પ્રેમીના મોબાઈલમાંથી મળેલા કોડ નંબરનો ભેદ ઉકેલી પોલીસે પ્રેમિકાનો મૃતદેહ શોધી કાઢ્યો
પ્રેમીએ આત્મહત્યા કરતાં પૂર્વે મોબાઈલમાં લખેલો નંબર ખારઘરના જંગલના એક વૃક્ષનો નીકળ્યો (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: નવી મુંબઈથી ગુમ થયેલી યુવતીના કેસની તપાસ કરનારી પોલીસ અનેક રોમાંચક વળાંકોથી પસાર થઈને આખરે યુવતીના મૃતદેહ સુધી પહોંચી હતી. ટ્રેન સામે ઝંપલાવી કથિત આત્મહત્યા…
મિલિંદ દેવરા પછી સુશીલકુમાર શિંદે?
સવારે ચર્ચા અને સાંજે ભાજપના પ્રધાન સાથે બેઠક સોલાપુર: કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન સુશીલકુમાર શિંદેએ તેને અને તેની દીકરી પ્રણિતિ શિંદેને ભાજપમાં આવવાની ઓફર આપવામાં આવી હોવાનો દાવો સવારે કર્યો હતો. આ અંગેની ચર્ચા અમુક કલાકો સુધી જોરશોરથી…
ફોગ કે બીજું કાંઈ લોકલની લેટ-લતીફીથી પ્રવાસીઓ પરેશાન
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ઉત્તર ભારતમાં ઠંડીનું જોર હળવું થયું છે, પણ ઉત્તર ભારતથી પશ્ચિમ અને મધ્ય રેલવેની લાંબા અંતરની ટ્રેનો ૧૦થી પંદર કલાક સુધી મેલ-એક્સપ્રેસ ટ્રેનો મોડી દોડતી હોવાથી પ્રવાસીઓ પરેશાન છે. ફોગને કારણે ફ્લાઈટ સેવા પર અસર પડી રહી…
મુલુંડમાં ટ્રસ્ટના ૧.૪૦ કરોડ રૂપિયાની ઉચાપત: વસંત મજેઠિયાની ધરપકડ
મુંબઈ: મુલુંડના શ્રી કરાચી કચ્છી લોહાણા નારાયણ સરોવરિયા તથા લખપતિયા મહાજન ટ્રસ્ટના ૧.૪૦ કરોડ રૂપિયાની કથિત ઉચાપત કરવાના કેસમાં મુલુંડ પોલીસે વસંત મજેઠિયાની ધરપકડ કરી હતી. મુલુંડ પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટરકાંતિલાલ કોથિંબિરેએ ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું કે છેતરપિંડીના કેસમાં વસંત…
ગામડા અને શહેરોમાં આર્થિક વિકાસને પ્રોત્સાહન: એકનાથ શિંદે
મુંબઈ: મહારાષ્ટ્રના ગામડાઓ અને શહેરોમાં નવીન ઉદ્યોગો અને વ્યવસાયો શરૂ કરવામાં આવશે જે આર્થિક વિકાસને વેગ આપશે. દેશના વિકાસ માટે મુંબઈની પણ કાયાપલટ થઈ રહી છે અને મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ અહીં રોકાણ કરવાની અપીલ કરી હતી. સ્વિટ્ઝર્લેન્ડના દાવોસમાં વર્લ્ડ ઈકોનોમિક…
મહારાષ્ટ્રમાં કોવિડ-૧૯ના ૮૧ કેસ નોંધાયા: એક મૃત્યુ
મુંબઈ: રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં બુધવારે ૮૧ નવા કોવિડ-૧૯ કેસ નોંધાયા છે અને એક મૃત્યુ થયું છે, આ સાથે જેએન૧ સબ-વેરિઅન્ટથી સંક્રમિત દર્દીઓની સંખ્યા અત્યાર સુધીમાં વધીને ૪૫૧ થઈ ગઈ છે. એક મૃત્યુ પૂણે શહેરમાં નોંધાયું હતું.…
ઉદ્ધવની પ્રેસ કોન્ફરન્સ હતાશાનું પરિણામ: શિંદે જૂથનો કટાક્ષ
છત્રપતિ સંભાજીનગર: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાએ બુધવારે ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળના જૂથ પર કટાક્ષ કરતા કહ્યું કે એક દિવસ પહેલા યોજાયેલી તેની પ્રેસ કોન્ફરન્સ તેમની હતાશા દર્શાવે છે. તેણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે શિવસેના…
ઘરની ખરીદીમાં થતી છેતરપિંડી ટાળવા માટે મહારેરાનો નવો આદેશ
હવે માત્ર એક જ રજિસ્ટ્રેશન નંબર આપવામાં આવશે મુંબઈ: હાઉસિંગ પ્રોજેક્ટને એકથી વધુ મહારેરા રજિસ્ટ્રેશનને કારણે ઘર ખરીદદારોની થતી છેતરપિંડીને ટાળવા માટે રાજ્યમાં એક સ્વયંભૂ (સ્ટેન્ડ અલોન) પ્રોજેક્ટને એક જ રજિસ્ટ્રેશન નંબર આપવાનો નિર્ણય મહારેરાએ હાલમાં લીધો છે. આ અંગેનો…
એસએસસી અને એચએસસી પરીક્ષા અંગે મહત્ત્વનો ફેરફાર
મુંબઈ: ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષા આગામી મહિનાથી શરૂ થવાની છે. હવે રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે આ પરીક્ષાને લઇને મહત્ત્વનો ફેરફાર કર્યો છે, જેમાં ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓની પ્રેક્ટિકલ, મૌખિક પરીક્ષા અને આંતરિક મૂલ્યાંકનના માર્કસ (ઓએમઆર) માર્કશીટ્સમાં…
વિધાનસભ્યોનો ગેરલાયકાતનો મામલો: હાઈ કોર્ટે શિંદે જૂથની અરજીઓ પર મહારાષ્ટ્ર સ્પીકરને નોટિસ ફટકારી
મુંબઈ: બોમ્બે હાઈ કોર્ટે બુધવારે મહારાષ્ટ્રના સ્પીકર રાહુલ નાર્વેકર અને ઉદ્ધવ ઠાકરે જૂથના ૧૪ વિધાનસભ્યોને મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના દ્વારા વિધાનસભ્યોને ગેરલાયક ન ઠરાવવાના નાર્વેકરના આદેશને પડકારતી અરજીઓ પર નોટિસ પાઠવી હતી. જસ્ટિસ ગિરીશ કુલકર્ણી અને ફિરદોશ…