ભાજપના વિધાનસભ્ય દ્વારા શિંદે જૂથના નેતા પર ગોળીબાર મેં જાતે તેને ગોળી મારી, મને એનો કોઇ અફસોસ નથી: ગણપત ગાયકવાડ
મુંબઈ: ઉલ્હાસનગરના હિલલાઇન પોલીસ સ્ટેશનમાં એકનાથ શિંદે જૂથના નેતા મહેશ ગાયકવાડ પર ગોળીબાર કરનારા ભાજપના વિધાનસભ્ય ગણપત ગાયકવાડે તેની ધરપકડ અગાઉ જણાવ્યું હતું કે ‘હા, મેં જાતે તેને ગોળી મારી, મને તેનો કોઇ અફસોસ નથી. મારા પુત્રને પોલીસ સ્ટેશનમાં પોલીસની…
મુંબઈમાં મરાઠા સમાજ અને ઓપન કેટેગરીનો સર્વે ૧૦૦ ટકા પૂરો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં ૨૩ જાન્યુઆરી, ૨૦૨૪થી પહેલી ફેબ્રુઆરી, ૨૦૨૪ સુધીના સમયગાળામાં મરાઠા સમુદાય અને ઓપન કેટેગરીના નાગરિકોનો સર્વેક્ષણ ૧૦૦ ટકા પૂરો કરી દેવામાં આવ્યો હોવાની જાહેરાત મુંબઈ મહાનગરપાલિકાએ શનિવારે કરી હતી. મહારાષ્ટ્ર રાજ્ય લઘુમતી પંચના નિર્દેશ મુજબ મુંબઈમાં ૨૩…
પંજાબના રાજ્યપાલનું રાજીનામું
ચંડીગઢ: પંજાબના રાજ્યપાલ અને ચંડીગઢના પ્રશાસક બનવારીલાલ પુરોહિતે શનિવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂને અંગત કારણોસર પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું. પુરોહિતે તેમના રાજીનામા પત્રમાં લખ્યું હતું કે, મારા અંગત કારણો અને કેટલીક અન્ય પ્રતિબદ્ધતાઓને લીધે હું પંજાબના રાજ્યપાલ અને કેન્દ્રશાસિત પ્રદેશ…
ઉલ્હાસનગરના પોલીસ સ્ટેશનમાં ગોળીબાર ભાજપના વિધાનસભ્યની ધરપકડ
ઉલ્હાસનગર: મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં જમીન વિવાદ અંગે એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાના નેતાને ગોળી મારીને ઘાયલ કરવા બદલ ભારતીય જનતા પાર્ટીના વિધાનસભ્યની ધરપકડ કરવામાં આવી હતી. એડિશનલ પોલીસ કમિશનર દત્તાત્ર્ય શિંદેએ મીડિયાને જણાવ્યું હતું કે કલ્યાણના ભાજપના વિધાનસભ્ય ગણપત ગાયકવાડે…
પશ્ર્ચિમ બંગાળમાં આઠ સ્થળે સીબીઆઈના દરોડા
નવી દિલ્હી : સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સીસ રીક્રુટમેન્ટમાં સરહદી વિસ્તારના રહેવાસીને મળતા લાભો હાંસલ કરવા ડોમિસાઈલ દસ્તાવેજનો બનાવટી ઉપયોગ કરવાના કેસમાં કોલકાતા અને ઉત્તર ૨૪ પરગણા જિલ્લામાં આઠ ટેકાણામાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ)એ દરોડા પાડ્યા હતા. કલકત્તા હાઈ કોર્ટના…
યશસ્વી પછી બુમરાહની પણ કમાલથી ભારત વિજયની દિશામાં
વિશાખાપટ્ટનમ: પાંચ મૅચની ટેસ્ટ-સિરીઝમાં ઇંગ્લૅન્ડે પ્રથમ મૅચ ૨૮ રનથી જીતીને ભારતને આંચકો આપ્યો હતો, પરંતુ બીજી ટેસ્ટમાં ભારતીય ટીમે શુક્રવારના પહેલા દિવસે બ્રિટિશરો પર અંકુશ જમાવ્યા પછી શનિવારના બીજા દિવસે પરાજય તરફ ધકેલ્યા હતા. ભારતે પ્રથમ દાવમાં યશસ્વી જયસ્વાલની પ્રથમ…
મુંબઈગરાને મળશે વધારાનું પાણી
ગંદા પાણી પર પ્રક્રિયા કરનારા ડિસેલિનેશન પ્રોજેક્ટનું કામ ઝડપી બનશે (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈનો પાણીપુરવઠો સંપૂર્ણપણે ચોમાસા પર આધાર રાખતો હોય છે. મુંબઈને સાત જળાશયોમાંથી પ્રતિદિન ૩,૮૫૦ મિલિયન લિટર જેટલો પાણીપુરવઠો કરવામાં આવે છે. વધતી જતી વસતી સામે વધતી પાણીની…
- નેશનલ
રામજન્મભૂમિ ચળવળના ‘સારથિ’નું સર્વોચ્ચ સન્માન લાલકૃષ્ણ અડવાણીને ભારતરત્ન
નવી દિલ્હી: રામજન્મભૂમિ આંદોલનના ‘સારથિ’ ભાજપના દિગ્ગજ નેતા અને ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન લાલકૃષ્ણ અડવાણીને દેશનો સર્વોચ્ય નાગરિક પુરસ્કાર ભારત રત્ન આપવાની ઘોષણા કરવામાં આવી છે. જેની વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ટ્વિટ કરીને જાહેરાત કરી હતી. મોદીએ એક્સ પર…
બનાવટી દવાના રેકેટનો પર્દાફાશ નાગપુરની હૉસ્પિટલમાંથી ૨૦,૬૦૦ એન્ટિબાયોટિક ટેબ્લેટ્સ જપ્ત
નાગપુર: મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ)ના અધિકારીઓએ બનાવટી દવાના રેકેટનો પર્દાફાશ કર્યો હતો અને નાગપુરની સરકારી હોસ્પિટલમાંથી ૨૦,૬૦૦ ટેબ્લેટ્સ જપ્ત કરી હતી, જેને એન્ટિબાયોટિક સિપ્રોફ્લોક્સાસીન તરીકે બતાવવામાં આવી હતી. થાણેના રહેવાસી સહિત ત્રણ જણ વિરુદ્ધ આ પ્રકરણે ગુનો દાખલ…
પારસી મરણ
ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.