડૂત જેરામભાઈ દેવશીભાઈ હડીયાનો મૃતદેહ આજે સવારે ધાતરવડી નદીમાંથી મળી આવ્યો હતો. આ ઘટનાથી ખાખબાઈ ગામ અને આસપાસના વિસ્તારોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. મળતી વિગતો અનુસાર, જેરામભાઈ હડીયા…
- સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરનો ધોળીધજા ડેમ ઓવરફ્લો થતા 1200 વીઘા કપાસનો પાક નાશ પામ્યો…
સુરેન્દ્રનગર: છેલ્લા કેટલાક દિવસોથી સુરેન્દ્રનગર જિલ્લામાં ઉપરવાસમાં થયેલા ભારે વરસાદ અને ડેમોમાંથી પાણી છોડવાના કારણે ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો થયો છે. ધોળીધજા ડેમના દરવાજા ખોલવામાં આવતા વઢવાણની ભોગાવો નદીમાં પાણીની સપાટી ભયજનક રીતે વહી રહી હતી, જેના પરિણામે નદી કિનારાના ખેતરોમાં…
- જૂનાગઢ

ભારે પવનને કારણે ગિરનાર રોપ-વે સ્થગિત, સોમનાથના દરિયાકિનારે પ્રવેશ પર પ્રતિબંધ…
જુનાગઢ: હાલ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે જૂનાગઢના ગિરનાર પર્વત પર ભારે પવન ફૂંકાવાને કારણે રોપ-વે સેવા બંધ કરવામાં આવી હતી, જ્યારે સોમનાથમાં દરિયામાં ડૂબી જવાના બનાવો અટકાવવા માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડી સમુદ્રમાં પ્રવેશ પર…
- રાજકોટ

રાજકોટમાં કરોડોનો અંડરપાસ ઉદ્ઘાટન પહેલાં જ પાણીમાં! મનપા સ્ટોર્મ વોટર લાઈન નાખતા જ ભૂલી ગઈ…
રાજકોટ: શહેરના હોમી દસ્તુર માર્ગ પર ₹4 કરોડના ખર્ચે તૈયાર થયેલો અંડરપાસની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં ખુલ્લો મુકાય તેવી શક્યતા હતી, પરંતુ ચોમાસાના પ્રથમ વરસાદે જ તંત્રની બેદરકારી અને કોન્ટ્રાક્ટરની લાલિયાવાડી છતી કરી દીધી હતી. પાણીના…
- આપણું ગુજરાત

આજે રાજ્યમાં ‘વરાપ’નો માહોલ; આવતીકાલે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી…
અમદાવાદ: છેલ્લા ચાર દિવસથી રાજયમાં અનરાધાર વરસી રહેલા વરસાદના જોરમાં આજે ઘટાડો નોંધાયો હતો. 20 જૂનના રોજ સાંજે 6 વાગ્યા સુધીમાં રાજ્યના 24 તાલુકાઓમાં મેઘમહેર નોંધાઈ હતી. ખેડા, વલસાડ, ભરૂચ, અમરેલી, પંચમહાલ, કચ્છ, સુરત, નર્મદા સહિત રાજ્યના કુલ 17 જિલ્લામાં…
- અમદાવાદ

અમદાવાદ વિમાન દુર્ઘટનાઃ 231 મૃતકોના DNA મેચ થયા, 210 મૃતદેહ સોંપાયા…
અમદાવાદઃ વિમાન દુર્ઘટનામાં ૨૩૧ મૃતકોનાં ડીએનએ સેમ્પલ મેચ થયા છે. અત્યાર સુધીમાં કુલ ૨૧૦ પાર્થિવ દેહ પરિવારજનોને સોંપાવામાં આવ્યા હોવાનું સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.રાકેશ જોશીએ મીડિયા બ્રીફિંગમાં જણાવ્યું હતું. હજુ 8 પરિવારો DNA મેચની રાહમાંમીડિયા બ્રીફિંગમાં વધુ વિગતો આપતા ડો.રાકેશ…
- આપણું ગુજરાત

વિસાવદરમાં બે બુથનું મતદાન રદ્દઃ આવતીકાલે ફરી મતદાન યોજાશે
જૂનાગઢ: વિસાવદર વિધાનસભા પેટાચૂંટણી અંતર્ગત ૧૯ જૂન, ગુરૂવારના રોજ યોજાયેલ મતદાન પૈકી બે મતદાન મથકનું મતદાન ચૂંટણી પંચ દ્વારા રદ કરવામાં આવ્યું હતું. વિસાવદર વિધાનસભાનાં માલીડાનાં બુથ નંબર ૮૬ અને નવા વાઘણીયાનાં બુથ નંબર ૧૧૧ પર આવતીકાલે ફરી મતદાન થશે.…









