Bharat Patel

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ કંપની છત્તીસગઢ સ્થળાંતરીત થતાં 1992માં મુંબઈ સમાચારમાં જોડાયો. કોવિડ-19ના સમયગાળામાં તંત્રી નીલેશભાઈના સહકારથી મેટિની પૂર્તિમાં નાની નાની સ્ટોરી લખવાનો મોકો મળ્યો અને છેલ્લા ચાર વરસથી શિવ રહસ્ય નામની કોલમ લખી રહ્યો છું.
  • ‘વંચિત’નો મહાવિકાસ આઘાડીમાં સમાવેશ નથી થયો

    મુંબઈ: વંચિત બહુજન મોરચાનો સમાવેશ મહા વિકાસ આઘાડી (મવિઆ)માં કરવામાં આવ્યા હોવાના સમાચાર મંગળવારે વહેતા થયા હતા. ૩૦ જાન્યુઆરી, મંગળવારે મુંબઈની ટ્રાયડન્ટ હોટેલમાં મળેલી મહા વિકાસ આઘાડીની બેઠકમાં ‘વંચિત’નો સમાવેશ મવિઆ કરવામાં આવ્યો હોવાનો દાવો કરતા સમાચાર અનેક ટીવી ચેનલ…

  • મહારાષ્ટ્રને ડ્રોન હબ બનાવવાની તૈયારી ૧૮ ડ્રોન કેન્દ્ર નિર્માણનો પ્રસ્તાવ, આઈઆઈટી-બોમ્બેમાં મુખ્યાલય

    પુણે: રાજ્ય સરકારે ‘મહારાષ્ટ્ર ડ્રોન મિશન’ માટે પરવાનગી આપી દીધી છે. એના અંતર્ગત રાજ્યમાં ડ્રોન કેન્દ્રોનું નેટવર્ક (જાળું) તૈયાર કરવામાં આવશે. એ અનુસાર છ વિભાગીય અને બાર જિલ્લાસ્તરીય એમ કુલ ૧૮ ડ્રોન કેન્દ્ર ઊભા કરવામાં આવશે. ડ્રોન કેન્દ્રોનું મુખ્યાલય આઈઆઈટી…

  • ‘ફેક ન્યૂઝ’ અંગે આઈટીના નિયમો બોમ્બે હાઈ કોર્ટની ખંડપીઠનો બેતરફી ચુકાદો

    સુનાવણી નવેસરથી ત્રીજા ન્યાયમૂર્તિ સમક્ષ થશે મુંબઈ: સરકાર વિરુદ્ધ સોશિયલ મીડિયામાં રજૂ થતા બનાવટી – નકલી સમાચાર સંદર્ભના સુધારીત ઈન્ફર્મેશન ટેકનોલોજી (આઈટી) નિયમોને પડકારતી કેટલીક અરજીઓ અંગે બોમ્બે હાઈ કોર્ટે બુધવારે બે તરફી ચુકાદો આપ્યો હતો. ન્યાયમૂર્તિ ગૌતમ પટેલ અરજદારના…

  • આઈઆઈટી-મુંબઈ ગાર્ગઈ પાણી પ્રોજેક્ટમાં એન્વાયરમેન્ટલ સ્ટડી કરશે

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈગરાની પાણીની માગણી સામે પ્રતિદિન કરવામાં આવતો પાણીપુરવઠો અપૂરતો છે. તેથી ફરી એક વખત ગાર્ગઈ પ્રોજેક્ટ પર મુંબઈ મહાનગરપાલિકા કામ કરી રહી છે. આ પ્રોજેક્ટને કારણે અસર થનારા ઝાડ બાબતે પર્યાવરણનો અભ્યાસ કરવા માટે પાલિકાએ આઈઆઈટી મુંબઈને…

  • આરબીઆઈના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજન મળ્યા ઉદ્ધવને

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આરબીઆઈ (રિઝર્વ બૅંક ઓફ ઈન્ડિયા)ના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજન બુધવારે શિવસેના (યુબીટી)ના નેતા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને તેમના નિવાસસ્થાને મળવા માટે ગયા હતા. ઉદ્ધવ ઠાકરેના પુત્ર અને વિધાનસભ્ય આદિત્ય ઠાકરેએ સોશ્યલ મીડિયા પર આની…

  • જ્ઞાનવાપી કેસમાં હિંદુ પક્ષની મોટી જીત

    ૩૧ વર્ષ બાદ વ્યાસજીના ભોંયરામાં પૂજા- પાઠની મંજૂરી વારાણસી: ઉત્તર પ્રદેશના વારાણસીની જિલ્લા અદાલતે બુધવારે જ્ઞાનવાપી પરિસરમાં સ્થિત વ્યાસજીના ભોંયરામાં હિન્દુઓને પૂજા કરવાનો અધિકાર આપવાનો આદેશ આપ્યો હતો. હિન્દુ પક્ષના વકીલ મદન મોહન યાદવે કહ્યું હતું કે જિલ્લા ન્યાયાધીશ અજય…

  • ગુજરાતને મળ્યું ત્રીજું ઈન્ટરનેશનલ એરપોર્ટ

    સુરત એરપોર્ટને સરકારી ગેઝેટમાં કેન્દ્રએ ઈન્ટરનેશનલ એરપોર્ટ જાહેર કર્યું (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: સુરત એરપોર્ટના રૂપે ગુજરાતને ત્રીજુ ઈન્ટરનેશનલ એરપોર્ટ મળ્યું હતું. સુરત એરપોર્ટ પરથી ઇન્ટરનેશનલ ઉડાનો પણ શરૂ થઈ ગઈ છે ત્યારે હવે સરકારી ગેઝેટમાં પણ સુરત એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટ…

  • હેમંત સોરેને આપ્યું રાજીનામું: ઇડીની કસ્ટડીમાં

    રાંચી: હેમંત સોરેને ઝારખંડના મુખ્ય પ્રધાનના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તેમણે રાજ્યપાલને રાજીનામું સોંપ્યું હતુ. રાજીનામા બાદ મની લોન્ડરિંગ કેસમાં આરોપી હેમંત સોરેનની ઇડીએ કસ્ટડીમાં લીધા હતા. એક રિપોર્ટ અનુસાર, લગભગ સાત કલાકની લાંબી પૂછપરછ બાદ ઇડીની ટીમે…

  • રાષ્ટ્રપતિના અભિભાષણથી બજેટ સત્રની શરૂઆત

    નવી દિલ્હી: સંસદના બજેટ સત્રના પ્રથમ દિવસે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ બંન્ને ગૃહના સભ્યોને સંબોધિત કર્યા હતા. આ ૧૭મી લોકસભાનું અંતિમ સત્ર છે. રાષ્ટ્રપતિએ પોતાના સંબોધનમાં નરેન્દ્ર મોદી સરકારનું રિપોર્ટ કાર્ડ રજૂ કર્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પોતાના અભિભાષણમાં રામમંદિર, કલમ…

  • બારામુલ્લાના ઉરી વિસ્તારમાં વાહન ખીણમાં ખાબકતાં સાતનાં મૃત્યુ

    સુરેશ એસ. ડુગ્ગરજમ્મુ: બારામુલ્લા જિલ્લાના ઉરીમાં એક વાહન બરફાચ્છાદિત રસ્તા પરથી સરકીને ખાઈમાં પડી જતાં સાત જણાનાં મૃત્યુ થયા હતા અને બીજા આઠ જણ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઉત્તરી કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના ઉરી વિસ્તારમાં સર્જાયેલા આ અકસ્માતમાં મૃતકોની સંખ્યામાં…

Back to top button