થાણેમાં આશ્રમ શાળાના ૧૦૯ વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝન
મુંબઈ: થાણે જિલ્લામાં ખાનગી આશ્રમની સ્કૂલમાં ભણતા ૧૦૯ વિદ્યાર્થીઓને ખોરાકી ઝેરની અસર થઈ હતી. તેમને સરકારી હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. મુંબઈ નજીક આવેલા શાહપુર તાલુકાના ભાતસાઈમાં આશ્રમ સ્કૂલ આવેલી છે, જેમાં આદીવાસી બાળકોને રહેવાની અને ભણવાની વ્યવસ્થા…
મુંબઈગરાઓને હાશકારો ટાટા પાવર વીજદરમાં વધારો નહીં કરે
મુંબઈ: ટાટા પાવર તરફથી વીજળીના દરમાં ધરખમ વધારો કરવાનો પ્રસ્તાવ રાજ્ય વીજ નિયામક આયોગ સમક્ષ મૂક્યો હતો. જો વીજદરમાં વધારો માન્ય થાય તો સામાન્ય નાગરિકોને તેની માઠી અસર થાય એમ હોઇ, ભાજપના વિધાનસભ્ય મનીસા ચૌધરીએ ટાટા પાવર કંપનીના અધિકારીને પત્ર…
૪૦ બેઠક પર મહાવિકાસ આઘાડીની બેઠકની વહેંચણી ફાઈનલ
વિવાદમાં રહેલી આઠ બેઠકમાં મુંબઈની બે બેઠકનો સમાવેશ (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહાવિકાસ આઘાડીમાં બેઠકોની વહેંચણીનો મુદ્દો ઘણા વખતથી પડતર છે અને તેને કારણે ત્રણેય પક્ષો વચ્ચે બધું આલબેલ ન હોવાની અને મહાવિકાસ આઘાડી તૂટી પડવાની શક્યતા હોવાની ચર્ચાઓ ચાલી રહી…
બોરીવલીમાં જાહેર સ્થળોએ કાટમાળ ફેંકનારાઓ પર સીસીટીવીની રહેશે નજર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સાર્વજનિક સ્થળોએ કાટમાળ ફેંકીને કાયદાનું ઉલ્લંઘન કરવાની સાથે જ ગંદકી વધારનારાઓ પકડી પાડવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ ૩૦ સ્થળોએ ૪૯ સીસીટીવી કેમેરા બેસાડવાની યોજના બનાવી છે, જેમાં પ્રાયોગિક ધોરણે બોરીવલી, ગોરાઈ અને માગાથાણે વિસ્તારમાં પાંચ સીસીટીવી કેમેરા બેસાડવાની…
‘વંચિત’નો મહાવિકાસ આઘાડીમાં સમાવેશ નથી થયો
મુંબઈ: વંચિત બહુજન મોરચાનો સમાવેશ મહા વિકાસ આઘાડી (મવિઆ)માં કરવામાં આવ્યા હોવાના સમાચાર મંગળવારે વહેતા થયા હતા. ૩૦ જાન્યુઆરી, મંગળવારે મુંબઈની ટ્રાયડન્ટ હોટેલમાં મળેલી મહા વિકાસ આઘાડીની બેઠકમાં ‘વંચિત’નો સમાવેશ મવિઆ કરવામાં આવ્યો હોવાનો દાવો કરતા સમાચાર અનેક ટીવી ચેનલ…
આરબીઆઈના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજન મળ્યા ઉદ્ધવને
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આરબીઆઈ (રિઝર્વ બૅંક ઓફ ઈન્ડિયા)ના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજન બુધવારે શિવસેના (યુબીટી)ના નેતા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને તેમના નિવાસસ્થાને મળવા માટે ગયા હતા. ઉદ્ધવ ઠાકરેના પુત્ર અને વિધાનસભ્ય આદિત્ય ઠાકરેએ સોશ્યલ મીડિયા પર આની…
રાષ્ટ્રપતિના અભિભાષણથી બજેટ સત્રની શરૂઆત
નવી દિલ્હી: સંસદના બજેટ સત્રના પ્રથમ દિવસે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ બંન્ને ગૃહના સભ્યોને સંબોધિત કર્યા હતા. આ ૧૭મી લોકસભાનું અંતિમ સત્ર છે. રાષ્ટ્રપતિએ પોતાના સંબોધનમાં નરેન્દ્ર મોદી સરકારનું રિપોર્ટ કાર્ડ રજૂ કર્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પોતાના અભિભાષણમાં રામમંદિર, કલમ…
બારામુલ્લાના ઉરી વિસ્તારમાં વાહન ખીણમાં ખાબકતાં સાતનાં મૃત્યુ
સુરેશ એસ. ડુગ્ગરજમ્મુ: બારામુલ્લા જિલ્લાના ઉરીમાં એક વાહન બરફાચ્છાદિત રસ્તા પરથી સરકીને ખાઈમાં પડી જતાં સાત જણાનાં મૃત્યુ થયા હતા અને બીજા આઠ જણ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઉત્તરી કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના ઉરી વિસ્તારમાં સર્જાયેલા આ અકસ્માતમાં મૃતકોની સંખ્યામાં…

